ગાજર તો તમે શિયાળામાં ખૂબ ખાધા હશે અને સાથે શરીરને થતા ફાયદાથી પણ માહિતગાર હશો પણ તમે તેના બીજના તેલના ફાયદા નહીં જાણતા હોવ.
આજે અણે તમને જણાવીશું કે ગાજરના બીજના તેલમાં વિટામિન એસ, કેંપેન, કેરોટીન, અલ્ફા પિનિન, લિમોનિન, કૈરોટોલ અને બીટા બિસાબોલિન જેવા યૌગિક હોય છે જે મહિલાઓની અનેક તકલીફોને દૂર કરવામાં મદદ કરે છે. ગાજરના બીજનું તેલ અનેક તકલીફોથી રાહત મેળવવામાં પણ ઉપયોગમાં લેવાય છે.
માસિક ધર્મની ફરિયાદને કરે છે ઓછું
ગાજરના બીજનું તેલ માસિક સમયે થતી તકલીફોમાં મદદ કરે છે. આ પિરિયડ્સની સાઈકલને પણ બરોબર રાખે છે. આ તેલના ઉપયોગથી પેટના નીચેના ભાગ અને કમરમાં થતા દર્દથી પણ રાહત આપે છે અને સાથે જ માંસપેશીમાં ખેંચાણની તકલીફથી રાહત મળે છે.
ઇન્ફેક્શનથી બચવામાં કરે છે મદદ
મહિલાઓને અનેક પ્રકારના ઈન્ફેક્શન થાય છે. હાજરના બીજનું તેલ કોઈ પણ પ્રકારના ઈન્ફેક્શનમાં મદદ કરે છે. આ તેલમાં એન્ટીસેપ્ટિક ગુણ હોય છે જે વિશેષ રીતે યૂરિન, પેટ, આંતરડા, ગળા અને મોઢાના સંક્રમણને દૂર રાખવામાં મદદ કરે છે. સાથે તે તેલ ખાંસી, ફ્લૂ, શરદી અને જુકામ જેવા વાયરલ ઇન્ફેક્શનથી પણ શરીરને બચાવવામાં મદદ કરે છે.
ત્વચા માટે ફાયદો કરે છે
ગાજરના બીજનો તેલ એક એન્ટી એજિંગ તેલ છે. જે સમયની સાથે ચહેરા પર પડનારી કરચલીઓ અને ફાઈન લાઈનન્સને રોકવામાં મદદ કરે છે. આ તેલ એન્ટીઓક્સીડન્ટ્સથી ભરપૂર રહે છે તેના ઉપયોગથી સનબર્નની પરેશાનીથી રાહત મળે છે. આ તેલને ઓઈલી અને ડ્રાઈ બંને સ્કીન માટે ઉપયોગમાં લઈ શકાય છે.
વાળને પણ રાખે છે સારા
વાળને લાંબા કરવા અને તેનો ગ્રોથ વધારવા માટે તથા તેમાં ચમક લાવવા માટે ગાજરના બીજનું તેલ લાભદાયી રહે છે. તેના ઉપયોગથી વાળ સૂકા અને બેજાન હોય તો તેમાં પણ ચમક આવી જાય છે. સાથે વાળનું તૂટવાનું પણ ઓછું થાય છે.
આ છે ગાજરના ફાયદા
કેલ્શિયમ પેક્ટીન ફાઇબર, વિટામિન A, B અને Cના ગુણોથી ભરપૂર ગાજરના સેવનથી કૉલેસ્ટ્રોલનું લેવલ કંટ્રોલમાં રહે છે. આ સાથે જ ગાજરના સેવનથી ગેસ, ચૂંક, બળતરા, પેટમાં અલ્સર, અપચો અથવા પેટના આફરાની સમસ્યામાંથી છૂટકારો મળે છે. ગાજરના રસમાં આમળનો રસ અને સંચળ મિક્સ કરીને ખાવાથી યૂરિનમાં ઇન્ફેક્શન અને બળતરાની સમસ્યાથી છૂટકારો મળી જાય છે. ગાજરના રસમાં કાળા મરી મિક્સ કરીને પીવાથી શરદી-ખાંસી અને કફની સમસ્યાથી છૂટકારો મળે છે.ગાજરના રસમાં લીંબૂ અને પાલકનો રસ મિક્સ કરીને પીવાથી કબજીયાતની સમસ્યામાં રાહત મળી રહે છે. દરરોજ ગાજરના રસમાં મધ નાંખીને પીઓ. તેનાથી ઈમ્યુન સિસ્ટમ ઠીક રહેવાની સાથે પેટની બીજી કેટલીય બીમારીઓમાં રાહત મળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત