Site icon News Gujarat

વાળ બહુ ખરે છે અને સાથે બહુ પાતળા પણ થઇ ગયા છે? તો છોડી દો બંધી ચિંતા અને વાળમાં લગાવો આ તેલ

જો તમે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો તો અશ્વગંધાની પેસ્ટ લગાવો. આ આયુર્વેદિક દવા તમને આ સમસ્યાથી રાહત આપી શકે છે. અશ્વગંધાનો ઉપયોગ કરવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે અને નવા વાળના વિકાસમાં મદદ મળે છે.

image source

વાળ ખરવા અને અકાળે સફેદ થવું એ આજના સમયમાં મોટી સમસ્યા છે. કારણ કે હવે નાની ઉંમરે વાળ ઝડપથી ખરવા લાગે છે અને બાળકોમાં પણ વાળ સફેદ થવાની સમસ્યા જોઇ શકાય છે. આ બંને સમસ્યાઓની સારવાર અશ્વગંધા દ્વારા કરી શકાય છે.

અશ્વગંધા એ આયુર્વેદિક દવા છે જેનો મોટાભાગના લોકોએ ઉપયોગ કર્યો છે. જો તમે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો, જો તમારા વાળ ખુબ જ પાતળા થઈ રહ્યા છે અને તમારા માથા ટાલ પડી છે. તો તમે ચિંતા કર્યા વગર અહીં જણાવેલી રીતે અશ્વગંધાનો ઉપયોગ કરી શકો છો. આ પદ્ધતિ અપનાવવાથી તમને ઘણો ફાયદો થશે.

અશ્વગંધાનો ઉપયોગ બે રીતે કરી શકે છે

image source

તમારા વાળ લાંબા અને જાડા બનાવવા માટે તમે અશ્વગંધાના બે પ્રકારનો ઉપયોગ કરી શકો છો. પહેલી રીત એ છે કે અશ્વગંધ પાવડર અથવા તેના મૂળને ચા અથવા દૂધમાં નાખીને પી શકો છો.

જ્યારે, બીજી રીત એ છે કે અશ્વગંધા પાવડરથી પેસ્ટ તૈયાર કરો અને તેને વાળના માસ્કની જેમ તમારા વાળમાં લગાડો. વાળમાં લગાવવા માટે, તમે આ બે વસ્તુઓને મિક્સ કરીને અશ્વગંધા હેર માસ્ક તૈયાર કરી શકો છો,

નાળિયેર તેલ એક કપ

4 ચમચી અશ્વગંધાનો પાવડર

અશ્વગંધા લિકવીડ હેર માસ્ક બનાવવાની પદ્ધતિ

image source

આ હેર માસ્ક બનાવવા માટે ગરમ થવા માટે નાળિયેર તેલને ધીમી આંચ પર રાખો. તેલ નવશેકું થઈ જાય એટલે તેમાં અશ્વગંધાનો પાવડર નાખો અને ધીમા તાપે 10 ​​થી 15 મિનિટ સુધી રહેવા દો. તેલ ઠંડુ થાય એટલે તેને શીશીમાં ભરો.

શેમ્પુ કરવાના 1 કલાક પેહલા અથવા રાત્રે સુતા પેહલા તમે આ લિકવીડથી તમારા વાળ અને વાળના મૂળની મસાજ કરો. ત્યારબાદ શેમ્પુથી તમારા વાળ ધોઈ લો. આ ઉપાય અપનાવવાથી તમને ઘણો ફાયદો થશે.

બીજી રીતે હેર માસ્ક બનાવવાની રીત

તમે બીજી રીતથી પણ અશ્વગંધા હેર માસ્ક બનાવી શકો છો. આ માટે, તમારે અહીં જણાવેલી ચીજોની જરૂર છે

હવે આ ત્રણેય વસ્તુને એક સાથે ગ્રાઇન્ડ કરી પેસ્ટ બનાવો. હેર ​​માસ્કની જેમ વાળ પર તૈયાર પેસ્ટ લગાવો અને પછી તેને ઓછામાં ઓછા 40 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ તમારા વાળ શેમ્પુ અને સાદા પાણીથી ધોઈ લો.

અઠવાડિયામાં એકવાર આ હેર માસ્ક જરૂરથી લગાવો. તમારા વાળ ખરતા અટકી જશે અને તમારા માથામાં નવા વાળ થવા માંડશે. આ
ઉપરાંત, જો તમને સફેદ વાળની ​​સમસ્યા છે, તો તે પણ દૂર થઈ જશે અને વાળ કુદરતી રીતે કાળા થશે.

