જો કોરોનામાંથી સાજા થયા પછી બહુ વાળ ખરતા હોય તો આ નુસ્ખા છે 100 ટકા અસરકારક, અજમાવો તમે પણ
કોરોના વાયરસની બીજી લહેર આપણા દેશમાં શરુ થતા જ તેને આખી દુનિયામાં વિનાશ સર્જ્યો છે. રોજ લાખો લોકો કોરોનાના જેવી બીમારીમાં સામે લડી રહ્યા છે, જ્યારે તેમાં હજારો લોકોના મૃત્યુ પણ આ કોરોના જેવી બીમારી થતા જોવા મળે છે.
કોરોનાગ્રસ્ત થયેલા વ્યક્તિની રિકવરી આવ્યા બાદ પણ ઉધરસ, નબળાઈ જેવી અનેક પ્રકારની સમસ્યાઓ તેના શરીરમાં જોવા મળી રહી છે. વ્યક્તિ કોરોનામાંથી સાજા થયા બાદ તેના વાળ ખરવાની સમસ્યા પણ જોવા મળે છે.
કોરોના માંથી સાજા થયા પછી વાળ ખરવા, ચક્કર આવવી અને ચિંતા જેવી બીમારી જોવા મળે છે. કોરોના વાયરસ પર સંશોધન કરનારા લોકો કહે છે કે કોરોના ચેપમાંથી સાજા થયા પછી લોકોને વાળ ખરતા હોય છે. તો ચાલો જાણીએ કોરોનાની બીમારી માંથી સાજા થયા પછી વાળ ખરવાનાં મુખ્ય કારણો કયા ક્યાં છે.
વાળ ખરવાના કારણો :
જાણકારોના કહેવા મુજબ કોરોનામાંથી સાજા થયા બાદ વાળ ખરવા પાછળનું કારણ હજુ સ્પષ્ટ જાણી શકાયું નથી. કોઈ મોટા નિષ્ણાતોનું એવું કહેવું છે કે વાળ ખરવા માટેનું કારણ આ પણ હોય શકે છે. તણાવ, ઉચ્ચ તાવ અને ચિંતાને કારણે પણ વાળ ખરવાની સમસ્યા સર્જાય શકે છે, કેમ કે જે લોકો કોરોનાથી સંક્રમિત થયેલા હોય તે વ્યક્તિને ઉચ્ચ તાવ અને તણાવનો સામનો કરવો પડે છે. એવું કહેવાય છે કે, વધારે તાવ આવવાથી અને તણાવ રહેવાથી પણ વાળ ખરવા માટે નું તે સૌથી મોટું કારણ બની શકે છે.
તણાવ :
વાળ ખરવા એ બધા લોકોમાં એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. વધુ પડતા તણાવને લીધે પણ બધા લોકોમાં વાળ ખરવાની સમસ્યા જોવા મળે છે. કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી, તેમાંથી સાજા થયા બાદ વાળ ખરવા જેવી સમસ્યાઓ લોકોમાં તણાવ અને ચિંતા નો વિષય બની જાય છે.
તાવ :
તાવ અને અન્ય સમસ્યાઓથી પણ આપણા વાળ ખરવા લાગે છે. વધુ તાવ આવવાથી અથવા તો તે રોગમાંથી સાજા થયા પછી થોડા મહિના સુધી વાળ ખરવાની સમસ્યા જોવા મળે છે. વાળ ખરવા એ એક સામાન્ય સમસ્યા છે, જે થોડા દિવસો પછી આપોઆપ તેમાંથી સાજા થઈ જાય છે.
જો તમે બધા લોકો પણ વાળ ખરવાની સમસ્યા માંથી છૂટકારો મેળવવા માંગતા હોય તો તે માટે તમારે તંદુરસ્ત આહાર લેવો ખુબ જરૂરી છે. તે માટે તમારે સારી ઊંઘ લેવી જોઈએ જેથી તણાવ ઓછો થઈ શકે છે. વાળની સારી સંભાળ રાખવા માટે હેર માસ્કનો ઉપયોગ કરવો જોઈએ, અને વધુ પડતા વાળમાં ઝીણો કાંસકો ન વાપરવો જોઈએ. વાળમાં કોઈ પણ જાતનું કેમિકલ પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું બંધ કરવું જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત