Site icon News Gujarat

બે બહેનો પરણીને આવી એના 4 દિવસ થયા, ત્યાં જ સાસુ સસરાએ પ્રકોપ બતાવ્યો અને ધરાર કરાવ્યો વર્જિનિટી ટેસ્ટ

મહારાષ્ટ્રની બે બહેનોએ સાસુ-સસરા પર આરોપ લગાવ્યો છે કે તેઓને તેમના લગ્ન પછીના 4 દિવસ પછી જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આરોપ છે કે સાસુ-સસરાએ લગ્ન પછી તે બંને બહેનોની ‘વર્જિનિટી ટેસ્ટ’ કરાવી હતી. એટલું જ નહીં, જ્યારે તેમાંથી કોઈ એક કથિત રીતે આ ટેસ્ટમાંથી નિષ્ફળ ગઈ ત્યારે તેના પતિ દ્વારા છૂટાછેડા લેવામાં આવ્યા હતા. બંને બહેનોના પતિઓને સમુદાય પંચાયતમાંથી છૂટાછેડા લેવાની મંજૂરી આપવામાં આવી હતી.

image source

એક બહેને પોલીસને પત્ર લખીને પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. તેણે લખ્યું છે કે ‘તેણીના લગ્ન કર્ણાટકના બેલગામમાં થયા હતા અને લગ્નના 4 જ દિવસ પછી તેણીના સાસરિયાઓએ ત્રાસ આપ્યો હતો. તે બંને બહેનોના વર્જિનિટી ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને 5 મા દિવસે કર્ણાટકથી કોલ્હાપુર પરત મોકલવામાં આવી હતી. ગયા વર્ષે નવેમ્બર 2020માં કોલ્હાપુરના કંજરભાટ સમુદાયની બે બહેનોના લગ્ન તેમના જ સમુદાયમાં થયા હતા. જો પીડિતાનું માનીએ તો, ‘તેના પરિવારે સાસરિયાઓને ઘણું સમજાવ્યું હતું, પરંતુ તેઓએ તેઓની વાત સાંભળી નહીં અને ફેબ્રુઆરીમાં સમુદાયની પંચાયતે તેણીને છૂટાછેડા જાહેર કર્યા.’

image source

આ મામલો ફક્ત છૂટાછેડા સાથે જ સમાપ્ત થયો એવું નથી, બહેનોએ મદદ માટે મહારાષ્ટ્ર અંધશ્રધ્ધા નિર્મુલન સમિતિનો સંપર્ક કર્યો. આ પછી બંનેએ તેમના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસની ગંભીરતા જોઈને પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં ગઈ હતી અને આ મામલે પતિ અને સાસરિયાઓ સહિત 8 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો. આ સિવાય બંને બહેનો પણ તેમના પતિ ઉપર બળાત્કારની ફરિયાદ નોંધવાની માંગ કરી રહી છે.

image source

તે જ સમયે અંધશ્રધ્ધા નિર્મુલન સમિતિના સભ્યએ કહ્યું કે લગ્ન પહેલા બંને છોકરાઓને આ બંને બહેનો પસંદ નહોતી. તેણે તેમનું શારીરિક શોષણ કર્યું હતું અને તેથી તેમની સામે બળાત્કારનો કેસ દાખલ થવો જોઈએ. ” સમિતિના સભ્યએ વર્જિનિટી ટેસ્ટને ઘૃણાસ્પદ કૃત્ય ગણાવ્યું છે. આ સાથે તેમણે સમુદાય પંચાયતો નાબૂદ કરવાની માંગ કરી છે અને આ માટે તેમણે સરકારને અપીલ કરવા પણ જણાવ્યું છે.

image source

ઉલ્લેખનીય છે કે 2019માં મહિલાના વર્જિનિટિ ટેસ્ટ કરાવવાને મહારાષ્ટ્રની સરકાર અપરાધીય ગુનો જાહેર કર્યો છે. રાજ્યના કેટલાક સમાજમાં આ પરંપરા છે. આવા કેટલાક સમાજોમાં નવપરીણિત મહિલાઓને એ વાત તેમના સાસરીપક્ષ સમક્ષ સાબિત કરવી પડતી હોય છે કે તે લગ્ન પહેલા કુંવારી હતી. ગૃહરાજ્યમંત્રી રંજીત પાટિલે આ મુદ્દા પર કેટલાક સામાજિક સંગઠનોના એક પ્રતિનિધિમંડળની મુલાકાત કરી હતી. શિવસેના પ્રવક્તા નીલમ ગોરહે પણ આ પ્રતિનિધિમંડળનો ભાગ બન્યા હતા. મંત્રીએ કહ્યું કે, ‘વર્જિનિટિ ટેસ્ટ એ એક શારીરિક હિંસાનો એક પ્રકાર જ છે. કાયદા અને ન્યાય વિભાગ સાથે ચર્ચા કર્યા બાદ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં આ પ્રકારના કાર્યને અપરાધીય ગુના તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version