ઘરમાં ધન ટકાવી રાખવા માટે કામની છે આ ટિપ્સ, ભૂલથી પણ ન કરશો આ ભૂલ
વાસ્તુને સામાન્ય રીતે દિશાઓનું વિજ્ઞાન માનવામાં આવે છે. યોગ્ય દિશામાં યોગ્ય કામ કરવાથી વ્યક્તિની દિશા બદલાઈ જાય છે. તેનાથી ઉલટું તેનું દુર્ભાગ્ય વધે છે. વાસ્તુમાં રસોઈને ખાસ મહત્વ અપાયું છે. રસોઈમાં કરાતી આ નાની ભૂલો ગરીબીનું કારણ બની શકે છે.
વાસ્તુમાં જણાવ્યા અનુસાર પવિત્રતા અને શુદ્ધતામાં ઈશ્વરનો વાસ રહે છે. ઘરમાં રાખેલો એંઠવાડો વિશેષ કરીને નકારાત્મકતા લાવે છે. આ માટે કહેવાય છે કે એંઠા વાસણ પણ ગરીબીનું કારણ બને છે.
વાસ્તુ અનુસાર ઘરના ખાસ ભાગમાં એક કિચન એટલે કે રસોઈ છે. સૌથી વધારે વાસ્તુ દોષ કિચનમાં હોય છે. સૌથી વધારે તત્વો અહીં મળે છે. રસોઈમાં જળ, અગ્નિ અને વાયુ તત્વો મળે છે.
રસોઈમાં રાખેલા એંઠા વાસણોમાં ખાવાનાનો ભાગ હોય છે. જેનાથી પૃથ્વીનો સ્ત્રોત મનાય છે. અનેક લોકો રસોઈને પવિત્ર માનવામાં આવે છે. તેની પાસે મંદિર બનાવી લેવું ખોટું છે.
કેટલાક લોકો રાતના સમયે કિચનમાં એંઠા વાસણ રાખી લેતા હોય છે. આ સમયે પડી રહેતા એઁઠા વાસણની ઘર અને સભ્યો પર નકારાત્મક અસર થાય છે. તે તમારી ગરીબીનું કારણ બની શકે છે.
વાસ્તુ અનુસાર જો કોઈ વ્યક્તિ એંઠા વાસણ ધોતું નથી તો તેની સફળતામાં અડચણ આવે છે. વાસ્તુમા કિચનમાં રાખેલા સાફ વાસણનું મહત્વ માનવામાં આવે છે.
રાતના સમયે એંઠા વાસણને રસોઈમાં રાખીને સૂવાથી તેમાં રાતના સમયે અનેક બેક્ટેરિયા જન્મે છે. તેનાથી શારિરિક રીતે હાનિ અને માનસિક રીતે નકારાત્મકતા આવે છે.
કિચનમાં રાખેલા એંઠા વાસણથી વાસ્તુદોષ જન્મે છે. આ વાસ્તુદોષ અગ્નેયમાં જન્મે છે. આપણી વચ્ચે જે અગિન છે તે ક્યાંક ને ક્યાંક દૂષિત થાય છે. તેનો પ્રભાવ ઘરના કમાઉ વ્યક્તિના જીવન પર થાય છે.
ભારતના મોટાભાગના હિસ્સામાં આડણી વેલણનો ઉપયોગ કરાય છે. એવામાં એંઠા આડણી કે વેલણ હાનિ કરી શકે છે. તેમાં જીવાણુ જન્મે છે, વાસ્તુદોષના કારણે ઘરમાં બીમારી હોય છે અને ઘરના સભ્યોના મનમાં ઉચાટ રહે છે. જેના કારણે લક્ષ્મી તે ઘર છોડીને જતી રહે છે.
જે ઘરમાં રાતના એંઠા વાસણ પડ્યા રહે છે. ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે. એવી જગ્યાએ ભગવાનનો વાસ રહેતો નથી.
ઘરમાં નિયમિત રીતે આડણી અને વેલણ ધોઈ લેવા.