Site icon News Gujarat

આ સેલેબ્સ આજે પણ અચકાય છે એકબીજાની સામે આવતા, જાણી લો શું છે આ પાછળનું કારણ

સલમાન ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન, કરીના કપૂર, બોબી દેઓલ જેવા ઘણા બોલિવુડ સ્ટાર છે જે વિવાળોના કારણે આજે પણ એકબીજાનો સામનો કરતા અચકાય છે અને પબ્લિક પ્લેસમાં પણ એકબીજાની સામે આવતા નથી. આખરે શુ છે એ વિવાદો, ચાલો જાણી લઈએ.

જ્યારે કરીના કપૂર અને બોબી દેઓલનો ઝગડો થયો હતો.

image source

જબ વી મેટ કરીના કપૂરની બેસ્ટ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં કરીના કપૂર અને શાહિદ કપૂરની જોડીને દર્શકોએ ખૂબ જ પસંદ કરી. લવ ટ્રાઈનગલ પર બનેલી આ ફિલ્મ દર્શકો આજે પણ ભૂલ્યા નથી. પણ આ ફિલ્મની એક બાજુ એવી પણ છે જેને ઘણા લોકો નથી જાણતા..શુ તમે જાણો છો કે જબ વી મેટ ફિલ્મમાં શાહિદ કપૂરનો રોલ પહેલા બોબી દેઓલ કરવાના હતા પણ કરીના કપૂરે ફિલ્મ ડાયરેકટર ઈમ્તિયાઝ અલીને કહીને બોબી દેઓલની જગ્યાએ બોયફ્રેન્ડ શાહિદ કપૂરને ફિલ્મમાં સાઈન કરાવ્યો હતો. બોબી દેઓલની આ જાણીને ખૂબ જ ખોટું લાગ્યું હતું. આ અનપ્રોફેશનલ હરકત માટે એમને કરીના કપૂર સાથે ઝગડો પણ કર્યો હતો. એ વાતને લઈને કરીના કપૂર અને બોબી દેઓલ વચ્ચે આજે પણ કોલ્ડ વોર ચાલે છે અને બંને એકબીજાનો સામનો કરવાથી બચે છે.

જ્યારે સલમાન ખાનને આવ્યો અરિજિત સિંહ પર ગુસ્સો.

image source

જ્યારે સલમાન ખાન એક એવોર્ડ ફંક્શનમાં મેજબાની કરી રહ્યા હતા ત્યારે સિંગર અરિજિત સિંહને એવોર્ડ લેવા માટે સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હતા. જ્યારે સલમાને મંચ પર પોતાની ઊંઘ પર મજાક કર્યો તો અરિજિતે કહ્યું “સર સુવડાવી દીધો તમે”આ સાંભળીને સલમાન ખાન ઘણા ચિડાઈ ગયા હતા. એ પછી સલમાન ખાને ઘણીવાર અરિજિત સિંહને પોતાનો ગુસ્સો બતાવ્યો. જ્યારે સલમાન ખાનની ફિલ્મ સુલતાન રિલીઝ થઈ તો એમાં એક ગીત જગ ઘૂમીયા ઘણું લોકપ્રિય થયું હતું. આ ગીતનું એક વર્ઝન અરિજિત સિંહે પણ ગાયું હતું. સલમાન ખાને ફિલ્મના આ ગીતમાં અરિજિત સિંહનું વર્ઝન ન રાખવાનો નિર્ણય કર્યો.

જ્યારે કરીના કપૂરે બિપાશા બાસુને માર્યો લાફો.

image source

કરીના કપૂર અને બિપાશા બાસુ વચ્ચે વિવાદ ફિલ્મ અજનબીના સેટ પર થયો હતો. ખબરો અનુસાર જ્યારે અજનબી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે કોઈ વાતને લઈને કરીના કપૂર અને બિપાશા બાસુ વચ્ચે જગડો થઈ ગયો હતો. જણાવવામાં આવે છે કે નારાજ કરીના કપૂરે સેટ પર બિપાશા બાસુને લાફો મારી દીધો હતો. આ વાતમાં કેટલું સાચું છે એ તો કરીના કપૂર અને બિપાશા બાસુ જ જાણે. પણ ત્યારથી આ બંને અભિનેત્રીઓ વચ્ચે કોલ્ડ વોર શરૂ થઈ ગઈ હતી. ત્યારથી આ બંને એક્ટ્રેસ એકબીજાની સામે આવતા અચકાય છે.

