ગૃહમંત્રી અમિત શાહે કોરોનાને આપી માત, ટેસ્ટ રિપોર્ટ આવ્યો નેગેટિવ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કોરોના વાયરસ ટેસ્ટ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે અને આ સંબંધમાં પોતે અમિત શાહ જાણકારી આપતા જણાવે છે કે, આજે મારો કોરોના વાયરસ ટેસ્ટ રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. હું ઈશ્વરને ધન્યવાદ કહું છું. અમિતા શાહ તા. ૨ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા.

image source

-બધાનો હ્રદયથી આભાર વ્યક્ત કરું છું : અમિત શાહ

-તા. ૨ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ કોરોના વાયરસ પોઝેટીવ આવ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના વાયરસ ટેસ્ટ રીપોર્ટ નેગેટીવ આવ્યો છે અને આ વિષે પોતે અમિત શાહ જાણકારી આપતા જણાવે છે કે, આજે મારો કોરોના વાયરસ ટેસ્ટ રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. હું ઈશ્વરને ધન્યવાદ આપું છું. અમિત શાહ તા. ૨ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ કોરોના વાયરસ રીપોર્ટ પોઝેટીવ આવ્યો હતો.

image source

ગૃહમંત્રી અમિત શાહએ આજે શુક્રવારના ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ કહ્યું છે કે, ‘આજે મારો કોરોના વાયરસ ટેસ્ટ રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. હું ભગવાનને ધન્યવાદ કરું છું અને આ સમયમાં જે લોકોએ મારા સ્વાસ્થ્ય લાભ માટે શુભ્કામ્ણપ આપીને મારા અને મારા પરિવાર જનોને આશા બંધાવી છે, તે બધાનો હું હ્રદયથી આભાર વ્યક્ત કરું છું. ડોક્ટર્સની સલાહ મુજબ હજી કેટલાક દિવસો સુધી હોમ આઇસોલેશનમાં રહીશ.

મેદાંતા હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો ઉપચાર. :

આ સાથે જ ગૃહમંત્રી અમિત શાહ કહે છે કે, ‘કોરોના વાયરસ સંક્રમણથી લડવામાં મારી મદદ કરનાર અને મારા ઉપચાર કરનાર મેદાંતા હોસ્પિટલના બધા ડોક્ટર્સ અને પેરામેડીકલ સ્ટાફનો પણ આભાર વ્યક્ત કરું છું.’

આની પહેલા તા. ૨ ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ પોતે જાણકારી આપતા જણાવ્યું હતું કે, તેઓ કોરોના વાયરસ પોઝેટીવ આવ્યા છે. અમિત શાહને મેદાંતા હોસ્પિટલમાં એડમિટ કરાવી દેવામાં આવ્યા હતા. કોરોના વાયરસ સંક્રમણના લક્ષણ જોવા મળ્યા પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના વાયરસ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જેમાં તેમનો રીપોર્ટ પોઝેટીવ આવ્યો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ તા. ૨ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ ટ્વીટ કર્યું, ‘કોરોના વાયરસ સંક્રમણના શરુઆતના લક્ષણ જોવા મળ્યા ત્યારે મેં ટેસ્ટ કરાવ્યો અને રીપોર્ટ પોઝેટીવ આવ્યો છે. મારી તબિયત ઠીક છે પરંતુ ડોક્ટર્સની સલાહ મુજબ હોસ્પિટલમાં એડમિટ થઈ રહ્યો છું. મારી વિનતી છે કે, આપના માંથી જે પણ લોકો છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા છો, કૃપા કરીને પોતાને આઇસોલેટ કરીને પોતાની તપાસ કરાવી લો.’

image source

ગૃહમંત્રી અમિત શાહના કોરોના પોઝેટીવ થયા પછી કેટલીક મોટી હસ્તીઓએ તેમના જલ્દી ઠીક થવાની પ્રાર્થના કરી. રક્ષા મંત્રી રાજનાથ સિંહએ ટ્વીટ કરીને કહ્યું, ‘અમિત જી, દરેક પડકારની સામે આપની દ્રઢતા અને ઈચ્છાશક્તિ એક મિસાલ રહી છે. કોરોના વાયરસનો આ મોટો પડકાર પણ આપ નિશ્ચિત રીતે વિજય પ્રાપ્ત કરશો, એવો મારો વિશ્વાસ છે. આપ જલ્દીથી જલ્દી સ્વસ્થ થઈ જાવ, આ મારી ભગવાનને પ્રાર્થના છે.’

image source

અમિત શાહના જલ્દી સ્વસ્થ થવાની કામના કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ કરી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથએ કહ્યું છે કે, ‘આદરણીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કોરોના વાયરસથી સંક્રમિત હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. અમિત શાહ દ્રઢ ઇચ્છાશક્તિના પ્રતિમાન છે.’

Source : aaj tak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત