નમસ્તે મિત્રો આજે આપણે રાશિ ભવિસ્ય વિશેની ચર્ચા કરીશું. દરેક લોકોના જીવનની અંદર ગ્રહો તેમજ રાશિઓનું વિશેષ મહત્વ રહેલું હોય છે.ગ્રહોની ચાલ નિરંતર બદલાયા કરે છે અને બદલતી ગ્રહો ની ચાલના કારણે દરેક વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર ચડાવ આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિમાં પરિવર્તન થવાથી તેની અસર ૧૨ રાશીઓ પર પડે છે. દરેક લોકોના જીવનમાં ખુશીઓ ની સાથે સાથે ખરાબ સમય પણ આવે છે.
સુખ દુખ એ આપણાં જીવનનું એક ચક્ર છે જે હમેશા ફરિયા કરે છે અને તે મુજબ લોકોના જીવનની અંદર ફેરફાર થાય છે.એવા કોઈ વ્યક્તિ નથી હોતા જેમનું જીવન એક સામાન પસાર થાય. દરેક લોકોના જીવનમાં સુખ દુખ આવ્યા કરે છે અને એ બધું ગ્રહોની ચાલ પર આધારિત હોય છે. તો ચાલો આજે આપણે નીચે મુજબની રાશીઓના લોકો વિશે ચર્ચા કરીએ.
મેષ રાશિ :
આ રાશિના જાતકોને કરિયરને લગતી ચિંતા દૂર કરવા માટે એક લાલ કાપડની અંદર મસૂરની દાળ બાંધીને ઘર , દુકાન તેમજ ઓફિસ માં રાખવાથી ફાયદો થાય છે.
વૃષભ રાશિ :
આ રાશિના જાતકોને ભવિસ્યની ચિંતા દૂર કરવા માટે ગંગા અથવા કોઈ પવિત્ર નદીના જળને એક સાફ મટકામા રાખીને તે મટકાને પવિત્ર સ્થાન પર રાખવાથી ફાયદો થાય છે.
મિથુન રાશિ :
આ રાશિના જાતકોએ ભવિસ્યની સમસ્યાને દૂર કરવા માટે પિતળના વાસણને લીલા કપડાથી બાંધીને પવિત્ર સ્થાન પર રાખવાથી ફાયદો થાય છે.
કર્ક રાશિ :
આ રાશિના જાતકોએ ચાંદીના સિક્કાને કોઈ પણ પાત્ર અથવા ડબ્બામાં પાણી સાથે ભરીને રાખવાથી ભવિસ્યની તમામ ચિંતાઓ દૂર થાય છે.
સિંહ રાશિ :
આ રાશિના જાતકોને ધંધા તેમજ કોઈ પણ વયવહારની અંદર આવતી સમસ્યાને દૂર કરવા માટે એક કટોરીમાં મીઠું ભરીને ધંધાના સ્થાને પૂર્વ દિશામાં રાખવાથી તમામ સમસ્યાઓ દૂર થાય છે.
કન્યા રાશિ :
આ રાશિના જાતકોએ ધંધા તેમજ કરિયરની ચિંતાને દૂર કરવા માટે એક કટોરીમાં કપૂર ભરીને ધંધાના સ્થાને પૂર્વ દિશામાં રાખવાથી ફાયદો થાય છે.
તુલા રાશિ :
આ રાશિના જાતકોએ કોઈ પણ દેવી દેવતાની સફેદ રંગની મુર્તિ દુકાન તેમજ ઘરમાં રાખવાથી ફાયદો થાય છે.
વૃશ્વિક રાશિ :
આ રાશિના જાતકોએ મધની શીશીને લાલ કપડામાં રાખીને ઘર તેમજ દુકાનની દક્ષિણ દિશામાં રાખવું જોઈએ.
ધનુ રાશિ :
આ રાશિના જાતકોએ પીળા રંગના કાપડની અંદર ધાર્મિક પુસ્તકો બાંધીને પૂર્વ દિશામાં રાખવાથી કરિયરને લગતી સમસ્યા દૂર થાય છે.
મકર રાશિ :
આ રાશિના જાતકોએ કાળા તેલ તેમજ નાળિયેરને કાળા દોરા સાથે બાંધીને પૂર્વ દિશામાં રાખવાથી ફાયદો થાય છે.
કુંભ રાશિ :
આ રાશિના જાતકોએ બે સૂકા નાળિયેર લઈને એકમાં અનાજ ભરવું અને બીજાને ઘર તેમજ પ્રતિષ્ઠિત સ્થાન પર રાખવાથી શુભ માનવામાં આવે છે.
મીન રાશિ :
આ રાશિના જાતકોએ કરિયરને ઉજ્જવળ બનાવવા માટે ૨૧ સિક્કા પીળા કાપડમાં બાંધીને દુકાન અથવા ઘરના ઇશાન ખૂણામાં રાખવાથી ફાયદો થાય છે.