પ્રધાનમંત્રી જનધન યોજનાએ ઘણા પરિવારો નું ભવિષ્ય સુરક્ષિત કર્યું છે. પ્રધાનમંત્રી જનધન દેશના દરેક ગરીબ વ્યક્તિ ને બેંકિંગ સિસ્ટમ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં લગભગ બેતાલીસ કરોડ ત્યાસી હજાર જનધન ખાતા લગભગ એક લાખ તેતાલીસ હજાર કરોડ રૂપિયાના બેલેન્સ સાથે ખોલવામાં આવ્યા છે.
આ યોજના હેઠળ ચૌદ ટકા એટલે કે પાંચ કરોડ બ્યાસી હજાર ખાતા નિષ્ક્રિય છે. મહિલાઓના નિષ્ક્રિય ખાતાઓ ની સંખ્યા લગભગ બે કરોડ છે. એટલે કે આ ખાતાઓમાં કોઈ વ્યવહાર થઈ રહ્યો નથી. જાણવા મળ્યું છે કે આરબીઆઈના નિયમ મુજબ જ્યારે ખાતામાં સતત બે વર્ષ કે તેથી વધુ સમય સુધી કોઈ વ્યવહાર ન હોય ત્યારે તે ખાતું નિષ્ક્રિય થઈ જાય છે. એટલે કે આ પાંચ કરોડ બ્યાસી લાખ જનધન ખાતાઓમાં ઓછામાં ઓછા બે વર્ષ થી કોઈ વ્યવહાર કરવામાં આવ્યા નથી.
આ ચિંતા નો વિષય છે કારણ કે સરકાર અને ગ્રામીણ રોજગાર ગેરંટી ની તમામ કલ્યાણકારી યોજનાઓ હેઠળ આ ખાતાઓ ને નાણાં મોકલવામાં આવે છે. એકાઉન્ટ ઇનઓપરેટિવ હોવાનો અર્થ એ છે કે તમને તમારા ખાતામાં પૈસા મળી શકે છે પરંતુ, તમે તે પૈસા ઉપાડી શકશો નહીં. આવી સ્થિતિમાં તમારે તેને ટ્રાન્ઝેક્શન માટે ફરીથી એક્ટિવેટ કરવું પડશે.
જનધન યોજના વિશે વાત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ પહેલ “પરિવર્તનકારી” રહી છે, અને ગરીબી નાબૂદ કરવા માટે લેવામાં આવેલા પગલાં નો પાયો સાબિત થઈ છે. ૨૦૧૪મા ભાજપ સત્તામાં આવી ત્યાર થી સરકારની આ પહેલી મોટી યોજના હતી, જે અંતર્ગત કરોડો લોકોના બેંક ખાતા, ખાસ કરીને ગરીબો ને ખોલવામાં આવ્યા હતા. આ પહેલ એક નોંધપાત્ર પરિવર્તન રહ્યું છે, જે ઘણી ગરીબી નિવારણ પહેલો નો પાયો સાબિત થયો છે, અને લાખો લોકો ને લાભ થયો છે.
બીજી તરફ નાણાં પ્રધાન નિર્મલા સીતારામ ને આ યોજના વિશે કહ્યું હતું કે, જનધન યોજના મોદી સરકાર ની પીપલ્સ સેન્ટ્રિક ઇકોનોમિક ઇનિશિએટિવ્સ નો પાયો રહી છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, કોવિડ-૧૯ નાણાકીય સહાય, પીએમ-કિસાન, મનરેગા હેઠળ પગાર વધારો હોય કે જીવન અને આરોગ્ય વીમા કવર હોય, પહેલું પગલું તમામ પુખ્ત વયના લોકો ને બેંક ખાતા આપવાનું હતું, જે પીએમજેડીવાય દ્વારા લગભગ પૂર્ણ થઈ ગયું છે.