જો આ સાત સંકેત તમને જોવા મળે, તો સમજી જજો કે તમારા ઘરમાં હવે થઇ રહ્યો છે લક્ષ્મીનો પ્રવેશ

જો આ સાત સંકેત તમને જોવા મળે, તો સમજી જજો કે તમારા ઘરમાં હવે લક્ષ્મીનો પ્રવેશ થઇ રહ્યો છે.

image source

આપણે મનુષ્ય તરીકે એવું સ્વીકારી ચુક્યા છીએ કે આપણું જીવન ઈશ્વરના હાથમાં છે. આમ પણ વિજ્ઞાન પણ એવું જ કહે છે જે જ્યાં આપણો કોઈ અંકુશ નથી ત્યાં એ શક્તિ જ કામ કરે છે જે આ બધાયથી ઉપર છે. એ જ શક્તિ છે જે આપણને જીવન અને મૃત્યુ આપે છે. માણસના જીવનમાં અથવા જીવનકાળ દરમિયાન અનેક ઉતાર ચઢાવ આવતા હોય છે. ઘણાની પરિસ્થિતિ સારી હોય છે, તેની સામે ઘણા લોકો એક સમયનું ભોજન મેળવવા માટે પણ વલખા મારતા જોવા મળે છે. જો કે સ્થિતિ ગમે તેવી કેમ ન હોય આપણે મનુષ્ય તરીકે ભગવાન પર ભરોસો રાખીએ છીએ. કારણ કે દરેક ખરાબ સમય પછી સારા સમયની શરૂઆત પણ થાય જ છે.

પૈસા કમાવવા મહેનત કરવી જરૂરી છે

image source

સામાન્ય રીતે આજના સમયમાં જીવનને ટકાવી રાખવા પૈસા સૌથી જરૂરી વસ્તુ છે. ખૂબ જરૂરી છે. પૈસા કમાવવા માટે દરેક વ્યક્તિએ મહેનત કરવી જ પડે છે. મહેનત કર્યા સિવાય કાઈ જ મળતું નથી. કારણ કે મહેનત વગર જીવન શક્ય જ નથી. જો પૂરતી માત્રામાં રૂપિયા હશે તો જ તમે સુખ અને સુવિધાઓને પામી શકો છો. આમ પૈસા માટે થઈને માણસ દિવસ-રાત કોઈને કોઈ કામમાં રચ્યો પચ્યો રહે છે. ઘણી વખત કામના કારણે મા લક્ષ્મી તમારાથી પ્રસન્ન રહે છે. વિષ્ણુ પુરાણમાં જણાવ્યા મુજબ તમારા ઘરમાં જ્યારે પણ માતા લક્ષ્મીનો વાસ થાય છે, ત્યારે તે કોઇને કોઇ સંકેત જરૂર આપે છે. જો તે સંકેત તમને સમજાઈ જાય તો તમારા કિસ્મત પણ આપોઆપ જ બદલાઈ શકે છે.

image source

• માતા લક્ષ્મીને સાફસફાઈ સૌથી વધારે પ્રિય છે. અને તમે જાણો છો કે આ કાર્યમાં સાવરણીનો સાફ સફાઈ કરવામા સૌથી મોટો હાથ હોય છે. તેમ જ વાણી દ્વારા પણ તમે ઘરમાં રહેલ ગંદકી અને બીમારીઓ પણ દૂર રાખી શકો છો. એટલે કહેવાય છે કે જો સવારના સમયે તમે ઘરની બહાર નીકળો અને કોઈ સામે તમને સાવરણી દ્વારા સાફ સફાઈ કરતા જોવા મળે તો એમ સમજવું કે હવે માતા લક્ષ્મી સામે ચાલીને તમારા આંગણે આવી રહ્યા છે.

image source

• આ સિવાય તમે જ્યારે ઘરની બહાર નીકળો અને અચાનક જ તમને તમારી આસપાસ લીલા રંગની વસ્તુઓનો જ આભાસ થવા લાગે તો સમજવું કે હવે માતા લક્ષ્મી તમારા ઘરમાં આવવા તૈયાર છે. તમારા આસપાસના દ્રશ્યો પર ધ્યાન આપતા જો વધારે પ્રમાણમાં લીલા રંગની વસ્તુઓ જોવા મળે તો આ સંકેત પણ શુભ મનાય છે.

image source

• ઘુવડ એ લક્ષ્મી માતાનું વાહન ગણાય છે. એટલે એવું કહેવાય છે કે રાતના સમયે તમે બહાર નીકળો અને તમારી સમક્ષ જો ઘુવડ જોવા મળે, તો તમારા ઘરમાં લક્ષ્મી હવે જલ્દી જ આવવાના છે. આ સિવાય જો રાત્રે ઊંઘમાં અચાનક જ તમારા ગળામાં મચકોડ પડે અથવા સવારે તમારા ડોકમાં દર્દ જેવું અનુભવાય તો સમજવું કે તમને અચાનક જ ધન પ્રાપ્તિ થઇ શકે છે.

image source

• આ સિવાય સવારે તમે ઉઠો ત્યારે ઉઠતાની સાથે જ તમને શંખનો નાદ સંભળાય તો એનો અર્થ છે કે તમારા પર ભગવાનની કૃપા થઇ રહી છે, અને થોડા જ સમયમાં તમારા જીવનની કાયાપલટ થવાની છે.

• શેરડીનો રસ હિંદુ શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે પવિત્ર ગણાય છે આથી જો શેરડીના રસને સિદ્ધિવિનાયક પર અર્પિત કરવામાં આવે તો માતા લક્ષ્મી પ્રસન્ન થઈ તમારા ઘરમાં આવે છે. આ સિવાય જો ઉઠતાની સાથે જ શેરડીના દર્શન થાય તો સમજવું મા લક્ષ્મી તમારા ઘરમાં આવી ચુક્યા છે.

image source

• જો તમે વ્યવસાયિક કાર્ય માટે બહાર જઈ રહ્યા છો એવા સમયે કોઈ કુતરું અચાનક જો જમીનમાં માથું મારે, અને વારંવાર આ જ પ્રક્રિયા કરતુ રહે તો સમજવું કે ત્યાં કોઈ ધન સંતાડવામાં આવેલું છે. આ જગ્યાની તપાસ કરવાથી લાભ મળે છે.

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત