ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા તાજેતરમાં જ એક પુત્રીના માતા-પિતા બન્યા છે. 11 જાન્યુઆરીએ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો છે. વિરાટ અને
અનુષ્કા શર્મા સેલિબ્રિટી કપલ્સમાં સૌથી વધુ ચર્ચામાં છે. આઈપીએલ 2018માં વિરાટની આગેવાનીમાં બેંગલુરૂની ટીમ બહાર થઈ ગઈ હતી. રાજસ્થાન વિરુદ્ધ રમતા બેંગલુરૂનો લીગની અંતિમ મેચમાં 30 રનથી પરાજય થયો હતો. આ હારની સાથે ટીમ પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઈ હતી. મહત્વનું છે કે, આઈપીએલની 11 સીઝનમાં બેંગલુરૂની ટીમ એકપણ વખત ચેમ્પિયન બની શકી નથી.
આઈપીએલ દરમિયાન વિરાટ કોહલીએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન પોતાની ખાનગી જિંદગીની ઘણી વાતો શેર કરી. વિરાટે આ ઈન્ટરવ્યૂમાં અનુષ્કા શર્માને લઈને પણ ઘણી વાત કરી. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 11 ડિસેમ્બરે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ઈટાલીમાં લગ્ન કર્યા હતા.
લગ્ન બાદ બંન્નેએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બંન્ને ખૂબ સપોર્ટિવ છે. લગ્ન પહેલા બંન્ને ઘણા ફંકશન અને કાર્યક્રમોમાં સાથે જોવા મળતા હતા. વિરાટ કોહલી પોતાના દરેક ઈન્ટરવ્યૂમાં કહે છે કે- અનુષ્કા સન્માન અને પ્રેમની હકદાર છે.
ટીમ ઇન્ડિયા કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ને આક્રામક ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે. કોહલીનો આ મિજાજ તેની વિસ્ફોટક બેટિંગમાં સાફ નજર આવે છે. મેચમાં વિપક્ષી ટીમના ખેલાડી તેને વગર કારણે છંછેડવાથી દૂર રહે છે. કારણ કે દરેક ક્રિકેટરનું માનવું છે કે, કોહલી ગુસ્સામાં ખુબ જ સારૂ પ્રદર્શન કરે છે.
ટીમ ઇન્ડિયા (Team India)ના પૂર્વ ક્રિકેટર અને હાલના સિલેક્ટર સરણદીપ સિંહ (Sarandeep Singh)એ ખુલાસો કર્યો છે કે, મેદાનની બહાર વિરાટ કોહલીનું વર્તન ખુબ જ અલગ છે. લોકો જેવું તેના વિશે વિચારે છે તે એવો બિલકુલ
નથી. વિરાટ જમીન સાથે જોડાયેલ વ્યક્તિ છે.
સરણદીપ સિંહએ એ પણ જણાવ્યું કે,’વિરાટના મુંબઇવાળા મકાનમાં કોઇ નોકર નથી તેની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) પોતે બધા લોકો માટે જમવાનું તૈયાર કરે છે.’ કોહલી તમારી પાસે બેસસે, વાતો કરશે,
ડિનર માટે બહાર આવશે. દરેક ખેલાડી તેની ઇજ્જત કરે છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તાજેતરમાં જ એક દીકરીના માતા-પિતા બન્યા છે. તેમણે પોતાની દીકરીનું નામ વામિકા (Vamika) રાખ્યું છે. કોહલી ઓસ્ટ્રેલિયા ટૂર અદ્ધવચ્ચે છોડીને જ ભારત પરત આવી ગયો હતો જેથી કરીને તે પોતાના બાળકના જન્મ સમયે હાજર રહી શકે.
સોશિયલ મીડિયામાં વિરાટ કોહલીના ઈન્ટરવ્યૂનો એક વીડિયો વાયરલ થી રહ્યો છે. આ વીડિયોમાં વિરાટ કોહલી કહી રહ્યાં છે કે, અનુષ્કા શર્મા ઘરમાં કેપ્ટન છે. જતિન સપ્રૂને આપેલા એક્સક્લૂઝિવ ઈન્ટરવ્યૂમાં જ્યારે તેને પૂછવામાં આવે કે, ઓફ ફીલ્ડ કોણ કેપ્ટન છે? તેનો જવાબ વિરાટ હસતા-હસતા આપે છે. તે કહે છે, જાહેર છે કે ઘરની કેપ્ટન અનુષ્કા જ છે. તે જીવનમાં હંમેશા યોગ્ય નિર્ણય કરે છે. તે મારી તાકાત છે. તે મને હંમેશા પોઝિટિવ બનાવી રાખે છે.
તમે તમારા લાઇફ પાર્ટનર પાસેથી આજ આશા રોખો છે, હું આભારી છું કે મને અનુષ્કા જેવી પાર્ટનર મળી છે. વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તાજેતરમાં અનુષ્કા શર્મા, જે આ દિવસોમાં માતા બની છે, તે ફક્ત તેમના કામની સંભાળ ફક્ત અને માત્ર તેના કામથી દૂર રાખવા માંગે છે. વિરાટ કોહલી વિશે વાત કરીએ તો વિરાટ કોહલી -સ્ટ્રેલિયાની મુલાકાત બાદ ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી મેચ રમીને પિતૃની રજા પર ભારત આવ્યો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!