આ તે કેવી મહામારી, હવે શ્વાસ ખૂટ્યાં, હોસ્પિટલમાં માત્ર દોઢ કલાક ઓક્સિજન મોડો પહોંચ્યો અને 8 લોકો તડપીને મરી ગયાં

હાલમાં દરેક લોકો વાકેફ છે કે કોરોનાને કારણે આખા દેશમાં કેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને શું હાલત છે. કોરોનાના કેસ પણ દિવસે ને દિવસે વધી રહ્યાં છે. આજે જ 4 લાખ કેસ આવીને ભારતે નવો રેકોર્ડ તોડ્યો છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોના વાઈરસના 4 લાખથી વધારે નવા કેસ નોંધાયા છે. હાલમાં આલમ એવો છે કે દેશમાં ઓક્સિજનની મોટી માત્રામાં અછત જોવા મળી રહી છે. આ વાત પણ જગજાહેર છે. દિલ્હી હાઈકોર્ટમાં આજે જ્યારે રાજ્યમાં ઓક્સિજનની અછત વિશે દલીલો ચાલતી હતી ત્યારે જ દિલ્હીની બત્રા હોસ્પિટલમાં 8 લોકોના ઓક્સિજનની અછતના કારણે મોત થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે અને મોટી વાત એ કે એમાં એક ડોક્ટર પણ સામેલ છે.

image source

આ માહિતી પણ પ્રશાસન દ્વારા જ આપવામાં આવી હતી કે દિલ્હીની બત્રા હોસ્પિટલમાં ઓક્સિજનની કમીના કારણે 8 લોકોના મોત થયા છે. હોસ્પિટલ અધિકારીએ એવું પણ જણાવ્યું છે કે, બત્રા હોસ્પિટલમાં મૃતકોમાં ગેસ્ટ્રોએન્ટોરોલોજી વિભાગના એચઓડી પણ સામેલ છે. જો કે બત્રા હોસ્પિટલને આ દરમિયાન ઓક્સિજનનો સપ્લાય પહોંચી ગયો હતો પરંતુ અફસોસ કે જ્યારે ઓક્સિજન પહોંચ્યો ત્યારે ઘણો સમય થઈ ગયો હતો.

image source

હોસ્પિટલ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમને સમય સર ઓક્સિજન ના મળ્યો. અમારે બપોરે 12 વાગે જ ઓક્સિજન પૂરો થઈ ગયો હતો અને અમને દોઢ વાગે સપ્લાય મળ્યો. અમે 8 ના જીવ ગુમાવી દીધા. એમાં અમારા એક ડોક્ટર પણ હતા.

image source

જ્યારે આ બાબતે હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા તો હોસ્પિટલ તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, એક કલાક વધારે સમય સુધી ઓક્સિજનનો સપ્લાય ન હતો. તેના કારણે 8 કોરોના દર્દીઓના મોત થયા છે. હોસ્પિટલે કહ્યું કે, સવારે 6 વાગ્યાથી ઈમરજન્સી હતી. હોસ્પિટલમાં 307 દર્દી દાખલ હતા. તેમાંથી 230 ઓક્સિજન સપોર્ટ પર હતા.

image source

તો એના જવાબમાં હાઈકોર્ટે કહ્યું હતું કે, દરેક લોકો થાકેલા છે. અમે પણ હવે થાકી ગયા છીએ. કોર્ટે કહ્યું, તમે ડોક્ટર્સ છો, તમારે તમારી નસ પારખવી જરૂરી છે. વ્યવસ્થા ઉભી કરવા માટે સમય આપો. જો તમે મેસેજ જ કરતા રહેશો તો બીજુ કામ કરતી વ્યક્તિ પણ તેમાં વ્યસ્ત થઈ જશે. હવે આ જવાબ પણ કેટલો ઉચિત છે એના પર સવાલ થઈ રહ્યા છે.

અરવિંદ કેજરીવાલે આ વિશે વાત કરતાં કહ્યું હતું કે રાજ્યમાં ઓક્સિજનની ભારે કમી છે. દરેક હોસ્પિટલમાંથી SoSના મેસેજ આવી રહ્યા છે. અમે કોર્ટમાં વાત કરી છે અને કેન્દ્ર સરકારને પણ પત્ર લખ્યો છે. દિલ્હીમાં રોજ 976 ટન ઓક્સિજનની જરૂર છે, પરંતુ 490 ટન જ મળી રહ્યો છે. દિલ્હીમાં ગઈ કાલે તો માત્ર 312 ટન જ ઓક્સિજન મળ્યો હતો. આ સાથે જ આજે ભરૂચથી પણ સમાચાર આવ્યા હતા કે હોસ્પિટલમાં આગ લાગવાના કારણે 18 દર્દીઓ જીવતા ભુંજાયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!