Site icon News Gujarat

ભારતમાં આ સરકારી વિભાગે ભ્રષ્ટાચાર કરવામાં કંઈ બાકી ન રાખ્યું, જાણી લો કયો વિભાગ કેટલી કટકી કરે છે

ભ્રષ્ટાચારની સમસ્યા સાર્વત્રિક છે. ભ્રષ્ટાચારની સમસ્યા પ્રતિદિન વધુ વ્યાપક અને ગંભીર બનતી જાય છે. સમાજ જીવનના અનેક ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો જોવા મળે છે. ભ્રષ્ટાચાર એટલે વ્યકિતનું એવું વર્તન કે જેના દ્વારા અયોગ્ય લાભ મેળવવા માટે જાણી જોઇને પોતાના કર્તવ્યની ઉપેક્ષા કરવી. કોઇ પણ સત્તાધીશ દ્વારા તેની સત્તાનો લાભ (પૈસા કે ભેટ) મેળવવા દુરુપયોગ કરવો તેને ભ્રષ્ટાચાર કહી શકાય. સરકારી કાર્ય ખોટી રીતે કે યોગ્ય સમય કરતાં પહેલાં કે લાયકાત વગર કરી આપી, તેના બદલામાં મેળવેલ પૈસા કે ભેટને લાંચ કહી શકાય છે.

image source

જો વિગતે વાત કરીએ તો ભારતમાં ભ્રષ્ટાચારની શરૂઆત અંગ્રેજ સરકારના સમયગાળામાં થઇ હતી અને અંગ્રજોની કલકત્તાની કોઠીમાં તેના મૂળ નંખાયા તેવુ કહેવાય છે. ભ્રષ્ટાચારનાં અનેક કારણો પૈકીનું એક કારણ છે, શિક્ષણનો અને માહીતીનો અભાવ. શિક્ષણના અભાવને કારણે પ્રજા પોતાના હક્ક પ્રત્યે માહિતગાર હોતી નથી. આજે અહી તમને આપણા દેશના એવા વિભાગો વિશે જણાવી રહ્યા છીએ કે, જ્યાં સૌથી વધુ લાંચ લેવાય રહી છે. આપણા દેશમાં, સંપત્તિ નોંધણી અને જમીન બાબતોથી સંબંધિત ભારતમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર છે અને વધુમાં વધુ 26 ટકા લાંચના કેસો આ વિભાગ સાથે સંબંધિત છે. નિષ્ણાતો માને છે કે ભારતના ઘણા રાજ્યોમાં એકત્રીકરણનું કોઈ કારણ નથી અને પૂર્વજોના નામે જમીનના દસ્તાવેજોના નામ છે અને બીજું કારણ સંપત્તિના ભાવમાં ઝડપથી વધારાને પણ માનવામા આવી રહ્યુ છે.

image source

આપણે આસપાસ જોતા હોઇએ છીએ કે, મોટા શહેરોથી માંડીને નાના શહેરો સુધી, જમીનની છેતરપિંડી સંબંધિત કેસો સામે આવતા રહે છે. આ સિવાય પોલીસ દ્વારા ભ્રષ્ટાચાર અને લાંચ આપવાના કેસો બીજા નંબરે આવે છે. દેશમાં 19 ટકા લાંચના કેસો આ પોલીસ વિભાગ સાથે સંબંધિત જોવા મળતા હોય છે. થોડા સમય પહેલા જ આવી રીતે બિહારની રાજધાની પટણામાં લાંચ લેવાનો મોટો મામલો સામે આવ્યો હતો. આ કિસ્સાની વાત કરીએ તો, જ્યાં મહાત્મા ગાંધી સેતુ પુલ પર ઓવરલોડ વાહનોને ક્રોસ કરવામા આવતા હતા ત્યા લાંચ લેતા એક સાથે 45 પોલીસકર્મીઓનો ખુલાસો થયો હતો અને ત્યારબાદ આ બધાને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.

