Site icon News Gujarat

ગોવિંદા સાથે કૃષ્ણ અભિષેકે શૂટ કરવાની પાડી ના, કહ્યું કે વાતનું વતેસર થઈ જાય છે

કૃષ્ણા અભિષેક અને તેના મામા ગોવિંદા વચ્ચેનું અંતર ખતમ થવાનું નામ જ નથી લેતું.. આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે ફરી એક વખત ભાણિયા કૃષ્ણા અભિષેકે ગોવિંદા સાથે શૂટિંગ ન કરવાનો નિર્ણય લીધો છે. વાત જાણે એમ છે કે, ધ કપિલ શર્મા શોની નવી સીઝનમાં, ફરી એકવાર ગોવિંદા તેની પત્ની સુનીતા આહુજા સાથે મહેમાન તરીકે દેખાવાના છે. પરંતુ ગઈ વખતની જેમ આ વખતે પણ કૃષ્ણા અભિષેકે મામા ગોવિંદા સાથે એપિસોડ શૂટ કરવાની ના પાડી દીધી છે અને શૂટિંગમાંથી રજા લીધી છે.

image source

કૃષ્ણા અભિષેકે એક મીડિયા ચેનલ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે છેલ્લા 15 દિવસથી હું મારી ફિલ્મની તારીખ અને ધ કપિલ શર્મા શોની તારીખ વચ્ચે એડજસ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. હું કપિલ માટે મારી તારીખો એડજસ્ટ કરી શકું છું, પરંતુ જેવી મને ખબર પડી કે તે શોમાં મહેમાન તરીકે આવી રહ્યો છે તો હું તે એપિસોડનો ભાગ બનવા માંગતો નથી. તેથી મેં મારી તારીખ પણ એડજસ્ટ નથી કરી અને અમે તમને એક સાથે શૂટ કરતા નહીં દેખાઈએ.

image source

કૃષ્ણાએ આ ખાસ વાતચીતમાં આગળ કહ્યું કે, ‘તે મારા સિવાય તેમના તરફથી પણ હશે. આ એક કોમેડી શો છે, તેથી મને ખબર નથી કે કઈ વાત ક્યારે મોટી બનશે. પછી તે જ વસ્તુ થાય છે, આવુ કહ્યું ને તેવું કહ્યું. હું બિનજરૂરી રીતે મુદ્દો બનવા માંગતો નથી. હું જાણું છું કે દર્શકો મને અને એમને એક જ મંચ પર જોવા માંગે છે અને ઈચ્છે છે કે અમે મસ્તી કરીએ પરંતુ મને લાગે છે કે પરફોર્મ ન કરવું વધુ સારું છે. અમારી વચ્ચેનું અંતર હજુ પૂરું થયું નથી અને મુદ્દો ઉકેલાયો નથી. કૃષ્ણાનું કહેવું છે કે ભલે એમના અને ગોવિંદા વચ્ચે સંબંધ ખરાબ થયો હોય પણ એ નથી ઈચ્છતા કે કપિલ શર્મા અને શોની ક્રિએટીવ ટીમના ગોવિંદા સાથે રિલેશન બગડે.

image source

આમ તો આ પહેલી વાર નથી કે જ્યારે ગોવિંદા શોમાં આવવા પર કૃષ્ણા અભિષેક ધ કપિલ શર્મા શોમાંથી ગાયબ થઈ ગયા હતા, આ પહેલા વર્ષ 2019 માં, જ્યારે ગોવિંદા અને તેની પત્ની સુનીતા શોમાં આવ્યા હતા, ત્યારે કૃષ્ણ શોમાંથી ગુમ હતા. વાત જાણે એમ હતી કે સુનીતા કૃષ્ણ સાથે સ્ટેજ શેર કરવા માંગતી નહોતી.

image source

ગોવિંદાએ એક નિવેદન આપતી વખતે કહ્યું કે, ‘હું આ મુદ્દે જાહેરમાં વાત કરીને ખૂબ દુખી છું, પરંતુ હવે બહુ થઈ ગયુ, હકીકત બધાને ખબર હોવી જોઈએ. મેં ભાણીયા કૃષ્ણાનો રિપોર્ટ વાંચ્યો અને તેણે કહ્યું કે તેણે શોમાં પરફોર્મ કર્યું નથી કારણ કે મને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે અમારા સંબંધો પર ઘણી ટિપ્પણીઓ પણ કરી

image source

આ બધી લડાઈ ત્યારે શરૂ થઈ જ્યારે કૃષ્ણાની પત્ની કાશ્મીરા શાહે 2018 માં એક ટ્વીટ કર્યું. સુનીતાને લાગ્યું કે કાશ્મીરાએ ગોવિંદા પર કટાક્ષ કર્યો હતો, અહીંથી જ ગોવિંદા અને ભાણીયા કૃષ્ણ વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી ગઈ હતી.એ પછી કૃષ્ણ અને ગોવિંદા બંનેએ એકબીજા પર નિશાન સાધ્યું હતું.

Exit mobile version