Site icon News Gujarat

શરીરની ચરબીને ફટાફટ ઓગાળવા ઘરે જ બનાવો આ ખાસ ડ્રીંક, જલદી જ મળી જશે તમને જોઇતું રિઝલ્ટ

જો તમારા શરીરનુ વજન એકાએક વધી ગયુ છે અને આ વધેલા વજનને તમે નિયંત્રિત કરવા ઈચ્છતા હોવ તો તેના માટે હેરાન થવાની જરાપણ આવશ્યકતા નથી. તમે ઘરેબેઠા જ તુલસી અને અજમાની સહાયતાથી આ વિશેષ પીણું તૈયાર કરી શકો છો અને સડસડાટ તમારા વજનને ઘટાડી પણ શકો છો.

image source

મોટાભાગના લોકો પોતાના શરીરમા રહેલી કેલેરીને બર્ન કરવાનુ વિચારે છે અને આ માટે લોકો અનેકવિધ પ્રકારના ઉપાયો અજમાવી લેતા હોય છે. આ ઉપાયોની સહાયતાથી તમે ખુબ જ સરળતાથી તમારી ચરબીને ઘટાડી શકો છો. આજે અને તમને એવા ઘરેલુ પીણાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેનાથી તમે ચરબીને ઓગાળવાની સાથે-સાથે તમારુ વજન પણ ઘટાડી શકો છો. તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

image source

જો તમારી બોડીને યોગ્ય રીતે ડિટોક્સિફાઈ કરવામા ના આવે અથવા તો તેમા સમય ખુબ જ વધારે લાગે છે, તો તે આપણા શરીરમા ખુબ જ વધારે પડતી મુશ્કેલી સર્જે છે. આ સમયે ડાયટમાં તુલસી અને અજમાનું પાણી સમવેશ અવશ્યપણે કરી લેવો. આ પાણી સિમ્પલ ડિટોક્સ વોટરની જેમ કામ કરશે. આ બંને જ વસ્તુઓમા અનેકવિધ પ્રકારના પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. જે આપણા મેટાબોલિઝમને સારી અસર કરે છે.

image source

આ પીણામા સમાવિષ્ટ મેટાબોલિઝમ એ ઝડપથી તમારુ વજન ઘટાડવામાં સહાયરૂપ સાબિત થઇ શકે છે. ફક્ત એટલુ જ નહી તે આપણા શરીરમા જમા થયેલા ફેટને પણ ઝડપથી ઘટાડવામા સહાયરૂપ સાબિત થઇ શકે છે. આ ઉપરાંત જો તમે રાતના સમયે સૌથી પહેલા એક ચમચી અજમો લો અને ત્યારબાદ તેને એક ગ્લાસ પાણીમા પલાળી અને બીજા દિવસે વહેકી સવારે તમે તુલસીના ૪-૫ પાન લો.

image source

હવે અજમાના પાણીને એક વાસણમા ધીમા ગેસે ગરમ કરો. આ ઉપરાંત આ પાણીમા તુલસીના પાન પણ ઉમેરી દો અને આ પાણી અડધુ ના થાય ત્યાં સુધી ઉકાળો. આ પાણી વ્યવસ્થિત રીતે ઉકલી જાય એટલે ત્યારબાદ તેને ઠંડું કરીને સવારે ભૂખ્યા પેટે તેનુ સેવન કરો, તે તમારા માટે ખુબ જ લાભદાયક સાબિત થઇ શકે છે.

image source

આ વિશેષ પીણું તમારુ વજન ઘટાડવા માટે અને સાથે જ તમારા શરીરના સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે પણ લાભદાયી સાબિત થઇ શકે છે. આ સિવાય તમારી રોગપ્રતિરોધક ક્ષમતામા પણ વૃદ્ધિ થઇ શકે છે. આ ઋતુ દરમિયાન તુલસી અને અજમાના પાણીનુ સેવન તમારા માટે ખુબ જ લાભકારક અને અસરકારક સાબિત થઇ શકે છે. આ પાણીનુ ભૂખ્યા પેટે સેવન કરવાથી તમારા શરીરમા રહેલા બધા જ ઝેરી તત્વો દૂર થઇ જાય છે અને તમારુ શરીર નીરોગી અને તંદુરસ્ત બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Exit mobile version