જન્મોજન્મનો સંગાથ: મોત પછી પણ ન છૂટ્યો સાથ, પતિ-પત્ની વચ્ચે એવો પ્રેમ કે બન્નેની એકસાથે ઉઠી અર્થી, પૂરી ઘટના વાંચી આંખમાંથી આસું વહેવા લાગશે

હિન્દુ શાસ્ત્ર પ્રમાણે લગ્ન જીવનને સાત જન્મોનું બંધન માનવામાં આવે છે. ભારતીય મહિલાઓ પણ પોતાના વ્રતમાં સાત જનમ સુધી આ જ પતિ મળે તેવી કામના કરે છે. તો બીજી તરફ સમાજમાં બહુ ઓછા એવા કિસ્સા બને છે જેમા પતિ-પત્ની બન્નેની જન્મ તારીખ અને મોતની તારીખ એક જ હોય છે. પરંતુ આવી ઘટના સામે આવી છે ગુજરાતના મોરબી વિસ્તારમાં જ્યારે એક દંપત્તિના મોત બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

ચાર કલાકની અંદર જ બન્ને પતિ પત્નીના મોત

image source

કારણ કે માત્ર ચાર કલાકની અંદર જ બન્ને પતિ પત્નીના મોત થતા લોકો તેમના પ્રેમ સંબંધને જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે. અગ્નિની સાક્ષીએ આપેલા સાથે જીવવા મરવા કોલને આ દંપત્તિએ ચરિતાર્થ કરી બતાવ્યો છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે રાજ્યના મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ ગામે એક જ દિવસે જન્મેલા પતિ પત્નીનું મોત પણ એક જ દિવસે થયું છે. વલમજીભાઈના મોતના ચાર કલાક બાદ તેમના પત્ની દયાબેનનું મૃત્યુ થતા લોકો અચંભામાં પડી ગયા છે.

વલમજીભાઈ અને તેમના પત્ની દયાબેનની જન્મા તારીખ એક

image source

આ અંગે વિગતે વાત કરીએ તો મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ ગામના વતની વલમજીભાઇ ગણેશભાઈ વામજા તેમની ઉંમર 58 વર્ષની હતી અને તેમના પત્નીનું નામ દયાબેન વલમજીભાઈ વામજા છે. તો બીજી તરફ નવાઈની વાત તો એ છે કે, વલમજીભાઈ અને તેમના પત્ની દયાબેનની જન્મા તારીખ એક છે અને 28 તારીખના રોજ બંને પતિ -પત્નીના એક સાથે મોત થતા મોતની તારીખ પણ એક જ થઈ ગઈ છે.

સવારે 9 વાગ્યે વલમજીભાઈનું નિધન થયું

તમને જણાવી દઈએ કે 28 તારીખના સવારે 9 વાગ્યે વલમજીભાઈનું નિધન થયું હતુ ત્યારબાદ તેમના પત્ની દયાબેને પણ 1 વાગ્યાની આસપાસ આ દુનિયા છોડી સ્વર્ગ સિધાવ્યા હતા. આ બન્ને પતિ પત્નીના મૃત્યુ વચ્ચે ફકત ચાર કલાકનો સમયગાળો હતો તમને જણાવી દઈએ કે બને પતિ-પત્નીની જન્મ તારીખ 16/4/64 એક જ દિવસે છે. આવી ઘટના ભાગ્યે જ બનતી હોય છે.

image source

તેમની આંખમાંથી આસૂ સરવા લાગ્યા હતા

આપણા હિન્દૂ શાસ્ત્ર પ્રમાણે ભગવાન એક બીજાના જોડા પસંદ કરતા હોય છે અને જીવન મરણ પણ તે જ નક્કી કરતા હોય છે. જો કે હાલમાં ટંકારા ખાતે બનેલી આ ઘટનાએ સૌને વીચારતા કરી દીધા છે. કારણ કે કોઈ પણ દંપત્તીની જન્મ તારીખ અને મોતની તારીખ ભાગ્યે જ જોવા મળે છે. અહિયાં તમામ લોકો આ દંપત્તિના આત્માને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના કરી રહ્યા છે અને આ અલૌકિક ઘટના અંગે વાત કરતા તેમની આંખમાંથી આસૂ સરવા લાગ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : trishulnews)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!