આમ, તો કહેવામાં આવે છે કે દાન આપવું ખૂબ જ સારી વાત છે. પરંતુ કેટલીક ચીજો નું દાન કરતી વેળાએ ધ્યાન રાખવું જરૂરી છે. વાસ્તુના જણાવ્યા મુજબ આવી ઘણી વસ્તુઓ છે જે ઉધાર લેવાથી અને દેવાથી બચવું જોઈએ.
એ જ રીતે સૂર્યાસ્ત પછી કેટલીક ચીજો નું દાન કરવાનું ટાળવું જોઈએ. ભલે લોકો માગે તેમ છતાં પણ અમુક વસ્તુઓનું દાન કરવું અને ઉપયોગ ન કરવો જોઇએ. એવું માનવામાં આવે છે કે બીજા ની વસ્તુઓનો ઉપયોગ કરવાથી તેની શક્તિ તમારી સુધી પહોંચી જાય છે. તેથી દાન આપવું અને કેટલીક વસ્તુઓ માંગવાનું ટાળવું જોઈએ.
હળદર :
કોઈ એ પણ સાંજે હળદર આપવાનું ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી સંપત્તિમાં ઘટાડો થાય છે, અને આર્થિક તંગી પેદા થવા લાગે છે.
ઉધાર પૈસા ના આપવા :
એવું માનવામાં આવે છે કે કોઈએ સૂર્યાસ્ત પછી પૈસા ઉધાર આપવા જોઈએ નહીં. આ કરવાથી, ઘરમાં માતા લક્ષ્મીની કૃપા રહેતી નથી અને અછત, ગરીબી તમારા ઘરને ઘેરી લે છે. તેથી, સૂર્યાસ્ત પછી ક્યારેય દાન કરવાનું પણ ટાળવું જોઈએ.
બીજાની ઘડિયાળ ન પહેરો :
ઘણીવાર આપણે અન્ય લોકો ની ચીજો પહેરીએ છીએ. ઘડિયાળ પણ આમાંની એક છે. બીજી વ્યક્તિ દ્વારા પહેરવામાં આવતી ઘડિયાળ ન પહેરવી. હકીકતમાં, ઘડિયાળ વ્યક્તિના સારા અને ખરાબ સમય ને જોડીને જોવા મળે છે, તેથી કોઈ ની પણ ઘડિયાળ પહેરવી જોઈએ નહિ.
સૂર્યાસ્ત પછી કોઈને પણ મીઠું ન આપવું :
કોઈ ને પણ સૂર્યાસ્ત પછી મીઠું આપવાનું ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે સાંજે મીઠું આપવાથી સંપત્તિ ઓછી થાય છે, અને દુઃખનું વાતાવરણ પણ સર્જાય છે.
વાસી ખોરાક ન આપવો :
ભૂખ્યા વ્યક્તિને ખોરાક આપવો તે ખૂબ સારું માનવામાં આવે છે, પરંતુ વાસી ખોરાક દાનમાં ના આપવો જોઈએ, કેટલાક લોકો ભૂખ્યા લોકો ને વાસી ખોરાક આપી દે છે, આવું દાન આપવાથી પાપ લાગે છે, તેથી ક્યારેય સંધ્યા પછી ક્યારેય વાસી ખોરાક ન આપો, નહિ તો તમે તમારા જાતે જ દુઃખના ભાગીદાર થશો.
ચંદ્ર અને સૂર્યનો સંબંધ છે દૂધ સાથે :
દૂધ નો સંબંધ ચંદ્ર અને સૂર્ય બંને સાથે છે. લક્ષ્મી અને વિષ્ણુજી સાથે દૂધ નો સંબંધ પ્રાચીન સમય થી જ માનવામાં આવે છે. દિવસ-રાત ના સંધ્યા કાળમાં દૂધ કોઈ ને પણ દાન ન આપવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે દૂધ સાંજના સમયે આપવાથી બરકત જતી રહે છે.
સાંજના સમયે ડુંગળી-લસણ પણ ન આપો :
તે ઉપરાંત સાંજના સમયે કોઈ ને પણ ડુંગળી-લસણ આપવાથી દુર રહેવું જોઈએ. તેનો સંબંધ કેતુ ગ્રહ સાથે હોય છે. જો કે ઉપર ની શક્તિના સ્વામી કહેવાય છે. કહેવામાં આવે છે કે તેનો સંબંધ જાદુ-ટોણા સાથે પણ હોય છે.
દહીં :
તમે ઘણા મંદિર માં અથવા મંદિર ની બહાર બેઠેલા ભીખારીઓ ને દહીં નું દાન કર્યું હશે. પરંતુ સુર્યાસ્ત થયા પછી આ ભૂલ ક્યારેય ના કરવી જોઈએ. દૂધ ની જેમ સુર્યાસ્ત થયા બાદ કોઈ ને ભૂલ થી પણ દહીં નું દાન ના કરવું જોઈએ.