આ પછીના નંબરે આવતા વિભાગની વાત કરીએ તો, લાંચ લેવામા મ્યુનિસિપલ કાઉન્સિલ મનપા પણ પાછળ નથી. આ વિભાગ દ્વારા 13% લાંચના કેસો સામે આવ્યા છે. આવા ભ્રષ્ટાચારના શિકાર બનેલા બિહારની રાજધાની પટણાના એક વ્યક્તિએ જણાવ્યું હતુ કે, તેઓ તેમના ઘરનો નક્શો મેળવવા માટે મહિનાઓથી પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ મહિનાઓ સુધી તેમને હજુ પણ ઓફિસના ચક્કર લગાડવા પડી રહ્યા છે. તે કહે છે કે, આખરે કર્મચારીના પૈસા ચૂકવ્યા બાદ તેનું કામ થઈ ગયું.

image source

હવે વાત કરીએ તેના પછીના નંબરે આવતા વિભાગની તો તે છે વીજળી વિભાગ. આ વિભાગના સર્વેમાં સામેલ 3 ટકા લોકોએ વીજળી વિભાગને લાંચ આપવાનું કહ્યું છે. પ્રીપેઇડ મીટર રજૂ થયા બાદથી આ વિભાગમાં ભ્રષ્ટાચારના કેસોમાં ઘણો ઘટાડો થયો તેવું માનવામા આવી રહ્યુ છે. પરંતુ પૈસા આપી નવું જોડાણ કરવાવાનો તો કયારેક કપાયેલ જોડાણ જોડવા માટે લાંચ લેવામા આવતી હોય છે. થોડા મહિના પહેલા ઝારખંડના સહાયક ઇજનેર બિજલી વિટ્રન નિગમ લિમિટેડને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા 20 હજાર રૂપિયાની લાંચ લેતા ધરપકડ કરી હતી તેવી વાત સામે આવી હતી.

image source

ત્યારબાદ વાત કરીએ હવે પરિવહન વિભાગની. પરિવહન કચેરી સર્વેમાં સામેલ 13 ટકા લોકોએ પરિવહન કચેરીમાં લાંચ લેવાનું કહ્યું હતું. નિષ્ણાંતો કહે છે કે, હાઇવે ઉપર વાહનો પસાર કરવા અને ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાની કામગીરી માટે પરિવહન વિભાગના કર્મચારીઓ લાંચ લે છે. આવો એક કેસ ઉત્તર પ્રદેશમાં કેટલાક મહિના પહેલા સામે આવ્યો હતો. પ્રદૂષણના નામે કલેક્શનનો વીડિયો વાયરલ થયો હતો. તે વીડિયોએ પરિવહન વિભાગમાં ભારે ખળભળાટ મચાવી મુક્યો હતો.

image source

કર વિભાગ પણ આવા જ ભ્રષ્ટાચાર અને લાંચ લેવામા આગળ છે. સર્વેક્ષણ કરનારા 8 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ કરવેરા વિભાગને લાંચ આપતા હતા અને કરવેરા વિભાગમાં લાંચ લેતા એ બાબતનો અંદાજ લગાવી શકાય છે કે, ભ્રષ્ટાચારના આરોપી જે ટેક્સ અધિકારીઓ છે તેમના સામે કાર્યવાહી કર્યા બાદ સરકાર તેઓને બળજબરીથી રીટાયર્ડ કરી રહી છે. જળ વિભાગ માટે મળતી માહિતી મુજબ જણવા મળ્યું હતુ કે, 5 ટકા લોકોએ જળ વિભાગમાં લાંચ આપી છે અને 13 ટકા લોકોએ કહ્યું છે કે તેઓ અન્ય વિભાગોને લાંચ આપ્યાનુ સામે આવ્યુ હતુ.

image source

આ માટે થયેલા સર્વેની વાત કરીએ તો, ‘ભારત ભ્રષ્ટાચાર સર્વે 2019’ માં 20 રાજ્યોના 248 જિલ્લાના 1,90,000 લોકોએ ભાગ લીધો હતો. સર્વે અનુસાર, છેલ્લા 12 મહિનામાં 51 ટકા ભારતીયોએ એક વખત લાંચ આપી છે. ભારતમાં રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તામિલનાડુ, ઝારખંડ અને પંજાબમાં આ રાજ્યોમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર છે. જ્યારે દિલ્હી, હરિયાણા, ગુજરાત, પશ્ચિમ બંગાળ, કેરળ, ગોવા અને ઓડિશામાં આ રાજ્યોમાં ભ્રષ્ટાચાર ઓછો છે. વર્ષ 2018ની તુલનામાં 2019માં સમગ્ર ભ્રષ્ટાચારમા એકંદરે 10 ટકાનો ઘટાડો થયો હોવાનુ જાણવા મળ્યુ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version