ભારતીય રસોડામાં મસાલાની વાત આવે ત્યારે દરરોજ ઉપયોગમાં લેવાતા મસાલાઓમાં કોથમીરનો પણ ઉપયોગ થાય છે. તે માત્ર તેની વિશેષ સુગંધથી ખોરાકને સ્વ-સમાવિષ્ટ બનાવે છે, એટલું જ નહીં, તે આરોગ્ય ની દ્રષ્ટિએ પણ ખૂબ જ સારું છે. તાજેતરમાં આયુષ મંત્રાલયે કોવિડ-૧૯ માર્ગદર્શિકામાં તેને આરોગ્ય લાભ તરીકે આહારમાં સામેલ કરવાના આદેશો આપ્યા હતા.
તેના ફાયદાની વાત કરીએ તો જો કોથમીરને રોજ ખોરાકમાં સામેલ કરવામાં આવે તો તે શરીરને જરૂરી વિટામિન એ, સી સહિત ઘણા પોષક તત્વો પૂરા પાડે છે. ભોજનના નિષ્ણાતો પણ તેનો ઉપયોગ હર્બલ ચા, ઉકાળા વગેરે તરીકે કરવાની સલાહ આપે છે. કહેવાય છે કે જો રોજ કોથમીર નું પાણી પીવામાં આવે તો લોકોને અનેક સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. તો ચાલો જાણીએ કેવી રીતે ધણાના પાણીને બનાવી શકાય છે.
ધાણાનું પાણી કેવી રીતે બનાવવું?
એક વાસણમાં એક ગ્લાસ પાણી લઈને ગેસ પર ઉકાળો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં એક ચમચી ધાણા નાખો. જ્યાં સુધી પાણી અડધું ન થાય ત્યાં સુધી તેને ઉકળવા દો. આ પાણીને ગાળીને ચાની જેમ ગરમ પીવુ અથવા તો એક ગ્લાસ પાણીમાં એક ચમચી ધાણા કે તેના પાન આખી રાત મૂકી દો. સવારે આ પાણીનું સેવન કરવું.
ધાણાનું પાણી પીવાથી થતા ફાયદા :
કોથમીરના પાણીનું નિયમિત સેવન કરવાથી તે આપણા ગોઠણનો દુખાવો ઓછો કરે છે. તે આપણા શરીરને હાઇડ્રેટેડ રાખે છે, અને શરીરમાં પાણીની કમી થવા દેતું નથી. તે શરીરમાંથી ઝેર દૂર કરવામાં પણ મદદ કરે છે. તેની મદદથી આપણી કિડનીને ડિટોક્સ પણ કરે છે. તે ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડુ રાખે છે અને ગરમીથી આપણને રાહત આપવામાં મદદરૂપ થાય છે.
જો તમને તમારા ચહેરા પર સોજાની ફરિયાદ રહેતી હોય તો ધાણાના પાણીનું નિયમિત સેવન કરવાથી આ સમસ્યા દૂર થાય છે. કોથમીરનું પાણી પીવાથી ઈન્ફેક્શની સમસ્યા પણ દુર થાય છે, તેનાથી પેટમાં ગેસ, બળતરા જેવી અનેક સમસ્યા દુર થાય છે.
તે શરીરમાં મેટાબોલિસમની પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને આપણા વજનને ઘટાડવામાં પણ આપણી મદદ કરે છે. તે થાઇરોઇડ હોર્મોન્સને નિયંત્રિત કરવામાં પણ ખુબ અસરકારક છે. ધાણાના પાણીનો ઉપયોગ કરવાથી તે બ્લડ સુગરના લેવલને ઓછુ કરવામાં આપણી મદદ કરે છે.
ધાણાના પાણીમાં રહેલા ફાઇબર અને એશિન્શિયલ ઓઇલ લિવરથી જોડાયેલી બિમારીઓથી બચાવે છે. તેમજ લિવરની બીમારીઓને દુર છે. ધાણાનું પાણી પીવાથી સારા કોલેસ્ટ્રેલમાં વધારો થાય છે, અને ખરાબ કોલેસ્ટ્રેલ દૂર થાય છે. આ પાણીને રોજ પીવાથી હૃદય સંબંધિત બધી બિમારીઓનો ખતરો દૂર થાય છે.
ધાણાના પાણીમાં રહેલા એસ્કોર્બિક એસિડ એન્ટીઓક્સિડેંટ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જેથી શરદી અને ઉધરસની સમસ્યા દૂર થાય છે. તેને ઊંઘ લાવનાર અને છાતીમાંથી કફ કાઢનાર પણ માનવામાં આવે છે. ધાણાનું પાણી પીવાથી મોંમાંથી અને શ્વાસમાંથી આવતી દુર્ગંધની સમસ્યા પણ દૂર થાય છે, અને આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત