જો તમે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી બચવા માંગો છો તો આ ચીજોનું સેવન ન કરો.
ખરાબ જીવનશૈલીને કારણે, હાલના યુવાનોમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા સામાન્ય થવા લાગી છે. તેને ખૂબ જ શરૂઆતમાં જ રોકવું યોગ્ય છે, જેથી તે ભવિષ્યમાં ગંભીર પરિસ્થિતિનું સર્જન ન કરે. એક સમય હતો જ્યારે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને વૃદ્ધોની સમસ્યા માનવામાં આવતી હતી કારણ કે તે વય સાથે સંકળાયેલ તરીકે જોવામાં આવતી હતી. પરંતુ આજકાલ યુવાનોમાં પણ આ સમસ્યા સામાન્ય બની રહી છે. નિષ્ણાતોના મતે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા આપણા ખોટા આહાર અને ખરાબ જીવનશૈલીનું પરિણામ છે. જો કે, ઘણા લોકો આ સમસ્યાને ગંભીરતાથી લેતા નથી. પરંતુ અમે તમને જણાવી દઈએ કે હાઈ બ્લડ પ્રેશર તમારા જીવનને પણ જોખમમાં મૂકી શકે છે. તેથી, આ સમસ્યાને શરૂઆતમાં જ નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આજે અમે તમને હાઈ બ્લડ પ્રેશર એટલે શું અને આ સમસ્યા દરમિયાન કઈ ચીજોનું સેવન ટાળવું જોઈએ, તે વિશે વિગતવાર જણાવીશું.
હાઈ બ્લડ પ્રેશર એટલે શું ?
ડોકટરના જણાવ્યા મુજબ, હાઈ બ્લડ પ્રેશર સાયલન્ટ કિલર તરીકે ઓળખાય છે. એક વ્યક્તિનું હૃદય ધમનીઓ દ્વારા શરીરમાં લોહી પમ્પ કરે છે. ધમનીઓમાં વહેતા લોહી માટે ચોક્કસ દબાણ જરૂરી છે. પરંતુ કેટલાક કારણોસર, જ્યારે આ દબાણ વધે છે, ત્યારે ધમનીઓ દબાણ હેઠળ હોય છે અને તેને હાઈ બ્લડ પ્રેશર કહેવામાં આવે છે. હાર્ટ એટેક અથવા સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યા ન આવે ત્યાં સુધી ઘણા લોકો સામાન્ય રીતે કોઈ લક્ષણો જોતા નથી. કેટલાક લોકોને માથાનો દુખાવો, નાકમાંથી લોહી નીકળવું, શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવું, છાતીમાં દુખાવો અથવા યુરિનમાં રક્તસ્રાવ જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો તમને તમારા શરીરમાં કોઈપણ રીતના ફેરફારો દેખાતા હોય અથવા તમને તમારા શરીરની અંદર કોઈપણ પ્રકારનો ફેરફાર લાગતો હોય, તો તરત જ તમારા ડોક્ટરની સલાહ લો અને તેમના કેહવા પ્રમાણે તમારા શરીરની બરાબર રીતે તપાસ કરવો.
હાઈ બીપીના દર્દીઓએ આ વસ્તુઓ ટાળવી જોઈએ
કોફી
કેફીન બ્લડ પ્રેશર વધારવાનું કામ કરે છે, તેથી નિષ્ણાતો ક્યારેય હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને કોફી લેવાની સલાહ આપતા નથી. જો તમે પણ આ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યા છો, તો પછી કોફીનું સેવન ન કરો.
પેકેજ્ડ ખોરાક
પેકેજ્ડ ફૂડમાં સામાન્ય રીતે ઉંચી માત્રામાં સોડિયમ હોય છે. સોડિયમ ધરાવતી કોઈપણ વસ્તુ બ્લડ પ્રેશર વધારવાનું કામ કરે છે. તેથી, બજારના પેકેજ્ડ ખોરાકને બદલે, ઘરે તંદુરસ્ત ખોરાક લો.
પીનટ બટર
પીનટ બટર ચરબી વધારનાર ખોરાક તરીકે ઓળખાય છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે વજન વધવું સારું નથી. આ સિવાય પીનટ બટરમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય છે, જે બ્લડ પ્રેશર વધારવાનું કામ કરે છે. તેથી, હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ પીનટ બટર ન ખાવું જોઈએ.
મીઠું
મીઠું હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓનું દુશ્મન કહેવાય છે કારણ કે મીઠામાં ઘણું સોડિયમ હોય છે. જો તમે પણ હાઈ બ્લડ પ્રેશરના દર્દી છો તો મીઠાનું સેવન ઓછું કરો. ખાદ્ય પદાર્થોમાં જો મીઠું ઓછું હોય, તો ક્યારેય ઉપરથી મીઠું ઉમેરીને ન ખાવું જોઈએ. તે વધુ સારું છે કે તમે ખોરાકમાં દરિયાઈ મીઠાને બદલે સિંધવ મીઠુનો ઉપયોગ કરો.
પ્રોસેસ્ડ માંસ
પ્રોસેસ્ડ માંસમાં સોડિયમની માત્રા પણ ઘણી વધારે હોય છે. તેને સાચવવા માટે મીઠું ઉમેરવામાં આવે છે. તેથી, પ્રોસેસ્ડ માંસ ન ખાવું જોઈએ. આ સિવાય ચટણી, અથાણું, ચીઝ અથવા બ્રેડ સાથે માંસ ખાવાથી સમસ્યા ઝડપથી વધે છે. તેથી, હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ પ્રોસેસ્ડ માંસનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
આલ્કોહોલનું સેવન ન કરો
આલ્કોહોલનું સેવન કરવાથી શરીર પર નકારાત્મક અસર પડે છે. આલ્કોહોલમાં ઘણી બધી કેલરી હોય છે, જે બ્લડ પ્રેશરની સમસ્યા વધારવાનું કામ કરે છે.