Site icon News Gujarat

ભારતીય રેલવેએ ચારધામ યાત્રીઓ માટે શરૂ કરી સ્પેશિયલ ટ્રેન, કરાવશે આ સ્થળોનું મુલાકાત

જો તમારે ચારધામ યાત્રા પર જવું હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ શનિવારથી વિશેષ ટ્રેન શરૂ કરી છે. આ ટ્રેનો ચાર ધામ બદ્રીનાથ, જગન્નાથ પુરી, રામેશ્વરમ અને દ્વારકાધીશ માટે ખાસ ટ્રેન શરૂ કરી છે. IRCTC એ હવે દેખો અપના દેશ ચાર ધામ યાત્રા શરૂ કરી છે. શ્રી રામાયણ યાત્રા ટ્રેનની સફળતા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

16 દિવસ અને 15 નાઇટ્સ યાત્રા –

image source

ચાર ધામની સફર 18 સપ્ટેમ્બર 2021 ના રોજ દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી શરૂ થઈ છે. સમગ્ર યાત્રા 16 દિવસ અને 15 રાતની હશે અને તેમાં બદ્રીનાથ, નરસિંહ મંદિર (જોશીમઠ), ૠષિકેશ, માના ગામ (ચીન બોર્ડર પાસે), જગન્નાથપુરી, પુરીનો ગોલ્ડન બીચ, કોનાર્ક મંદિરનો પણ સમાવેશ થશે. આ ઉપરાંત ધનુષકોડી, રામેશ્વરમ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, ચંદ્રભાગા બીચ, બેટ દ્વારકા, દ્વારકાધીશ અને શિવરાજપુર બીચની પણ મુલાકાત લેવામાં આવશે. આ યાત્રા દરમિયાન મુસાફરો લગભગ 8500 કિમીનું અંતર કાપશે.

image source

સ્ટેટ ઓફ આર્ટ ડિલક્સ એસી ટુરિસ્ટ ટ્રેનમાં બે સુંદર ડાઇનિંગ રેસ્ટોરન્ટ્સ, એક આધુનિક રસોડું, કોચમાં શાવર ક્યુબિકલ્સ, સેન્સર આધારિત વોશરૂમ ફંક્શન, ફુટ મસાજર અને ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. ફુલી એસી ટ્રેનમાં બે કોચ ફર્સ્ટ એસી અને સેકન્ડ એસી હશે. ટ્રેન દરેક કોચ માટે સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી ગાર્ડથી સજ્જ છે

ચારધામ યાત્રાનું ભાડું –

IRCTC એ સ્થાનિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની પહેલ દેખો અપના દેશ અંતર્ગત આ ખાસ પ્રવાસી ટ્રેન શરૂ કરી છે. જેમાં મુસાફરીનું ભાડું પ્રતિ વ્યક્તિ 78,585 રૂપિયા છે. જેમાં એસી ટ્રેનમાં મુસાફરી કરવા ઉપરાંત, ડીલક્સ હોટલોમાં રહેઠાણ, ડુંગરાળ વિસ્તારો સિવાય તમામ સ્થળોએ તમામ ખોરાક, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ અને આઇઆરસીટીસી સર્વિસ મેનેજર સુવિધા પૂરી પાડવામાં આવશે

image source

ચારધામ યાત્રા કે જે અગાઉ સુપ્રીમ કોર્ટે COVID-19 કેસોમાં અચાનક વધારો થવાને કારણે પ્રતિબંધિત કરી હતી. શુક્રવારે ઉત્તરાખંડ સરકાર દ્વારા તેને સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી હતી. નૈનીતાલ હાઇકોર્ટ દ્વારા પ્રતિબંધ હટાવ્યા બાદ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દેશભરમાંથી લોકોને ચારધામ યાત્રા માટે આમંત્રણ આપ્યું છે. આ નિર્ણય રાજ્યમાં કોવિડ -19 ચેપના સતત ઘટાડાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. તેમજ સમગ્ર યાત્રા દરમિયાન નિવારક પગલાં લેવામાં આવશે.રાજ્ય સરકાર દ્વારા યાત્રાના સલામત સંચાલન માટે એસઓપી પણ જારી કરવામાં આવી છે. એસઓપીમાં તમામ મુસાફરો માટે 100% રસીકરણ અથવા કોવિડ નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.

image source

ઉત્તરાખંડની બહારથી આવતા મુસાફરો માટે સ્માર્ટ સિટી પોર્ટલ પર નોંધણી કરાવવુ ફરજિયાત રહેશે, ત્યારબાદ ઈ-પાસ જારી કરવામાં આવશે. તમે ઈ-પાસ વગર મુસાફરી કરી શકશો નહીં. કોરોના રસીનો બીજો ડોઝ લાગુ કર્યાના 15 દિવસ પછી, મુસાફરોને પ્રમાણપત્ર બતાવવા પર પ્રવેશ મળશે. તો, કોવિડ -19 રસીના બંને ડોઝ મેળવ્યા બાદ કેરળ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશથી આવતા મુસાફરો માટે કોવિડ ટેસ્ટ નેગેટિવ રિપોર્ટના 72 કલાક પહેલા ફરજિયાત બનાવવામાં આવ્યા છે

Exit mobile version