જ્યારે સલમાન ખાન અડધી રાત્રે ઐશ્વર્યા રાયના ઘરે પહોંચ્યા.

image source

એક સમય હતો જ્યારે સલમાન અને ઐશ્વર્યા એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા પણ બંનેના સંબંધમાં પછી એવી તિરાડ પડી કે હવે બંને એકબીજાનું મોઢું જોવું પણ પસંદ નથી કરતા.હમ દિલ દે ચુકે શનમ ફિલ્મથી સલમાન અને ઐશ્વર્યાની પ્રેમ કહાની શરૂ થઈ હતી અને ફિલ્મના શૂટિંગની સાથે સાથે બન્ને એકબીજાની નજીક આવવા લાગ્યા. ખબરો અનુસાર ઐશ્વર્યાના માતા પિતાને સલમાન અનવ ઐશ્વર્યાનો આ સંબંધ બિલકુલ મંજુર નહોતો, એમને ઐશ્વર્યાને સલમાન ખાનથી દૂર રહેવાનું કહ્યું જેના કારણે ઐશ્વર્યા અલગ ફ્લેટમાં રહેવા લાગી હતી. પછી એક દિવસ અડધી રાત્રે સલમાન ખાન ઐશ્વર્યાના ઘરે પહોંચી ગયા અને એમનો દરવાજો જોર જોરથી ખખડાવવા લાગ્યા. સલમાને ગુસ્સામાં 19માં માળથી કુદવાની ધમકી આપી હતી. સલમાન સવારે 3 વાગ્યા સુધી ઐશ્વર્યાના ઘરનો દરવાજો ખખડાવતા રહ્યા, જેનાથી એમના હાથમાં લોહી પણ નીકળવા લાગ્યું હતું. કહેવામાં આવે છે કે સલમાનની આ ધમાલનું કારણ હતું કે ઐશ્વર્યા સાથે લગ્ન કરવા માંગતા હતા. ઐશ્વર્યા એ સમયે લગ્ન કરવા નહોતી માંગતી. એ સમયે એ ખબર પણ ચર્ચામાં હતી કે ઐશ્વર્યાના પિતાએ સલમાન વિરુદ્ધ પોલીસકેસ કર્યો હતો. એ પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું. સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની લવ સ્ટોરી ખતમ થઈ ગઈ પણ આજે પણ એ બન્ને એકબીજાનો સામનો કરતા અચકાય છે.

જ્યારે વિવેક ઓબરોએ સલમાન ખાન પર લગાવ્યો આરોપ.

image source

સલમાન ખાન અને વિવેક ઓબરોયની કોલ્ડ વોર વિશે કોણ નથી જાણતું. ખબરો અનુસાર ઐશ્વર્યા રાયના કારણે આ બંને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. વિવેક ઓબરોયે પ્રેસ કોંફરન્સ આયોજિત કરીને સલમાન ખાન પર એ આરોપ લગાવ્યો હતો કે સલમાને એમને ગાળો આપી અને ધમકી આપી. સલમાન ખાન અને વિવેક ઓબરોયનો આ વિવાદ મીડિયામાં ખૂબ જ ચર્ચાયો હતો. એ દિવસોમાં વિવેક ઓબરોય અને ઐશ્વર્યાના અફેરની ખબર ચર્ચામાં હતી.પછી વિવેક ઓબરોયે સલમાન ખાનની માફી માંગી જેથી એમની વચ્ચે કોલ્ડ વોર ખતમ થઈ જાય પણ એવું થયું નહિ. સલમાન ખાને વિવેક ઓબરોયને માફ ન કર્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version