પત્નિને પતિના લફરાની ખબર પડતાં પતિએ કહ્યું, ‘હું તો આવી બીજી પાંચ..પૂરી ઘટના વાંચીને તમને પણ પતિ પર આવી જશે ગુસ્સો
બાબરિયા કોલોનીમાં આવેલ સાસરીમાં અને ગાંધીધામના આદિપુરમાં આવેલ પિયર ધરાવતી મહિલાને તેના પતિએ લગ્નની પ્રથમ રાત્રે જ દારૂ પીધા પછી કોઈપણ વાત કર્યા વગર જ પસાર કરી. ત્યાર પછી રોજે રોજની નાની નાની વાતો માટે હેરાન કરવા લાગ્યા.
ઉપરાંત અન્ય કોઈ મહિલા સાથે પતિના સંબધ હોવાની વાત જાણ થતા તકલીફ દર્શાવતા તેના પતિએ કહ્યું કે, ‘હું તો આવી બીજી પાંચ રાખું….મને તારામાં રસ નથી’ આવું કહીને ફરીથી હેરાન કરવા લાગે છે. ઉપરાંત આજથી અંદાજીત બે મહિના પહેલા મારઝૂડ કરીને ઘરની બહાર કાઢી મુકતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવામાં આવી છે. આ ફરિયાદમાં પરિણીતાએ પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દેવામાં આવી છે.
મહિલા પોલીસ સ્ટેશનમાં આ વિષે તાજેતરમાં પિતા માનસિંહજી કાળુસિંહજી ગોહિલના ઘર પર ગાંધીધામના આદિપુર- ૪૩, મેગપર કુંભારડી, માંગલ્ય રેસીડેન્સીમાં રહેતા મનીષાબ ધર્મેન્દ્રસિંહ પરમાર (ઉ. વ. ૨૪) ની ફિરયાદમાં જણાવ્યા મુજબ રાજકોટની બાબરિયા કોલોની- ૫/૬ના કોર્નરમાં રહેતા મનીષાબાના પતિ ધર્મેન્દ્રસિંહ સબળસિંહ પરમાર, મનીષાબાના સસરા સબળસિંહ જશુભા પરમાર અને સાસુ ધર્મિષ્ઠાબા સબળસિંહ પરમાર વિરુદ્ધ આઈપીસીની ધારા ૪૯૮ (ક), ૩૨૩, ૫૦૪, ૧૧૪ ની સાથે જ દહેજ પ્રતિબંધિત ધારાની કલમો અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.
મનીષાબા ધર્મેન્દ્રસિંહ ગોહિલએ પોતાની ફરિયાદમાં જણાવે છે કે, તેઓ અત્યારે માતા- પિતાની સાથે ઘરે રહે છે. તેમના લગ્ન બે વર્ષ પહેલા ૫-૨-૨૦૧૮ના રોજ રાજકોટની બાબરિયા કોલોનીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ સબળસિંહ ગોહિલ સાથે કરવામાં આવ્યા છે. મનીષાબા લગ્ન પછી રાજકોટની બાબરિયા કોલોનીમાં રહેવા લાગ્યા હતા. મનીષાબાના પતિ ધર્મેન્દ્રસિંહ ગોહિલએ લગ્નની પહેલી રાત દરમિયાન જ દારૂ પીને રૂમમાં આવ્યા અને મનીષાબા સાથે વાત પણ કરી નહી.
મનીષાબા આ કારણના લીધે આખી રાત રડતા રહ્યા હતા. મનીષાબાએ એક અઠવાડિયા સુધી સહન કરતા રહ્યા હતા. પણ જયારે આ વાતની ફરિયાદ સાસુ- સસરાને કરી ત્યારે સાસુ- સસરાએ એવું કહ્યું કે, આપણામાં તો બધા જ આવી રીતે દારૂ પીવે છે આ વાતમાં માટે તુ બક બક કેમ કરે છે ? ફરિયાદમાં આક્ષેપો પણ કરવામાં આવ્યા છે કે, તેમને નાની નાની બાબતોમાં મેણા ટોણા મારવામાં આવતા હતા.
માતા- પિતાએ લગ્ન સમયે આપેલ ઘરેણા અને પૈસા લાવવાનું કહીને પણ હેરાન કરવામાં આવતી હતી. ઉપરાંત બીજું મોટું ઘર લેવા માટે પણ મનીષાબા પર તેમના સાસુ સસરાએ વારંવાર પૈસા માંગવામાં આવતા હતા. એકવાર મનીષાબાના મોટાબહેન હેતલબાની પાસેથી પણ મનીષાબાના સાસુ- સસરાએ અંદાજીત ૨૫ લાખ રૂપિયા માંગવામાં આવ્યા હતા.
પતિ ધર્મેન્દ્રસિંહ ગોહિલએ પોતાના માતા પિતાના કહેવાના લીધે મનીષાબા સાથે બોલાવવાનું બંધ કરી દીધું હતું. ત્યાર પછી મનીષાબ પોતાના માતા- પિતાના ઘરે પાછા આવી જાય છે. ત્યાર પછી મનીષાબા અને તેમના સાસરી પક્ષના સભ્યો સાથે સમજાવટ કરીને પાછા મોકલવામાં આવ્યા હતા. પરંતુ ત્યાર પછી મનીષાબાને સાસરીના સભ્યોએ ફરીથી હેરાન કરવાનું શરુ કરી દીધું હતું.
ત્યાર પછી એક દિવસ પતિનો મોબાઈલ ફોન તપાસતા મોબાઈલમાં કોઈ વિભા નામની મહિલા સાથે અફેર ચાલી રહ્યું છે તેવી જાણ થઈ અને જયારે આ બાબતે પતિ સાથે વાત કરી ત્યારે પતિ ધર્મેન્દ્રસિંહએ એવું કહ્યું કે, ‘હું આવી પાંચ રાખું… મને તારામાં કોઈ રસ નથી, આ તો ફક્ત સમાજમાં દેખાડવા માટે ટુ મારી પત્ની છો…’ આવું કહીને મનીષાબાના પતિએ વારંવાર ત્રાસ ગુજારતા હતા. અંદાજીત બે મહિના અગાઉ મનીષાબાનો બે તોલા સોનાનો ચેન તેમના પતિએ વેચી દીધો હતો.
આ સાથે જ મારપીટ પણ કરી હતી. ત્યાર પછી કાકાના ઘરે નવાણીયા ગામમાં મનીષાબાને મુકવા ગયા હતા. તેના બે દિવસ પછી ફરીથી તેમના પતિ મનીષાબાને રાજકોટ લઈને આવ્યા હતા. ત્યારપછી ફરીથી મનીષાબાને મારપીટ કરીને ઘરેથી કાઢી મુકવામાં આવ્યા હતા. તે દિવસથી મનીષાબા પોતાના માતા પિતા સાથે રહે છે. પતિ લેવા નહી આવવાના કારણે અંતે ફરિયાદ કરવા મજબુર થવું પડ્યું છે. મનીષાબાએ આવા જ આક્ષેપો પોતાની ફરિયાદમાં લગાવ્યા છે. પીઆઈ એસ. આર. પટેલના માર્ગદર્શનમાં પીએસઆઈ એ. જે. લાઠીયા વધારે તપાસ કરી રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત