મિત્રો, ફાલસા એ તમારા માટે એક રામબાણ ઈલાજ સાબિત થાય છે. પેટદર્દની સમસ્યાને દૂર કરવા માટે ૩ ગ્રામ સેકેલા અજમાને ૨૫-૩૦ ગ્રામ ફાલસાના રસમા ઉમેરી તેને થોડો ગરમ કરો અને ગરમ થઈ ગયા પછી આ મિશ્રણનુ સેવન કરો. તેના સેવનથી તમને પેટદર્દમાંથી તુરાન્ત્ય રાહત મળી શકે છે .
ગરમીની ઋતુમા આ ફળનો સ્વાદ માણવો એક લાહવો છે. મે માસની પ્રચંડ ગરમીમા ઠંડક પ્રદાન કરતા આ ફળની ખેતી ખૂબજ ઓછા પ્રમાણમા થાય છે. અગાઉ આ ફળના ઢગલા બજારમા જોવા મળતા હતા પરંતુ, થોડાક વર્ષોથી તેની ખેતી ઓછી થતા તે બજારમા દેખાતા ખુબ જ ઓછા થઈ ગયા છે. આ ફળ મૂળ દક્ષિણ એશિયામા ભારત, પાકિસ્તાન અને કંબોડિયામા પાકતુ ફળ છે.
આ ફળનુ સેવન કરવાથી હ્રદય સાથે સંકળાયેલ બીમારીઓ થવાનુ જોખમ ઘટી જાય છે. આ ફળમા પુષ્કળ માત્રામા એક્સિઓક્સીડેંટ, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, આયરન વગેરે મળી રહે છે. આ ફળનુ સેવન કરવાથી ગરમીની ઋતુમા લૂ પણ લાગતી નથી..
આ ફળના ખાટા-મીઠા સ્વાદને લીધે લોકો તેને ખાવાનુ ખુબ જ પસંદ કરે છે. આ ફળ મુખ્યત્વે ગરમીની ઋતુમા જ જોવા મળે છે. આ ફળની તાસીર ઠંડી હોવાને લીધે તે ગરમીની ઋતુમા પણ શરીરને ઠંડક પહોંચાડે છે. તો ચાલો આ ફળના સેવનથી થતા અમુક લાભ વિશે માહિતી મેળવીએ.
આ ફળમા સમાવિષ્ટ પોષકતત્વો તમને ગરમીમા લાગતી લૂ ની સમસ્યા સામે રક્ષણ અપાવી શકે છે. આ ફળનુ સેવન કરવાથી તેમને ઉલટી થવી, ગભરામણ થવી, એકાએક તાવ આવવો આ બધી જ્સંસ્યાઓ સામે રાહત મળે છે. નિયમિત નાસ્તામા આ ફળનુ સેવન કરવાથી તમને ચિડીયાપણાની સમસ્યામાંથી મુક્તિ મળે છે. જો તમને તડકાની સમસ્યાથી એલર્જી છે તો આ ફળ તેના નિદાન માટે ખુબ જ અસરકારક ઈલાજ સાબિત થાય છે.
નિયમિત આ ફળ ખાવાથી લોહીને લગતી સમસ્યાઓમા રાહત મળે છે. આ ફળમા સમાવિષ્ટ વિટામીન-સી ના કારણે આપણા શરીરમા લોહી સાફ થઇ જાય છે અને રક્તવિકારની સમસ્યા દૂર થાય છે. એક માસ સુધી નિયમિત આ ફળ ખાવાથી બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલ નિયંત્રિત થઈ જાય છે.
ગરમીની ઋતુમા આ ફળનુ સેવન તમને ખીલની સમસ્યાથી તુરંત મુક્તિ અપાવે છે. માત્ર આ ફળ જ નહી પરંતુ, તેના પાંદડા પણ બીમારીઓની સારવાર માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. જો તમને પણ કોઈપણ પ્રકારના ખીલની સમસ્યા થઇ હોય અથવા તો ચામડીની બળતરા હોય અથવા તો ચહેરા પર દાગ પડી ગયા હોય તો આ ફળના પાન આખી રાત પલાળી રાખો અને ત્યારબાદ તેને પીસીને લગાવો તો તમને લાભ મળી શકે છે. તો એકવાર આ ઉપાય અવશ્ય અજમાવો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત