ગરમીમાં શરીરમાં પાણીની ખામી નહીં થવા દે આ 5 ચીજો, ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ

આહાર વિશેષજ્ઞ દિવસમાં ઓછામાં ઓછું 2 લિટર પાણી પીવાની સલાહ આપે છે. રોજનું 2 લિટર પાણી પીવું દરેક લોકો માટે શક્ય નથી. આ કારણે કોઈને વદારે તરસ લાગતી હોય તો તેઓ આ કામ કરી શકે છે. આ ઉપાયમાં તમે ખોરાકમાં એવી વસ્તુઓને સામેલ કરો જે તમારી પાણીની ખામીને ટાળી શકે.

દહીં

anti dehydration food
image source

ડિહાઈડ્રેશનની સમસ્યાને દૂર કરવા માટે દહીં સૌથી સારો વિકલ્પ હોઈ શકે છે. તેમાં પાણીનું પ્રમાણ 85 ટકા હોય છે. અને શરીરને માટે જરૂરી પ્રોબાયોટિક પણ પૂરતા પ્રમાણમાં હોય છે. આ ગરમીના કારણે થતી એલર્જીથી બચવામાં પણ શરીરને સાથ આપે છે. આ પ્રોટીન, વિટામીન બી અને કેલ્શિયમનો સારો સોર્સ છે.

બ્રોકોલી

broccoli
image source

બ્રોકોલીમાં 89 ટકા પાણી હોય છે અને આ ન્યૂટ્રિશનથી ભરપૂર હોય છે. તેની પ્રકૃતિ એન્ટી ઈન્ફલેમેટરી હોય છે. જેના કારણે આ ગરમીમાં થનારી એલર્જી સામે રક્ષણ આપે છે. તેનાથી તમે સલાડમાં કાચું પણ ખાઈ શકો છો. ટોસ્ટની સાથે તેને થોડું ફ્રાય કરીને પણ ઉપયોગમાં લઈ શકો છો. અનેક લોકો તેનું શાક પણ બનાવે છે.

સફરજન

એક કહેવત છે ને કે ડોક્ટરને દૂર રાખવા હોય તો રોજ એક સફરજન ખાઈ લો. અનેક રીતે તે ફાયદો આપે છે. તેમાં 86 ટકા પાણી હોય છે. ફાઈબર, વિટામીન સીનો તો તે સારો સોર્સ છે. આ પોષક તત્વોના કારણે ગરમીમાં હેલ્થને સારી રાખવામાં અને પાણીનો સોસ પૂરો કરવામાં મદદ કરે છે.

સલાડ

image source

સલાડના પાનમાં પાણીનું પ્રમાણ 95 ટકા હોય છે. સેન્ડવિટમાં તમે તેનો સારો ઉપયોગ કરી શકો છો. પ્રોટીન અને ઓમેગા 3 થી ભરપૂર સલાડમાં પાનમાં ફેટ હોતું નથી અને કેલેરી પણ વધારે હોય છે.

ચોખા

ચઢેલા ચોખા એટલે કે ભાતને ગરમીમાં ફાયદારૂપ માનવામાં આવે છે. તેમાં 70 ટકા જળ તત્વ હોય છે. તેમાં પૂરતા પ્રમાણમાં આયર્ન, કાર્બોહાઈડ્રેટ હોય છે. આ માટે એક વાટકી ભાત રોજ ખાવા જરૂરી છે.

શરીરમાં પાણીની ખામીના કારણે થાય છે આ તકલીફો

image source

જો શરીરમાં પાણીની ખામી હોય તો તમને વિના કારણ માથાનો દુઃખાવો અનુભવાય છે. જ્યારે પણ ગરમીમાં માથુ દુઃખે તો પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું શરૂ કરો.

પાણીની ખામીના કારણે તમને જમ્યા બાદ પણ વધારે ભૂખ હોવાનો અહેસાસ થયા કરે છે. આ સમયે તમે પાણી, જ્યૂસ, છાશ વગેરે કંઈ પણ પી શકો છો. તેનાથી શરીરને નવી એનર્જી મળી રહે છે.

image source

ઉનાળામાં પણ તમારી સ્કીન સૂકી લાગે કે હોઠ ફાટે તો તમારા શરીરમાં પાણીની ખામી હોય એ શક્ય છે. આવા સમયે તમે વધારે પાણી પીઓ. અથવા કોઈ એનર્જી ડ્રિંક કે ગ્લુકોઝ પણ પી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત