મહિલાઓએ ગુરુવારના દિવસે ભૂલથી પણ ના કરવા જોઇએ આ કામો, નહિં તો ઘરમાં પડવા લાગશે પૈસાની તકલીફ
ગુરુવારના દિવસે વાળ નહી ધોવાની પાછળ એક દંતકથા રહેલ છે જેમાં જણાવ્યા મુજબ એક અમીર વ્યવસાયી વ્યક્તિ અને તેમની પત્ની રહેતા હતા. આ વ્યવસાયી વ્યક્તિની પત્ની સ્વભાવે ઘણી કંજૂસ હતી. તેને દાન આપવાનું પસંદ હતું નહી. એક વાર એક ભિક્ષુકએ તે અમીર વ્યવસાયી વ્યક્તિની પત્ની પાસે કઈક ખાવા માટે માગ્યું પરંતુ મહિલાએ આ ભિક્ષુકને ઉત્તર આપ્યો કે, તે અત્યારે ઘરના કામકાજમાં વ્યસ્ત છે તેઓ પછી આવે.
આવી રીતે તે ભિક્ષુક ઘણા દિવસો સુધી અલગ અલગ સમય પર આવતો રહે છે, પરંતુ આ ભિક્ષુકને દરેક વખતે આવા જ પ્રકારની વાતો કહીને મનાઈ કરી દેતી હતી કે, તે ઘરના કામોમાં વ્યસ્ત છે. એક દિવસ ભિક્ષુક આ અમીર વ્યવસાયીની પત્નીને પૂછે છે કે, તેઓની પાસે ક્યારે ખાલી સમય હોય છે? ભિક્ષુકની આ વાત સાંભળીને મહિલાને ક્રોધ આવી જાય છે અને ત્યારે આ મહિલા ક્રોધમાં એવું બોલે છે કે, તમે જણાવી દો કે, ખાલી કેવી રીતે રહી શકું છું? મહિલાને ક્રોધમાં આવી રીતે બોલતા સાંભળીને ભિક્ષુક કહે છે કે, બૃહસ્પતિ વારના દિવસે વાળ ધોઈ લેજો, તમે હંમેશાને માટે ખાલી થઈ જશો. અમીર વ્યવસાયીની પત્નીએ ભિક્ષુકની વાતને હાસ્યમાં ઉડાવી દે છે અને રોજ નિયમિત રીતે વાળ ધોવે છે તેવી રીતે જ ગુરુવારના દિવસે પણ વાળ ધોવે છે.
આ અમીર વ્યવસાયીની પત્નીએ સતત ગુરુવારના દિવસે વાળ ધોવાના લીધે તેમનું બધું જ ધન બરબાદ થઈ જાય છે. ત્યાર બાદ પાછળથી આ વ્યવસાયી દંપત્તિને અનુભવ થાય છે કે, ભિક્ષુકના વેશમાં સ્વયં ભગવાન વિષ્ણુ તેમના ઘરે ભોજનની માંગ કરવા માટે આવતા હતા.
ત્યાર બાદ તે મહિલાએ તે દિવસથી જ બૃહસ્પતિ વારના દિવસે વાળ ધોવાનું બંધ કરી દીધું અને ભગવાન બૃહસ્પતિની પૂજા- સેવા કરવાની શરુઆત કરી દીધી. આ મહિલા ભગવાન બૃહસ્પતિને પૂજા- સેવા દરમિયાન પીળા રંગના પુષ્પ અને ભોજન અર્પણ કરવા લાગે છે. ત્યાર બાદ ધીરે ધીરે તેઓ ફરીથી ખુશહાલ જીવનમાં પાછા ફરી જાય છે.
એક અન્ય માન્યતા મુજબ, બૃહસ્પતિ વાર, ભગવાન વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીની કરવા માટે પવિત્ર દિવસ હોય છે. આ દિવસે વાળ ધોવાથી આપને ભગવાન વિષ્ણુ અને માતા મ્હાલક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થતા નથી અને આપના ઘરમાં સંપન્નતા પણ રહેતી નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત