SBIએ કર્યા નિયમોમાં મોટા ફેરફારો, ATM કે ચેક દ્વારા પૈસા ઉપડવામાં લાગશે હવે આટલાં રૂપિયાનો ચાર્જ
ધીરે ધીરે દેશ ડિજીટલ માધ્યમ તરફ આગળ વધી રહ્યો છે. લોકોને સરળતા રહે તે માટે બેંકો પણ નવી નવી યોજનાઓ લાવતી રહે છે. હવે લોકો શોપીંગ કે અન્ય લેવડ-દેવડ માટે ATM કે ઓનલાઇન ટ્રાન્સફર જેવા વિકલ્પોનો ઉપયોગ પણ કરવા લાગ્યાં છે. હાલમાં એક મહત્વનો બદલાવ ATM કે ચેક દ્વારા થતાં કામકાજને લઈને આવ્યો છે. જો તમે ATM અને ચેક દ્વારા તમારા મોટાભાગના નાણાં બેંકમાંથી ઉપાડો છો તો તમારા માટે આ સમાચાર જાણવા ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ બેઇજીક સેવિંગ્સ બેંક ડિપોઝિટ ( બીએસબીડી) સેવાની ફીમાં વધારો કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ આ નવા ચાર્જ ATM ઉપાડ, ચેકબુક, ટ્રાન્સફર અને અન્ય નાણાંકીય વ્યવહારો પર લાગુ થશે. આ અંગે SBI તેની વેબસાઇટ પર જણાવ્યું છે કે નવા સર્વિસ ચાર્જ 1 જુલાઈ 2021થી લાગુ કરવામાં આવશે. આ સાથે જણાવવામાં આવ્યું છે કે ચાર વખત રોકડ ઉપાડના બાદ આ નિયમો લાગુ થશે. આમાં શાખામાં કરવામાં આવેલા વ્યવહારો તેમજ બેંકના એટીએમ શામેલ છે. નવી ફી શાખા ચેનલ/એટીએમ પર રોકડ ઉપાડના વ્યવહાર દીઠ 15 રૂપિયા અને સાથે GSTનો સમાવેશ કરવામાં આવ્યો છે.
SBI ATMમાંથી રોકડ ઉપાડ અંગે માહિતી SBI વેબસાઇટ પર આપવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે 4થી વધુ વખત રોકડ રકમ ઉપાડ વ્યવહારો (ATM અને શાખા સહિત) પર શુલ્ક લેવામાં આવશે. મર્યાદાથી વધુ સર્વિસ ચાર્જ તમામ SBI અને અન્ય બેંકોના ATM પર 15 રૂપિયા અને સાથે GST લગાડવામાં આવશે. ચેકબુક ફી અંગે પણ કહેવામાં આવ્યું છે કે SBI બેઝિક સેવિંગ્સ બેંક એક નાણાકીય વર્ષમાં ખાતા ધારકોને 10 ચેક પેજ મફત આપશે અને ત્યારબાદ નીચે મુજબ આપવામાં આવશે
40+GST સાથે 10 પાનાની ચેક બુક
75+GST સાથે 25પાનાની ચેક બુક
વરિષ્ઠ નાગરિકોને ચેક બુક પર નવી સર્વિસ ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
નાણાંકીય વ્યવહાર: SBI અને SBI બેંક સિવાયની બેંક શાખાઓ પર બેઈજીક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ ધારકો દ્વારા બિન-આર્થિક વ્યવહાર માટે કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં.
ટ્રાન્સફર ટ્રાંઝેક્શન:
બેઈજીક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ ધરાવતા ખાતા ધારકો માટે શાખા અને વૈકલ્પિક ચેનલો પર ટ્રાન્સફર વ્યવહાર પણ મફત હશે.
SBI બેઈજીક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ શું છે?
SBI બેઈજીક સેવિંગ્સ બેંક ડિપોઝિટ જે ઝીરો બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટ તરીકે લોકપ્રિય છે. મુખ્યત્વે સમાજના ગરીબ વર્ગ માટે તેમને કોઈ ફી કે ડિપોઝિટ લીધા વિના બચત શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરવાં માટે આ કરવામાં આવે છે. આ સાથે બેંક રેગ્યુલર સેવિંગ્સ બેંક ખાતાઓની જેમ જ ઝીરો બેલેન્સ એકાઉન્ટ્સ પર વ્યાજ દર આપે છે. SBI ઝીરો બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટ માટે મૂળ રૂપે આત્મ-કમ-ડેબિટ કાર્ડ પણ કોઈ ચાર્જ લીધાં વગર જ આપવામાં આવે છે. આ સાથે જો એકાઉન્ટ ન વાપરવાના કારણે નિષ્ક્રિય થઈ જાય છે તેવી સ્થિતિ અને સક્રિય હોય ત્યારે પણ બેંક કોઈ ફી લેતી નથી. આ સિવાય કોઈ એકાઉન્ટ બંધ કરવાની ફી પણ લેવામાં આવતી નથી.