સામંથા અને નાગા ચૈતન્યએ સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ, લીધો ડિવોર્સનો નિર્ણય

સાઉથ ઇન્ડસ્ટ્રીના બેસ્ટ કપલમાંથી એક નાગા ચૈતન્ય અને સામંથા અકકીનેનીએ અલગ થવાનો નિર્ણય લઈ લીધો છે. બન્ને વચ્ચે અણબનાવની ખબરો લાંબા સમયથી આવી રહી હતી. હવે બન્નેએ ડિવોર્સ લેવાનો નિર્ણય લઈ લીધો છે. સામંથા અને નાગા ચૈતન્યએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને એમન અલગ થવાની જાણકારી આપી છે.સામંથાએ શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે તેઓએ પતિ અને પત્નીની જેમ અલગ થવાનો નિર્ણય કર્યો. પરંતુ તેઓ હંમેશા મિત્રો રહેશે

image source

સામંથાએ પોસ્ટ શેર કરીને તેના ચાહકોને અલગ થવાની જાણકારી આપી છે. તેમણે લખ્યું- અમારા બધા શુભેચ્છકોને. ઘણી વિચાર -વિમર્શ પછી, ચેય અને મેં પતિ અને પત્ની તરીકે અમારી રીતો અમારા રસ્તા અલગ કરવાનું નક્કી કર્યું છે. અમે ખૂબ નસીબદાર છીએ કે અમારી મિત્રતા દસ વર્ષથી વધુની છે જે અમારા સંબંધોનો આધાર હતો. જે હંમેશા અમારી વચ્ચે ખાસ સંબંધ રાખશે.

image source

સામંથાએ આગળ લખ્યું-અમે અમારા ચાહકો, મીડિયા અને શુભેચ્છકોને વિનંતી કરીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં અમારો સાથ આપે અને અમને આગળ વધવા માટે ગોપનીયતા આપે. તમારા સહકાર બદલ આભાર.

image source

તેલુગુ સિનેમાની આ પ્રખ્યાત જોડીને લોકોએ ખૂબ પસંદ કરી છે. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, જેમાં સૌથી નોંધપાત્ર 2010 ની ફિલ્મ યે માયા ચેસવે હતી. વર્ષ 2019 માં બંને ફિલ્મ મજીલીમાં સાથે જોવા મળ્યા હતા. તાજેતરમાં, સમન્થાએ મનોજ બાજપેયીની વેબ સિરીઝ ધ ફેમિલી મેન 2 માં તેના અદભૂત અભિનયથી દરેકને પ્રભાવિત કર્યા. ઉત્તર ભારતમાં તેમના ઘણા ચાહકો પણ છે. તાજેતરમાં એવા અહેવાલો પણ આવ્યા હતા કે સામંથા અને નાગા ચૈતન્ય બાળકની યોજના બનાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે ‘સામંથા અને નાગા ચૈતન્ય તેમના પરિવારને વધારવાનું વિચારી રહ્યા છે. આ માટે અભિનેત્રીએ નવા પ્રોજેક્ટ સાઈન કરવાનું બંધ કરી દીધું છે.

તમને જણાવી દઈએ કે સામંથાનું આખુ નામ સામંથા રૂથ પ્રભુ છે, ઇન્સ્ટા પર તેણે આજ નામ રાખ્યુ હતુ પરંતુ ટ્વિટર પર તેણે પતિની સરનેમ લગાવીને સામંથા અક્કીનેની લખ્યું હતું. થોડા દિવસ પહેલા તેણે અકાઉન્ટમાંથી અક્કીનેની સરનેમ હટાવી લીધી હતી. જેથી લોકોએ અંદાજો લગાવ્યો કે બંને વચ્ચે કંઇ ઠીક ચાલી રહ્યું નથી.

image source

રિપોર્ટનું જો માનીએ તો સામંથા અને નાગા ચૈતન્ય એકબીજા સાથે ઘણા સમયથી વાત નહોતા કરતા અને અલગ અલગ રહેતા હતા જ્યારથી સરનેમ હટાવી છે ત્યારથી લોકો વચ્ચે કપલ ચર્ચાનો વિષય રહ્યું છે.