5 -6 યુવકો સાથે સંબંધ રાખતી સગીરાનું અભયમે કર્યું કાઉન્સેલિંગ, આખરે પિતા – દાદીની માગી માફી

પોલીસની મહિલા હેલ્પલાઈન અભયમના કારણે એક અમદાવાદની એક સગીરાને સમજાવવામાં અને સારા જીવન તરફ વાળવામાં તેના પિતાને યોગ્ય મદદ મળી છે, આજકાલ શહેરી જીવનની દોડધામમાં ઘણા પરિવારો એવા છે કે જ્યાં સંતાનો કિશોરાવસ્થામાં પ્રવેશે પછી તેની ઉપર યોગ્ય ધ્યાન આપી શકાતું નથી, ન્યુક્લિયર ફેમિલીની કારણે ઘરના વડીલો પણ હવે પોતાની ત્રીજી પેઢી સાથે સંપર્કમાં રહી શકતા નથી કે જ્યારે બાળકોને પોતાનું જીવન ઘડવામાં અનુભવીનો સહારો મળે, આ સિવાય માતા પિતા શહેરની ભૌતિકવાદ વાળી જિંદગીમાં પૈસા કમાવવામાં અને એક યોગ્ય લાઈફસ્ટાઈલ માટે વસાવેલ સાધનોના ઈએમઆઈ ભરતા રહેવામાં પોતાનું જીવન ખર્ચી નાખે છે, આજકાલની નવી પેઢી માતા અને પિતાની જગ્યાએ મોબાઈલ અને પબજીનો પ્રભાવ છે, આ સિવાય ઈન્સટાગ્રામની રીલ્સ અને ઓટીટીએ નવા વાલી છે, આથી જૂની પેઢીના જે ગુણ કે વારસો આગલી પેઢીમાં આપતા રહેવાની જે પરંપરા કે સાંકળ છે તે તૂટી રહી છે અથવા તો છૂટી રહી છે,

image source

અમદાવાદમાં એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જેમાં અભયમના મહિલા હેલ્પલાઈનના કાઉન્સિલરના મદદથી એક પિતાને પોતાની દીકરીનું જીવન યોગ્ય દિશામાં વાળવામાં સફળતા મળી છે. પિતા અને દાદીની સાથે રહેતી એક સગીરા ખરાબ રવાડે ચડી ગઈ હતી અને મોજશોખ પૂરા કરવા માટે પાંચથી છ છોકરાઓ સાથે સંબંધ બાંધ્યા હતા. જેની જાણ તેના પિતાને થતા તેમણે 181 અભયમનો સંપર્ક કર્યો હતો. મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલરે સગીરાને સમજાવી મામલો થાળે પાડયો હતો.

image source

આ 15 વર્ષીય સગીરા માત્ર બે જ મહિનાની હતી ત્યારે તેની માતા ઘર છોડીને કયાંક ભાગી ગઈ હતી. તેના પિતા અને દાદીએ જ આ સગીરાનો ઉછેર કર્યો હતો. પિતાએ બીજા લગ્ન કરવાને બદલે દીકરીને સારી રીતે રાખવાનો નિર્ણય કર્યો હતો અને તેને કોઈ વસ્તુની તકલીફ ન પડે તે માટે પિતા રાતે પણ નોકરી કરતા હતા. આમ પિતા પોતાની દીકરીની જિંદગી ન બગડે તે માટે પોતે પોતાની જિંદગીના સુખનું બલિદાન આપી રહ્યા હતા. તેઓ દીકરી જે કહે તે લાવી આપતા હતા. પણ સગીરા વૈભવી મોજશોખના રવાડે ચડી ગઈ હતી અને તેણે વિવિધ વસ્તુઓની માગણી કરવાનું શરૂ કર્યું હતું. પિતાએ જો કે તેની દીકરીને તેની તેને મર્યાદામાં રહેવાની સલાહ આપી હતી, પરંતુ સગીરા આ વાતને સમજવા તૈયાર ન હતી. તેણે પોતાની દાદીને કહ્યું કે તે સેનેટરી નેપકીન વેચીને પોતાની રીતે કમાઈને શોખ પૂરા કરશે. સગીરા સેનેટરી નેપકીને વેચવાના બહાને આખો દિવસ બહાર રહેવા લાગી હતી અને ઘણીવાર મોડીરાતે ઘરે આવતી હતી. દાદીએ તેના રાતના સમયે બહાર નહીં રહેવા સમજાવતા તેણે દાદીને ધમકી આપી હતી કે હું મોડી આવું છું તે અંગેની જાણ તું પિતાને કરીશ તો તને નહીં છોડું. એક બે વખત સગીરાએ તેની દાદી સાથે મારઝૂડ પણ કરી હતી. આમ આ દીકરીએ પોતાના પિતાના પણ માતા એવી દાદી સાથે પણ મારઝૂડ કરી.

image source

સગીરાએ પોતાના વૈભવી મોજશોખ પૂરા કરવા માટે બહાર 5 થી 6 છોકરાઓની રિલેશનશીપ રાખી હતી. અને તેની વૈભવી લાઈફસ્ટાઈલના સપનાઓ તે આ રીતે પૂરા કરવા માગતી હતી. જો કે તેના આ પ્રેમ સંબંધની જાણ તેના પિતાને થતા પિતાએ મહિલા હેલ્પલાઈન અભયમની ટીમને જાણ કરતાં ટીમે સગીરાના પ્રેમીને બોલાવી પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, સગીરા બીજા 5થી 6 છોકરા સાથે પ્રેમ સંબંધ ધરાવે છે અને મોજશોખ માટે અવળા રવાડે ચઢી ગઈ છે. આ અંગેની જાણ થતા પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. બીજી બાજુ અભયમની ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કર્યુ હતુ. જેથી સગીરાને પોતાની ભૂલ સમજાઈ હતી અને પિતા અને દાદીની માફી માગી હતી.

ભૂલ સ્વીકારી પણ પિતા રાખવા તૈયાર નથી

image source

જે દીકરી ખાતર દિવસ રાત નોકરી કરતા પિતાને જ્યારે ખબર પડી કે તેની દીકરી સંખ્યાબંધ છોકરાઓ સાથે સબંધ રાખે છે ત્યારે તેમની મનોદશા બગડી ગઈ હતી તેમને આ વાતથી જોરદાર આંચકો લાગ્યો અને તેમણે દીકરીને પોતાની સાથે નહીં રાખવાનો નિર્ણય કર્યો હતો. અભ્યમની ટીમે સગીરાનુ કાઉન્સેલિંગ કરી તેને સમજાવતા તેણે ભૂલ સ્વીકારી હોવા છતાં તેના પિતા તેને સાથે રાખવા તૈયાર નહતા અંતે તેને મોટાબાપાને ત્યાં મોકલી આપવામાં આવી હતી. આમ હાલ આ સગીરાના પિતાને જો કે મોટો ધક્કો લાગ્યો છે તેથી સગીરા તેના મોટાબાપાને ત્યાં છે.