ભારત સરકાર કરી રહી છે ૧૦ લાખના ભંડોળની વ્યવસ્થા, આ ભંડોળ કરશે ખોટ પૂરી
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર જાહેર ઓફર લાવતા પહેલા જીવન વીમા નિગમ ની કિંમત આઠ થી દસ લાખ કરોડ ની વચ્ચે નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, પ્રારંભિક વાટાઘાટો પછીના ફેરફારો, કાગળ અને સત્તાવાર મૂલ્યાંકન અહેવાલો પછી અપેક્ષિત એલઆઈસી મૂલ્યાંકન નક્કી કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે સરકાર વીમા કંપનીમાં તેનો પાંચ થી દસ ટકા હિસ્સો વેચવાની યોજના પર કામ કરી રહી છે.
સરકાર રાજકોષીય ખાધના અંતરને ઘટાડશે :
એલઆઈસીના દસ લાખ કરોડના વેલ્યુએશન સાથે સરકાર આઇપીઓ મારફતે ચારસો અબજ રૂપિયાથી એક લાખ કરોડ રૂપિયા વચ્ચે એકત્ર કરી શકે છે. માનવામાં આવે છે કે તે દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો આઇપીઓ છે. કેન્દ્ર સરકાર એલઆઈસી ના આઇપીઓમાંથી એકત્રિત ભંડોળ મારફતે રાજકોષીય ખાધના અંતર ને ઘટાડવા માંગે છે. કેન્દ્રએ આ નાણાકીય વર્ષમાં વિનિવેશ મારફતે રૂ. એક લાખ પંચોતેર હજાર કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. કેન્દ્ર સરકાર એલઆઈસીમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એલઆઈસીમાં એફડીઆઈ) ને મંજૂરી આપવા પર પણ વિચાર કરી રહી છે. ગયા અઠવાડિયે કેટલાક બેન્કરોએ ઔપચારિક રીતે આઇપીઓ પ્રક્રિયા શરૂ કરવા માટે સરકાર અને એલઆઈસીના અધિકારીઓને મળ્યા હતા.
આઇપીઓ માટે 10 મર્ચન્ટ બેન્કરોની નિમણૂક
એલઆઈસી આઇપીઓનું સંચાલન કરવા માટે દસ મર્ચન્ટ બેન્કર્સ ની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ગોલ્ડમેન સૅક્સ (ઇન્ડિયા) સિક્યોરિટીઝ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા અને નોમુરા ફાઇનાન્શિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ ઇન્ડિયા નો સમાવેશ થાય છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ્સ મેનેજમેન્ટ (ડીઆઇપીએએમ) ના જણાવ્યા અનુસાર આઇપીઓનું સંચાલન કરવા માટે પસંદ કરાયેલા બેન્કરોમાં એસબીઆઈ કેપિટલ માર્કેટ, જેપી મોર્ગન ઇન્ડિયા, આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડનો પણ હિસ્સો છે.
કાનૂની સલાહકાર માટે બોલી મોકલવાનો આજે છેલ્લો દિવસ છે
દીપમ હિસ્સાના વેચાણ માટે કાનૂની સલાહકાર ની નિમણૂક કરવાની પ્રક્રિયામાં પણ છે. તેના માટે બોલી મોકલવાની છેલ્લી તારીખ સોળ સપ્ટેમ્બર, 2021 એટલે કે આજે છે. કંપનીનો આઇપીઓ જાન્યુઆરી-માર્ચ 2022 ના ત્રિમાસિક ગાળામાં આવે તેવી સંભાવના છે.
પોલિસીધારકો માટે અનામત રહેવા માટે 10% હિસ્સો
દેશના સૌથી મોટા આઇપીઓમાં પોલિસીધારકો માટે દસ ટકા શેર અનામત હશે. તો એલઆઈસીએ પોલિસીધારકો માટે આઈપીઓમાં ફાળવણીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કંપનીએ લાયક પોલિસીધારકો માટે ડેટા બેઝ બનાવવાનું શરૂ કર્યું છે, કારણ કે કંપની પાસે બસો નેવું મિલિયન થી વધુ પોલિસી ધારકો છે.
આ માહિતી નાણાં પ્રધાને તેમના બજેટ ભાષણમાં આપી હતી.
આ વર્ષે પોતાના બજેટ ભાષણમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામ ને કહ્યું હતું કે તે આ નાણાકીય વર્ષમાં બીપીસીએલ, એર ઇન્ડિયા, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, કન્ટેનર કોર્પ ઓફ ઇન્ડિયા, આઇડીબીઆઇ બેંક, બીઇએમએલ, પવન હંસ, નીલાચલ સ્ટીલ કોર્પોરેશન સહિત અન્ય કેટલીક કંપનીઓમાં હિસ્સો વેચવાની યોજના ધરાવે છે.