Site icon News Gujarat

જનેતાના નામ પર કલંક છે અ’વાદની આ માતા, પ્રેમી સાથે ખેલ ખેલવા કૂખેથી પેદા કરેલી ફૂલ જેવી દીકરીને મારી નાખી

ગુજરાતમાં બાળકોના ગુમ થવાના અને મોત થવાના કેસમાં ઘણો વધારો થયો છે. એમાં પણ અમદાવાદ જેવા મોટા શહેરોમાં આવા કિસ્સાઓ અવાર નવાર પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે ફરી એકવાર ભયંકર કિસ્સો સામે આવતા અમદાવાદમાં માતા પિતાને ચિંતા વધી હતી. પરંતુ આખા મામલાની તપાસ હાથ આવી ત્યારે કારણ કંઇક બીજું જ બહાર આવ્યું હતું. હાલમાં અમદાવાદમાં રૂવાંડા ઉભા કરી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. 3 દિવસ પહેલા અમદાવાદના ગોતા હાઉસિંગમાંથી 7 વર્ષની બાળકી ગુમ થઇ હતી તેનો મૃતદેહ આજે મોડી રાતે પોલીસને મળ્યો હતો. ત્યારબાદ જનેતા પર ચારેકોર થું થું થઈ રહ્યું છે.

કોણ હતી આ બાળકી

image source

સોલાનાં ગોતા હાઉસિંગમાં રાજેશભાઈ રાઠોડ પત્ની જલ્પા તથા ત્રણ સંતાનો સાથે રહેતા હતા. તા. 12 સપ્ટેમ્બર રાત્રે 8.30 વાગ્યે રાજેશભાઈની પુત્રી ખુશી (ઉ.વ.7) ગુમ થઈ ગઈ હતી.

પ્રેમ સંબંધમાં કારણે ગયો માસૂમનો જીવ

3 દિવસ પહેલા શહેરના ગોતા વિસ્તારમાં આવેલ હાઉસિંગમાંથી ઘરની બહાર રમતા-રમતા ગુમ થયેલી બાળકીનો મૃતદેહ ઓગણજ ટોલનાકા પાસેથી હત્યા કરેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસને આઆ બનાવ અંગેની જાણ થતાં જ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. જો કે, આ હત્યા અંગે પ્રાથમિક માહિતી પ્રમાણે દીકરીની માતાને અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો અને તેના કારણ કદાચ તેની ઘાતકી હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે. પરંતુ ત્યારે માત્ર અટકળો હતી. કોઈ પાક્કી માહિતી સામે આવી રહી નોહતી.

image source

ક્રાઇમબ્રાંચ દ્વારા ગણતરીના કલાકોમાં જ સમગ્ર કેસ ઉકેલી નાખવામાં આવ્યો

અમદાવાદના સોલા વિસ્તારમાં એક બાળકી ગુમ થઈ ગઈ હતી અને જે મામલે સોલા પોલીસ સ્ટેશનમાં તેના પરિવારજનોએ ગુમ થયાની ફરિયાદ પણ દાખલ કરી હતી. જોકે પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ કરી રહી હતી પરંતુ કોઈ સફળતા હાથ લાગી નહોતી. ત્યારબાદ આ સમગ્ર કેસ ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવી હતી. ક્રાઇમબ્રાંચ દ્વારા ગણતરીના કલાકોમાં જ સમગ્ર કેસ ઉકેલી નાખવામાં આવ્યો હતો. બાળકીની માતા અને તેના કથિત માનેલા ભાઇ દ્વારા બાળકીની હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો પોલીસ સુત્રો જણાવી રહ્યા છે. બાળકીનો મૃતદેહ ઓગણજ પાસેથી મળી આવ્યો હતો.

image source

ભીખાભાઈ મિસ્ત્રી નામના વ્યક્તિની અટકાયત

જેવી જ આ ઘટનાની જાણ થઈ કે તરત સ્થાનિક પોલીસ અને ક્રાઇમબ્રાંચના ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ અંગે સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે પાડોશમાં રહેતા ભીખાભાઈ મિસ્ત્રી નામના વ્યક્તિની અટકાયત કરી હતી. તેની પુછપરછમાં બહાર આવ્યું હતું કે તેની માતાના કહેવાથી ખુશીને લઈ જઈ ગળું દબાવી હત્યા કરી ઓગણજ ટોલનાકા પાસે આવેલા ખેતરમાં ફેંકી દીધી હતી. જલ્પાને ત્રીજા લગ્ન કરવા હોવાથી આમ કર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જો કે આ અંગે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. સાચું કારણ બહાર આવે પરિવાર એની રાહ જોઈ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version