Site icon News Gujarat

OMG: કૂતરાને નામથી બોલાવવા પર માલિકને આવ્યો જોરદાર ગુસ્સો, અને પાડોશીની કરી નાખી ધોલાઈ, પછી જે થયું એ..

લોકો તેમના પાલતુ જાનવરો પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોય છે. તે ઘણી વખત જોવા મળ્યું છે કે લોકો પ્રાણીઓને તેમના પરિવારના સભ્ય તરીકે પ્રેમ કરે છે. પરંતુ કોઈપણ ચીજની અતિયોક્તિ નુકસાન પણ કરે છે. હરિયાણાના ગુરુગ્રામથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં કૂતરાના માલિકે તેના પાડોશી અને તેના પરિવારને ફક્ત એટલા માટે માર માર્યો હતો કે તેણે કૂતરાને નામથી નહીં પરંતુ કૂતરો કરીહને બોલાવ્યો હતો.

image source

એક અહેવાલ મુજબ, આ ઘટના ગુરુગ્રામના સાયબરસિટી વિસ્તારમાં આવેલા જ્યોતિ પાર્કમાં બની હતી. કૂતરાના હિંસક સ્વભાવથી કંટાળીને આ વિસ્તારના રહેવાસી સુધીરે તેના પાડોશીને કૂતરાને સાંકળમાં રાખવાનું કહ્યું હતું. કૂતરાનો માલિક સૂચન પર ગુસ્સે થયો અને તેણે કૂતરાના નામનો ઉપયોગ ન કરવા પર ગુસ્સો આવ્યો.

જેને પગલે બંને પરિવારો વચ્ચે હિંસક લડત થઈ હતી. બીજા એક રહેવાસીએ આ ઘટનાનું રેકોર્ડિંગ કરી લીધુ, જેમાં કૂતરાના માલિક સુધીર અને તેના પરિવાર પર લાકડીઓ વડે હુમલો કરતો જોવા મળ્યો હતો. સુધીરના પરિવારના ઓછામાં ઓછા છ સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

image source

મીડિયા સાથે વાત કરતાં સુધીરે જણાવ્યું હતું કે તેણે તેના પાડોશીને કહ્યું હતું કે તે કૂતરાને સાંકળમાં બાંધી રાખે છે કારણ કે તે તેના બાળકોને કરડવા માટે દોડે છે, સુધીરે ગુરુગ્રામના એક પોલીસ સ્ટેશનમાં તેના પાડોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. પાળતુ પ્રાણી અંગે ગુરુગ્રામમાં બનેલ લોહિયાળ સંઘર્ષની આ પહેલી ઘટના નથી. ભૂતકાળમાં એવી ઘણી ઘટનાઓ બની છે કે જ્યાં પાળતુ પ્રાણી કૂતરાઓ અંગેના વિવાદને કારણે પડોશીઓ વચ્ચે હિંસક ઝઘડો થયો હતો.

image source

નોંધનિય છે કે થોડા સમય પહેલા અમદાવાદના વાસણા વિસ્તારમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. જ્યાં બે પરિવારો વચ્ચે કૂતરાના પેશાબ કરવાના લઈને ઝઘડો થયો હતો. આ અંગે વાસણા પોલીસના જણાવ્યા પ્રમાણે 65 વર્ષીય રિક્ષા ડ્રાઈવર તખતસિંહ રાઠોડ પોતાના કૂતરાને તેમના વિસ્તારમાં ફરાવવા માટે નીકળ્યા હતા.જે સમયે તે તેના કૂતરાને ફેરવી રહ્યા હતા ત્યારે કૂતરુ એક કરિયાણાની દુકાન આગળ ઉભું રહ્યું. નોંધનિય છે કે આ દુકાન રાઠોડના પાડોશી અજય પ્રજાપતિની છે. કૂતરાએ આ દુકાનની સામે પેશાબ કર્યો અને ત્યાર બાદ થઈ આ ઝઘડાની શરૂઆત.

image source

ત્યાર બાદ દૂકાનદાર અજય પ્રજાપતિએ તખતસિંહ રાઠોડને તેના કૂતરાને નિયંત્રણમાં રાખવાનું સુચન કરયું અને કહ્યું હતું કે તેમણે પોતાના કૂતરાને ગમે ત્યાં પેશાબ કરવા દેવો ન જોઈએ. વાત આટલેથી ન અટલી અને અજય પ્રજાપતિના પત્ની લકાડી લઈને બહાર દોડી આવ્યા અને કૂતરાને મારવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને તખતસિંહ રાઠોડ ગુસ્સે થયા અને પ્રજાપતિની પત્નીને કહ્યું હતું કે આ કોઈ રખડતો કૂતરો નથી, તે આ વિદેશી બ્રીડના કૂતરાને મોટી કિંમતે ખરીદીને લાવ્યા છે. કોઈ તેને મારશે તો તે સહન નહી કરે. ત્યાર બાદ પ્રજાપતિ અને તેમની પત્નીએ રાઠોડ સાથે ગાળાગાળી શરૂ કરી દીધી હતી.

image source

ત્યાર બાદ રાઠોડ પ્રજાપતિ સાથે મારામારી કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમનો પુત્ર વચ્ચે પડ્યો અને ઝઘડો કરતા અટકાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ અજય પ્રજાપતિની પત્ની કૂતરાને લાકડી મારવા જઈ રહી હતી ત્યારે તે લાકડી તેને વાગી ગઈ હતી. ત્યાર બાદ મામલો વધુ ઉગ્ર બન્યો અને બૂમાબૂમ સાંભળીને રાઠોડ તથા પ્રજાપતિના પરિવારના અન્ય સભ્યો દોડી આવ્યા હતા અને એકબીજા સાથે મારામારી કરવા લાગ્યા હતા. નોંધનિય છે કે આ ઝઘડામાં બંને પરિવારના ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના બાદ બંને પરિવારોએ એકબીજા સામે ફરિયાદ નોંધાવી હતી. આમ નાની એવી વાતે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version