Vastu Tips: ભૂલથી પણ ઘરમાં ન રાખો આ ચીજો, તમારી સાથે પરિવારને પણ કરશે બીમાર
આપણા સૌના ઘરમાં અનેક એવી ચીજો હોય છે જે વાસ્તુ અનુસાર ખોટી હોય છે. આપણે તેને ભાગ્યે જ જાણીએ છીએ. તેનાથી તારા ઘરમાં નેગેટિવ એનર્જી જન્મે છે અને સાથે પરિવારના સભ્યોની હેલ્થ પર તેની નકારાત્મક અસર થાય છે. તમે ઘરમાંથી અહીં જણાવેલી ચીજોને તરત જ દૂર કરો તે જરૂરી છે. વાસ્તુ અનુસાર આ ખોટું માનવામાં આવે છે.
વાસ્તુ શાસ્ત્ર ફક્ત યોગ્ય દિશાનું જ્ઞાન આપે છે તેવું નથી પણ કોઈ પણ ચીજને યોગ્ય દિશામાં રાખી લેવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી કાયમ રહે છે. આજે અહીં આ વિશે જણાવાયું છે. વાસ્તુના અનુસાર કેટલીક એવી ચીજો છે જે ઘરમાં રાખી લેવાથી જીવનમાં અનેક મુશ્કેલીઓ આવે છે. જો તમે પણ ઘરમાં આ ચીજો રાખવાની ભૂલો કરો છો તો તમારે સતર્ક રહેવાની જરૂર પડે છે. જો તમે આ ચીજનો જલ્દી નહીં હટાવો તો તમારા ઘરમાં શારીરિક અને માનસિક રીતે મુશ્કેલીઓ આવતી રહે છે.
ઘરમાં ન રાખો આ ચીજો
ખંડિત મૂર્તિ
હિંદુ ધર્મમાં ખંડિત મૂર્તિની પૂજા કરવાનું અશુભ માનવામાં આવે છે. આ માટે તેને ઘરમા રાખવાનું પણ અયોગ્ય માનવામાં આવે છે. આ પ્રકારની મૂર્તિઓથી ઘરમાં વાસ્તુ દોષ જન્મે છે. જેની પરિવારના સભ્યોની હેલ્થ પર નકારાત્મક અસર થાય છે. આ માટે કોઈ દેવતાની મૂર્તિ ખંડિત થાય છે કે કોઈ તસવીર ખરાબ થાય છે તો તેને તરત ઘરની બહાર કરો. ભગવાનની મૂર્તિ કે ફોટોને ક્યારેય ફેંકવા નહીં તેને કોઈ પ્રવાહિત નદીમાં વહાવી દેવા કે માટીમાં દાટી દેવા.
જુના છાપા
તમે એવા કેટલાક લોકો જોયા હશે જે તેમના ઘરમાં જુના છાપા અને જુની- ફાટેલી બુક્સ ભેગી કરી રાખે છે. પણ આ પ્રકારના લોકો એ નથી જાણતા કે વાસ્તુ અનુસાર આ ખોટું છે અને તે નકારાત્મક ઉર્જા જન્માવે છે. આ અસરના કારણે પરિવારના લોકોને મુશ્કેલી આવે છે. કોશિશ કરો કે જૂના પેપર કે અઠવાડિયા કે મહિનામાં રદ્દી વાળાને આપી દો. જૂની બુક્સ કોઈને દાન કરો કે પછી તેની પર નવા કવર લગાવીને તેને યોગ્ય રીતે રાખો.
તૂટેલો સામાન
ખરાબ કે તૂટેલો સામાન લગભગ નેગેટિવ ઉર્જા સમાન રહે છે. એવી ચીજો કે કોઈ અન્ય ચીજો ઘરમાં હોય તો તેને રીપેર કરાવો કે તેને ઘરની બહાર કરી લો. જો રસોઈમાં કોઈ વાસણ તૂટેલા હોય તો તમે તેને ઉપયોગમાં ન લો. આમ કરવાથી પરિવારના સભ્યોની હેલ્થ સાથે જોડાયેલી તકલીફો આવી શકે છે.
સૂકાયેલા છોડ
હાલમાં ઘરમાં પણ ઈન્ડોર છોડ લગાવવાનું ચલણ વધ્યું છે. ઘરની અંદર ક્યારેય કાંટાવાળા છોડ ન લગાવો. જો ઘરમાં કોઈ છોડ સૂકાઈ ગયું છે તો તેને તરત જ હટાવી લો. સૂકાયેલું કે કાંટાદાર છોડ ઘરમાં રાખી લેવાથી પરિવારના વૃદ્ધ વ્યક્તિઓની હાલત ખરાબ થઈ શકે છે.