Site icon News Gujarat

શાસ્ત્રો મુજબ હાથના આ ભાગ પર તલ બનશે તમારા માટે અનહોનીનું કારણ, આજે જ જાણી લો કેવી રીતે..

મિત્રો, આપણો દેશ એ પૌરાણિક અને ધાર્મિક સંસ્કૃતિ પર ચાલતો દેશ છે. અહી બનતો તમામ ઘટનાઓ પાછળ કોઈ ને કોઈ ધાર્મિક તથ્ય અવશ્યપણે છુપાયેલુ હોય છે. અહીના લોકો ધાર્મિક પરંપરાઓ પર અતુટ વિશ્વાસ ધરાવે છે. કોઈપણ કાર્યની શરૂઆત કરતા પૂર્વે દેવી-દેવતાઓને યાદ કરીને જ પછી આગળ વધે છે.

image source

આ કારણોસર જ જ્યારે પણ વ્યક્તિ જીવનમા કોઈ કાર્ય હેતુસર આગળ વધતો હોય ત્યારે તેને સહુભ અને અશુભ સંકેત ભગવાન દ્વારા આપવામા આવતા હોય છે. આ સંકેતો હોય છે સાવ સરળ પરંતુ, આપણે સમજી શકતા નથી. તો ચાલો આ અંગે હજુ થોડી આગળ વિસ્તૃત ચર્ચા કરીએ.

image source

શું તમને ખ્યાલ છે કે, તમારી હથેળી પર તિલ શા માટે છે? તે કેવી રીતે આવ્યુ? તમારી હથેળી પર રહેલુ આ તિલ શું સૂચવે છે? આવા અનેકવિધ પ્રશ્નો તમારા મનમા ઘણીવાર આવતા હશે પરંતુ, તમારી પાસે તેનો યોગ્ય જવાબ ના હોવાના કારણે તમે તેને ટાળતા હોવ છો. તો ચાલો આજે આપણે આ પ્રશ્નોના જવાબ મેળવીએ.

image source

હસ્તરેખાશાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિની હથેળીમાં જીવનરેખા પર તિલ હોય તો તે આપણા સ્વાસ્થ્ય માટે જરાપણ સારુ માનવામા આવતુ નથી. જો આ રેખા પર તમને તિલ જોવા મળે છે તો પછી તમને કોઈ ગંભીર બીમારી પણ થઇ શકે છે.આ સિવાય જો મગજની રેખા પર તિલ હોય તો વ્યક્તિએ મસ્તિષ્ક સાથે સંકળાયેલી અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

આ સિવાય હસ્તરેખાશાસ્ત્ર મુજબ, જો કોઈ વ્યક્તિની હ્રદયની રેખા પર તિલ હોય તો તે પણ આપણા સ્વાસ્થ્ય માટે સારુ માનવામાં આવતું નથી. આ સિવાય જો ઓઈ વ્યક્તિની ભાગ્ય રેખા પર પણ તિલ જોવા મળે તો પછી આવા વ્યક્તિએ પણ આખા જીવનમા કોઈપણ પ્રકારનો સંઘર્ષ કરવો પડે છે. તે જ સમયે જો કોઈ વ્યક્તિની લગ્નરેખા પર તિલ છે, તો આવી વ્યક્તિના લગ્ન દરમિયાન અનેકવિધ સમસ્યાઓ આવી શકે છે.

image source

આ ઉપરાંત જો તમે હસ્તરેખાશાસ્ત્ર મુજબ, તમારી હથેળીમા સૂર્ય પર્વત પર તિલ હોય તો તે પણ અશુભ માનવામા આવે છે. એવુ કહેવામાં આવે છે કે, આ તિલ તમારા માન-સન્માનને હાની પહોંચાડે છે. આ સિવાય ઘણીવાર તેમણે અન્યની ભૂલો બદલ સજા ભોગવવી પડે છે.

તે જ સમયે, જો બુધ પર્વત પર તિલનુ નિશાન હોય, તો તે લોકોએ પણ આવનાર સમયમા એકાએક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. હથેળીને લીધે જીવનમા આવતી તમામ મુશ્કેલીઓથી બચવા માટે નિષ્ણાતની સલાહથી ઉપાય કરી શકાય છે અને આ સમસ્યાઓથી રાહત મેળવી શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version