મિત્રો, આપણી પૌરાણિક હિન્દુ માન્યતા મુજબ પ્રભુ શ્રીકૃષ્ણને ભગવાન નારાયણના આઠમા અવતાર માનવામા આવે છે. આપણે સૌ આ વાતને જાણીએ છીએ અને આપણા અનેકવિધ પૌરાણિક શાસ્ત્રો પણ આ વાતની પુષ્ટિ કરે છે. આપણા આ પૌરાણિક શાસ્ત્રોમા પ્રભુની લીલાઓનુ વિસ્તૃત વર્ણન કરવામા આવેલુ છે.
શાસ્ત્રોમા દર્શાવેલી ભગવાનની લીલા એ કોઇનાથી પણ છુપી નથી ત્યારે આપણે શ્રી કૃષ્ણને ખુશ કરવા માટે આ મંત્રોના મંત્રોચ્ચાર અવશ્યપણે કરવા જોઇએ. આપણી ધાર્મિક માન્યતાઓ મુજબ આ મંત્રોનુ સાચુ ઉચ્ચારણ આપણને સાચુ અને સારુ ફળ આપે છે.
આ કારણોસર આજે અમે તમને ભગવાન શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલ અમુક એવા દિવ્ય મંત્રો વિશે જણાવીશુ કે, જેનાથી તમારા જીવનમા અપાર ધન-સંપત્તિ, એશ્વર્ય અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તો ચાલો આ મંત્રો વિશે વિસ્તૃત માહિતી મેળવીએ અને તેના મંત્રોચ્ચારથી થતા લાભ વિશે પણ માહિતી મેળવીએ.
“कृं कृष्णाय नमः”
આ મંત્ર પ્રભુનો મૂળ મંત્ર છે, જો તમે તેનો નિયમિત જાપ કરો છો તો તમને અટકેલુ ધન પરત મળી જશે. આ મંત્રનો મંત્રોચ્ચાર તમારા દૈનિક જીવનને પ્રભાવિત પણ કરી શકે છે.
“ॐ देविकानन्दनाय विधमहे वासुदेवाय धीमहि तन्नो कृष्ण:प्रचोदयात”
આ મંત્રનો મંત્રોચ્ચાર કરવાથી વ્યક્તિના જીવનના બધા જ દુઃખ દુર થઇ જાય છે અને વ્યક્તિને એક સુખી અને સમૃદ્ધ જીવનની પ્રાપ્તિ થાય છે.
“हरे कृष्ण, हरे कृष्ण, कृष्ण कृष्ण, हरे हरे राम, हरे राम, राम राम, हरे हरे”
આ મંત્ર એ ૧૬ શબ્દનો એક વૈષ્ણવ મંત્ર છે. આ મંત્ર એ ભગવાન શ્રી કૃષ્ણનો સૌથી પ્રસિદ્ધ મંત્ર છે. આ દિવ્ય મંત્રનુ ઉચ્ચારણ કરવાથી વ્યક્તિ ભગવાનની ભક્તિમાં લીન થઇ જાય છે અને ભગવાન જે-તે વ્યક્તિને તેની ભક્તિનુ સારુ એવુ ફળ પણ આપે છે.
“ऊं श्रीं नमः श्रीकृष्णाय परिपूर्णतमाय स्वाहा”
આ મંત્ર કોઇ સામાન્ય મંત્ર નથી પરંતુ, ભગવાનનો એક સપ્તદશાક્ષર મહામંત્ર છે. અમુક શાસ્ત્રીય માન્યતાઓ મુજબ જો તમે ૧૦૮ વાર આ મંત્રનો મંત્રોચ્ચાર કરો તો તે સિદ્ધ થઇ જાય છે. આ મંત્રનો પાંચ લાખ વખત જાપ કરવાથી જ જાપ સિદ્ધ થાય છે અને તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
“ओम क्लीम कृष्णाय नमः”
આ મંત્રનો મંત્રોચ્ચાર કરવાથી મનુષ્યને સારી એવી સફળતા અને વૈભવની પ્રાપ્તિ થાય છે પરંતુ, જો તમે આ મંત્રનો વિધિવત જાપ કરો તો જ તમને તેના ફળની પ્રાપ્તિ થાય છે, બાકી નહિ.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,