અશ્વગંધા આ રીતે વાળ પર કામ કરે છે

image source

અશ્વગંધામાં ટાઇરોસિન નામનું એમિનો એસિડ હોય છે. આ એસિડ શરીરમાં રંગદ્રવ્યને ઉત્તેજિત કરે છે અને તે મેલાનિનનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે. આ મેલાનિન તમારા વાળને કુદરતી રંગ આપે છે અને વાળ કાળા કરે છે.

અશ્વગંધા શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું ઉત્પાદન નિયંત્રિત કરે છે. તે એક સ્ટ્રેસ હોર્મોન છે અને વાળના ઝડપી ખરવાનું મુખ્ય કારણ પણ
છે. તેના ઘટાડેલા ઉત્પાદનને કારણે વાળ પડવું ઓછું થાય છે અને વાળના મૂળ મજબૂત રહે છે.

વાળમાં અશ્વગંધા લગાવવાથી તે વાળની ​​મૂળિયા ઉપર ખૂબ જ ઝડપથી કામ કરે છે અને લોહીનો પ્રવાહ વધે છે. તે વાળને સંપૂર્ણ પોષણ પ્રદાન કરે છે અને નવા વાળ વધારવામાં મદદ કરે છે. જેના કારણે વાળ ખરવાની સમસ્યા થતી નથી અને નવા વાળનો વિકાસ વાળને જાડા બનાવે છે.

અશ્વગંધાનો ઉપયોગ કરવાના ફાયદા

image source

અશ્વગંધા એ એક દવા છે, જે તમારા આખા શરીરને લાભ આપે છે. જો તમે નિયમિત પ્રમાણમાં તેનું સેવન કરો છો તો તમારે ક્યારેય ડોક્ટર પાસે જવું નહીં પડે. સાથે વાળ અને ત્વચાને લગતી સમસ્યાઓ પણ તમારાથી દૂર રહેશે.

જો તમે અશ્વગંધા (પાઉડર અથવા મૂળ) ખાવામાં ઉપયોગ કરો છો અથવા તેની પેસ્ટ બનાવીને તમારા વાળમાં લગાવો છો, તો તમારા વાળ ખરવાની સમસ્યા દૂર થશે, તમારા વાળ જાડા થશે અને આ સિવાય પણ અન્ય ફાયદાઓ થશે જેમ કે –

અશ્વગંધાનું સેવન કરીને સુંદરતા વધારો

જો તમારે અશ્વગંધાનું સેવન કરવું છે, તો એક ગ્લાસ નવશેકા દૂધમાં એક ચમચી અશ્વગંધાનો પાવડર મિક્સ કરીને પીવો. તમને સારી ઊંઘ અને સુંદરતાને લગતા અન્ય ફાયદા પણ મળશે.

image source

જો તમારે સવારે અશ્વગંધાનું સેવન કરો છો, તો તમે અશ્વગંધાની ચા પણ પી શકો છો. આ માટે, તમારે એક કપ ચા બનાવવા માટે બે કપ પાણીની જરૂર પડશે. આ પદ્ધતિથી ચા બનાવો,

– 2 કપ પાણી ગરમ રાખો

– હવે અશ્વગંધા મૂળને અડધો ઇંચથી ઓછું પીસો.

– હવે અશ્વગંધાના પીસેલા મૂળને પાણીમાં નાખો.

– પાણી અડધું થાય ત્યાં સુધી તેને ઉકાળો

– હવે એક કપમાં આ ચા ગાળી લો અને તેનું સેવન કરો.

– જો તમે કંઈક મીઠું ઉમેરવા માંગો છો, તો તમે થોડો ગોળ અથવા બ્રાઉન સુગર ઉમેરી શકો છો.

અશ્વગંધા સંપૂર્ણ સુંદરતાને વધારે છે

image source

અશ્વગંધાનો ઉપયોગ કરવાથી તમારું આખું શરીર સુંદર બને છે સાથે જ તમે માનસિક રીતે વધુ સુંદર અને સ્વસ્થ બનો છો. અશ્વગંધા
કોર્ટિસોલનું ઉત્પાદન ઘટાડે છે, જે હિપેટિક હોર્મોન્સ એટલે કે ડોપામાઇન અને એન્ડોર્ફિન્સનું ઉત્પાદન વધારે છે.

આ તમારા ચહેરા પર હંમેશાં એક સારી સ્મિત બનાવે છે અને ચહેરો ગ્લોઈંગ રાખે છે. ઉપરાંત, તમારા આખા શરીરની ત્વચાનો રંગ પણ
નિખારે છે. આ બધા લાભ મેળવવા અને આ સુંદરતાનો અનુભવ કરવા માટે તમે અશ્વગંધાનો નિયમિત ઉપયોગ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Exit mobile version