મિત્રો, આપણો દેશ એ ધાર્મિક અને શ્રધ્ધાઓ પર ચાલનાર દેશ છે, અહી અનેકવિધ એવા વિદ્વાન લોકો જન્મ લઇ ચુક્યા છે જેણે પોતાના જ્ઞાનથી આ દેશ અને દેશના લોકોને સુખી અને સમૃદ્ધ બનાવવાના અમુલ્ય પ્રયાસ કર્યા છે. આ વિદ્વાન લોકોના અમૃત વચનો આજે પણ આપણા જીવન માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે.
આજે આ લેખમા આપણે અમુક એવા વિશેષ શાસ્ત્રીય ઉપાયો વિશે માહિતી મેળવીશુ કે, જેને અજમાવીને તમે તમારા ઘરમા થતા વાદ-વિવાદ કે કંકાસથી સંપૂર્ણપણે મુક્તિ મેળવી શકો છો. તો ચાલી જાણીએ આ શાસ્ત્રીય ઉપાયો વિશે અને માહિતી મેળવીએ કે, આ ઉપાયોનો આપણા જીવન પર કેવો પ્રભાવ પડશે?
જો તમે પણ તમારા ઘરના રોજબરોજના કંકાસથી કંટાળી ચુક્યા છો તો આજે અમે તમને એક વિશેષ વસ્તુ વિશે જણાવીશું કે, જે તમને આ સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે ખુબ જ લાભદાયક સાબિત થશે. આ એક ચીજવસ્તુ છે ફટકડી. આ વસ્તુનો ઉપયોગ કરીને તમે તમારા ઘરનું વાતાવરણ શાંતિમય બનાવી શકો છો અને તમારા ઘરમાં રહેલો કકળાટ પણ હંમેશા માટે દૂર કરી શકો છો.
ફટકડી એ સ્વાસ્થ્યનો ખજાનો છે. તમે થોડી ફટકડીના ઉપયોગથી અનેકવિધ પ્રકારની બીમારીઓમાંથી મુક્તિ મેળવી શકો છો. તેવી જ રીતે ફટકડીના ઉપયોગથી તમે તમારા ઘરમા રહેલી નકારાત્મક ઉર્જાથી પણ મુક્તિ મેળવી શકો છો. આ અમુક પગલા લેવાથી તમારા ઘરમા થતો કંકાસ પણ દૂર થઇ જશે અને તમારા ઘરનું વાતાવરણ સુખમયી બનશે.
જે લોકોના ઘરમા રોજબરોજ લડાઈ-ઝઘડાનો માહોલ બની રહેતો હોય તો એક વાસણની અંદર ફટકડી ભરીને તેને ઘરના કોઇપણ એક ખૂણામા રાખીને મૂકી દો. આમ, કરવાથી તણાવનુ વાતાવરણ એકદમ સમાપ્ત થઇ જશે. આ સિવાય ઘરના વડીલના પલંગની નીચે એક લોટો પાણી ભરી લો અને ત્યારબાદ આ પાણીમા તમે થોડી ફટકડી ઉમેરો, જેથી તમારા ઘરમા શાંતિનો માહોલ બની રહેશે અને તમારી પારિવારિક તકરાર પણ દૂર થશે.
જો તમે વ્યવસાય ક્ષેત્રે પ્રગતિ મેળવવા ઈચ્છતા હોવ તો તેના માટે પણ ફટકડીથી સંબંધિત ઉપાયો કરવા ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. લાલ રંગના કપડામા તમે થોડી એવી ફટકડી બાંધો અને આ કાપડને વ્યવસાય કરતા હોય તે જગ્યામા કોઇપણ ખૂણામાં મૂકી દો, જેથી તમારા જીવનની સમસ્યાઓનો અંત આવી જશે. આ સિવાય જો તમારા ઘરમા વાસ્તુદોષ હોય તો તમે ૫૦ ગ્રામ ફટકડીને એક બાઉલમા નાખી અને ઘરની પૂજામાં તે રાખો. આ પગલા લેવાથી તમારા ઘરનો વાસ્તુદોષ તુરંત દૂર થઇ જશે અને તમારું જીવન સુખી અને સમૃદ્ધ બનશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,