બુધવારના દિવસે ભૂલ્યા વગર કરશો ગણેશજીના આ 3 મંત્રોનો જાપ, તો અનેક દુખોમાંથી મળશે મુક્તિ

ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજા સંપૂર્ણ રીતી રીવાજની સાથે બુધવારના દિવસે કરવામાં આવે છે. ભગવાન ગણેશ તેમના ભક્તોથી પ્રસન્ન થઈ ને તેમના દુ:ખને દુર કરે છે, અને બધાની ઇચ્છાઓ પૂર્ણ કરે છે. હિન્દુ માન્યતાઓ અનુસાર કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવતી હોય છે.

image source

ભગવાન ગણેશ બધા લોકોના દુઃખો દુર કરે છે. એવું કહેવાય છે કે પ્રથમ પૂજ્ય ગણેશની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે, અને ઘર ધન અને અનાજ ભરપુર રહે છે. તેમના વિના કોઈ પૂજા પૂર્ણ થતી નથી.

કહેવામાં આવે છે કે ભગવાન ગણેશની સાત્વિક સાધનાઓ ખૂબ જ સરળ અને અસરકારક હોય છે. ભગવાન ગણેશજીના ત્રણ મંત્ર છે, જે મંત્રનું બુધવારે જાપ કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે, અને તેમના જીવનમાં આવેલા તમામ દુઃખ દૂર થાય છે. દરેક પૂજામાં મંત્રોનું વિશિષ્ટ સ્થાન હોય છે. તો ચાલો તે મંત્ર વિષે જાણીએ.

ગણેશ ગાયત્રી મંત્ર :

ॐ एकदन्ताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो बुदि्ध प्रचोदयात।।

image source

આ એક ગણેશ ગાયત્રી મંત્ર છે. બુધવારના દિવસે આ મંત્રનો જાપ એક સો આઠ વખત નિષ્ઠાપૂર્વક કરવો. આ મંત્ર બોલવાથી ભગવાન ગણેશજી તમારા પર પ્રસન્ન થાય છે. જો સતત અગિયાર દિવસ સુધી ગણેશ ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે, તો વ્યક્તિના ભૂતકાળના ખરાબ કાર્યના પાપ પણ દૂર થાય છે. આ મંત્રને ખૂબ જ ચમત્કારિક અને લાભકારી મંત્ર માનવામાં આવે છે. આ મંત્રનો જાપ કરવાથી આપણા મગજને શાંતિ મળે છે. આ મંત્રનો જાપ કરવાથી નકારાત્મક શક્તિઓ પણ દુર થાય છે.

તાંત્રિક ગણેશ મંત્ર :

ॐ ग्लौम गौरी पुत्र, वक्रतुंड, गणपति गुरू गणेश।

ग्लौम गणपति, ऋदि्ध पति, सिदि्ध पति। मेरे कर दूर क्लेश।।

image source

બુધવારે સવારના સમયે ભગવાન શિવ, દેવી પાર્વતી અને ગણેશજી ની પૂજા કર્યા પછી જો આ મંત્રનો એક સો આઠ વખત જાપ કરવામાં આવે તો વ્યક્તિના જીવનના આવેલા તમામ દુખ દુર થઈ જાય છે પરંતુ, વ્યક્તિએ આ મંત્રનો જાપ કરતી વખતે પૂર્ણ સાત્ત્વિકતા રાખવી જોઈએ. તે ઉપરાંત, તમારે ક્રોધ, માંસ, આલ્કોહોલ વગેરે જેવી વસ્તુઓ થી દૂર રહેવું પણ ખુબ જરૂરી છે.

ગણેશ કુબેર મંત્ર :

ॐ नमो गणपतये कुबेर येकद्रिको फट् स्वाहा।

image source

જો કોઈપણ વ્યક્તિ પર મોટું દેવું હોય , તેમજ તેમની આર્થિક મુશ્કેલીઓ વધી રહી હોય ત્યારે તેણે ભગવાન ગણેશ કુબેર મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ નિયમિત કરવાથી જે વ્યક્તિનું દેવું હોય તે ચૂકવવાનું શરૂ થઈ જાય છે. તેની સાથે જ પૈસા કમાવાનો નવો સ્ત્રોત પણ બનવા લાગે છે. આ મંત્રનો જાપ વ્યક્તિએ એક સો આઠ વખત કરવાનો હોય છે.