દેશભરમાં આજે એટલે કે 21 જૂને થવા જઈ રહેલા સૂર્યગ્રહણ બાદ કુદરતી આફતો, મહામારી જેવી અમંગળ ઘટનાઓમાં ઘટાડો થશે તેવી આશા સેવાઈ રહી છે. જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાંત અનુસાર 1982 બાદ આ પહેલીવાર ચક્રાકાર સૂર્યગ્રહણ અને ગ્રીષ્મ સંક્રાંતિ એક જ દિવસે છે. હવે આવો પ્રસંગ બીજી વખત 21 જૂન 2039માં આવશે.
આ ગ્રહણ આજે સવારે 9:15 વાગ્યાથી શરૂ થઈને બપોરે 3:04 વાગ્યા સુધી રહેશે. આ સૂર્યગ્રહણની સમયમર્યાદા અંદાજે છ કલાકની રહેશે. બપોરે 12:10 કલાકે આ ગ્રહણ પોતાના શીખર પર હશે એટલે કે ચંદ્રમા સૂર્યનો લગભગ 99 ટકા ભાગને ઢાકી લેશે. જો કે આ દ્રશ્ય માત્ર અમુક સેકન્ડ માટે જ દેખાશે.
આ સિવાય આ ગ્રહણ જેઠ મહિનાની અમાસે હોવાથી ધાર્મિક દ્રષ્ટિએ તેનું મહત્વ વધી જાય છે. જેઠ માસની અમાસને હલહારિણી અમાસ કહેવામાં આવે છે. આ દિવસે ખેડૂતો હળ અને ખેતીના અન્ય ઉપકરણોની પૂજા કરે છે. કારણ કે આ અમાસ બાદ વર્ષા ઋતુનો પ્રારંભ થાય છે. જેઠ અમાસે ગંગા સ્નાન, દાન અને પિતૃઓની તૃપ્તિ માટે તર્પણનું વિશેષ મહત્ત્વ હોય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે દાન કરવાથી વિશેષ પુણ્યફળ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણી લો કે કઈ રાશિના વ્યક્તિએ કઈ વસ્તુનું કરવું જોઈએ દાન.
મેષ –
મનોકામના પૂરી કરવા માટે લાલ કપડાં, ઘઉં અને તલનું દાન કરો.
વૃષભ –
સફેદ વસ્તુ જેવી કે તલ, દૂધનું દાન કરવાથી લાભ થશે.
મિથુન –
યથાશક્તિ ગણેશ મંદિરમાં દાન કરો,ગાયને લીલું ઘાસ ખવડાવો.
કર્ક –
દૂધથી બનેલી મીઠાઈઓ અને સફેદ કાપડનું દાન કરો.
સિંહ –
કપડાનું અથવા ધાબળાનું દાન કરો.
કન્યા –
લીલા મગ, અનાજને કાંસાના વાસણમાં રાખી દાન કરો.
તુલા –
મંદિરમાં ફળ તેમજ ઘી દાન કરો.
વૃશ્ચિક –
સોનું, તાંબુ અથવા કેસરનું દાન કરવું જોઇએ.
ધન –
મંદિરમાં હળદર, ચણાની દાળ અથવા કોઈ પીળી વસ્તુનું દાન કરો.
મકર –
કાળા તલનું અથવા અન્ય કોઈ કાળી વસ્તુનું દાન કરો.
કુંભ –
તેલ, ઊનના કપડા અને લોખંડનું દાન ઉત્તમ રહેશે.
મીન –
પીળી વસ્તુઓ, ધર્મગ્રંથ, મધનું દાન કરી શકો છો.
હમણાં જ જાણો સૂર્યગ્રહણ ૨૦૨૦ જે ૨૧ જૂનનાં થવાનું છે તેનો સમય, મહત્વ, સ્થળ, નિયમો, તમારી રાશિ પર તેની અસર અને તેનાથી થવાના લાભ અને હાનિ –
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત