25 મેથી શરુ થશે ઘરેલુ ફ્લાઈટ્સ, જાણો હવાઈ મુસાફરી કરવાના નવા નિયમો
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈંડિયાએ 25 મેથી ઘરેલુ ફ્લાઈટ્સ ફરીથી શરુ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
આ સાથે જ ફ્લાઈટ્સ ફરીથી શરુ કરવા માટે એરપોર્ટ્સ પર એસઓપી પણ જાહેર કરી દેવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈંડિયા દ્વારા યાત્રીઓ માટે નવી માર્ગદર્શિકા પણ જાહેર કરી દીધી છે.
Airports Authority of India (AAI) has issued Standard Operating Procedures (SOP) to all its airports for recommencement of domestic commercial flight operations from 25th May. All passengers must compulsorily be registered with the Aarogya Setu app on their phones as per the SOP. pic.twitter.com/95psLbFU6P
— ANI (@ANI) May 21, 2020
એરપોર્ટ ઓથોરિટી અનુસાર યાત્રીઓ માટે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત છે. જો કે 14 વર્ષથી ઓછી વયના બાળકો માટે આ એપ રાખવી ફરજિયાત નથી. એસઓપીમાં કહેવામાં આવ્યું છે કે યાત્રીઓ માટે એરપોર્ટ ટર્મિનલમાં પ્રવેશ કરતા પહેલા થર્મલ ચેકએપ પણ ફરજિયાત છે. આ ચેકઅપ પોઈંટ ક્રોસ કર્યા પછી જ યાત્રી એરપોર્ટમાં પ્રવેશ કરી શકશે. માર્ગદર્શિકા અનુસાર સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમોનું પાલન પણ એરપોર્ટમાં કરવાનું ફરજિયાત છે.
AAI issues SOP for airports for recommencement of domestic flights, says Aarogya Setu app not mandatory for children below 14 years of age
— Press Trust of India (@PTI_News) May 21, 2020
એસઓપીમાં વધુમાં કહેવાયું છે કે એરપોર્ટ સંચાલકોએ ટર્મિનલમાં યાત્રી પ્રવેશ કરે તે પહેલા તેના સામાનને પણ સંક્રમણ મુક્ત કરવાની વ્યવસ્થા કરવી પડશે. આ સિવાય કોરોના સંક્રમણના જોખમના કારણે લોકોએ એરપોર્ટ પર અન્ય નિયમોનું પણ પાલન કરવું પડશે. જેમાં હવે મુસાફરોએ બે કલાક નહીં પણ ચાર કલાક અગાઉ એરપોર્ટ પર પહોંચવું પડશે. આ સાથે જ મુસાફરને પોતાની સાથે એક જ લગેજ રાખવાની છૂટ હશે. એક કરતા વધારે લગેજ હશે તો મુસાફરીની છૂટ રહેશે નહીં.
એરપોર્ટના સ્ટાફ અને મુસાફરો વચ્ચે સામાજિક અંતર જળવાય તે માટે મુસાફરોને ફક્ત વેબ-ચેકીંગ દ્વારા જ એન્ટ્રી મળશે. એટલે કે ઇન્ટરનેટ દ્વારા મુસાફરોએ બોર્ડિંગ પાસની પ્રિન્ટ આઉટ લઇને એરપોર્ટ પહોંચવું પડશે. ફ્લાઈટમાં પણ મુસાફરોએ ચશ્મા અને માસ્ક ફરજિયાતપણે પહેરવા પડશે.
મહત્વપૂર્ણ છે કે ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ બુધવારે જ સત્તાવાર ઘોષણા કરી હતી કે 25 મેથી ભારતમાં ઘરેલુ ફ્લાઈટ ક્રમિક રીતે શરુ થશે. જો કે હાલ પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ જ છે. આ જાણકારી તેમણે ટ્વીટ કરીને આપી હતી.
Domestic civil aviation operations will recommence in a calibrated manner from Monday 25th May 2020.
All airports & air carriers are being informed to be ready for operations from 25th May.
SOPs for passenger movement are also being separately issued by @MoCA_GoI.
— Hardeep Singh Puri (@HardeepSPuri) May 20, 2020
લોકડાઉન જાહેર થયા બાદ ભારત સહિત અનેક દેશોમાં વ્યાવસાયિક તેમજ પેસેન્જર ફ્લાઈટ્સને નિલંબિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે આ દરમિયાન એરઈન્ડિયાની કેટલીક ફ્લાઈટ્સ વંદે ભારત મિશન અંતર્ગત કાર્યરત છે અને જે વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવી રહી છે.
source : dailyhunt
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત