જાવેદ અખ્તર માટે ફરહાન અખ્તરે લખી સ્પેશિયલ નોટ, પિતાને કહ્યા વિચારશીલ, બેચેન, જિજ્ઞાશુ
પ્રખ્યાત પટકથા લેખક, ગીતકાર અને કવિ જાવેદ અખ્તરને ‘જાદુ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે જાવેદ અખ્તરનો જન્મદિવસ છે. આ અવસર પર તેના પુત્ર અને બોલિવૂડ અભિનેતા ફરહાન અખ્તરે સોશિયલ મીડિયા દ્વારા તેના પિતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ફરહાન અખ્તરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પિતાની બ્લેક એન્ડ વ્હાઇટ થ્રોબેક તસવીર પણ પોસ્ટ કરી છે. જે તેની યુવાનીના દિવસોથી છે. ફરહાનની આ પોસ્ટ પર ચાહકો સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ ફોટોમાં જાવેદને દરિયા કિનારે ઊભેલા જોઈ શકાય છે. આને શેર કરતાં ફરહાને લખ્યું, “હું તમને હંમેશા આ રીતે ઓળખું છું… વિચારશીલ, બેચેન, જિજ્ઞાશુ અને હંમેશા સત્યથી અલગ કંઈક શોધી રહ્યો છું. હું આશા રાખું છું કે તમને ખ્યાલ આવશે કે તમે આવા છો. ઘણા લોકોને તેની સાથે જીવવા માટે પ્રેરણા આપો. . હેપ્પી બર્થ ડે પા..”
ફરહાનના દાદા પણ હતા ગીતકાર
જાવેદ અખ્તરનો જન્મ 17 જાન્યુઆરી 1945ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. જાવેદ અખ્તરનું સાચું નામ જાદુ છે. જાવેદના પિતા જાન નિસાર અખ્તર હિન્દી સિનેમાના પ્રખ્યાત ગીતકાર હતા અને તેમની માતા સૈફિયા અખ્તર ગાયક-લેખિકા હતા. જાવેદ અખ્તરે ખૂબ જ નાની ઉંમરે તેની માતા ગુમાવી હતી.
ફિલ્મી બેકગ્રાઉન્ડ હોવા છતાં કરવું પડ્યું સ્ટ્રગલ
જાવેદને તેના માતા-પિતા સિનેમાની દુનિયા સાથે સંકળાયેલા હોવા છતાં બોલિવૂડમાં સ્ટ્રગલ કરવું પડ્યું હતું. જાવેદ જ્યારે મુંબઈ આવ્યો ત્યારે તેની પાસે ખાવાના પણ પૈસા નહોતા. તેને નોકરી મેળવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. એક ફિલ્મના શૂટિંગ દરમિયાન તેની સલીમ ખાન સાથે મિત્રતા થઈ ગઈ. પછી સલીમ અને જાવેદની જોડી ખૂબ છવાઈ ગઈ હતી
જાવેદ અખ્તરે કર્યા બે લગ્ન
જાવેદ અખ્તરની પહેલી પત્નીનું નામ હની ઈરાની છે. જાવેદની મુલાકાત હની ઈરાની સાથે ફિલ્મ ‘સીતા ઔર ગીતા’ દરમિયાન થઈ હતી. ફિલ્મ હિટ થવાની શરતે જાવેદે હની સાથે લગ્ન કર્યા હતા. બંને જલ્દી જ ઝોયા અને ફરહાન અખ્તરના માતા-પિતા બની ગયા. છ વર્ષના અફેર પછી 1984માં જાવેદે શબાના સાથે લગ્ન કર્યા.
આ એવોર્ડ્સ કરી ચુક્યા છે પોતાના નામે
બોલિવૂડમાં જાવેદની કળા માટે તેમને સાહિત્ય અકાદમી, પદ્મશ્રી, પદ્મ ભૂષણ જેવા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં એમના ગીત અને લેખ માટે એમને રાષ્ટ્રીય પુરસ્કારથી પણ સમ્માનિત કરવામાં આવ્યા છે