આ છે ઠંડીની ઋતુમા વહેલા ઉઠવા માટેનો એક સરળ નુસખો, જાણીને તમને પણ લાગશે નવાઈ…
મિત્રો, શિયાળો મોટાભાગના લોકોના શરીરમા આળસ ભરી દે છે. આને કારણે ઊંઘ વધારે આવે છે અને સવારે ઉઠવામા મોડુ થઇ જાય છે. જોકે તેની પાછળનું કારણ આજકાલની નબળી જીવનશૈલી છે પરંતુ, આ સિવાય અમુક વિજ્ઞાન અને જૈવિક કારણો પણ તેને આભારી છે. આ ઉપરાંત પ્રાકૃતિક વાતાવરણને પણ એક મોટું કારણ માનવામાં આવે છે કારણકે, ક્યાંક ને ક્યાંક આ પ્રાકૃતિક વાતાવરણ આપણી માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું છે, જેના કારણે લોકો બાકીની ઋતુ કરતા શિયાળામાં વધુ ઊંઘે છે.
મેલાટોનીનનું વધેલ સ્તર :
એવું માનવામાં આવે છે કે ઊંઘ પ્રકાશ અને અંધકારને નિયંત્રિત કરે છે. જ્યારે પણ મગજનો એક ભાગ પ્રકાશના સંપર્કમાં આવે છે, ત્યારે તે એકાએક સક્રિય થઈ જાય છે. આ તે ભાગ છે કે, જે આપણા શરીરના મેલાટોનીન, તાપમાન અને હોર્મોન્સને નિયંત્રિત કરે છે. આ ત્રણ શરીરમાં ઊંઘ માટેના જવાબદાર કારણ બને છે. જ્યારે મેલાટોનીનની વાત આવે છે, ત્યારે તે ઊંઘમા વધારો કરવા માટે મુખ્ય પરિબળ તરીકે સાબિત થાય છે.
તાપમાનમા ઘટાડો :
ઊંઘ વધારે આવવા પાછળ તાપમાન પણ એક જવાબદાર કારણ છે. સૂવાના માટે શરીરને ઠંડું કરવું પડે છે. તેથી જ્યારે શિયાળામા ઠંડી વધે છે, ત્યારે તમને વધુને વધુ સારી ઊંઘ આવે છે.
હોર્મોનલ અસંતુલન :
શિયાળામા લોકો ઘણીવાર પોતાનું ઘર બંધ રાખે છે અને કૃત્રિમ ઇલેક્ટ્રોનિક લાઇટનો ઉપયોગ કરે છે, જે કુદરતી હોર્મોનલ સંતુલનને વિક્ષેપિત કરે છે અને ઊંઘ વધારવાના હોર્મોન્સને ઉત્તેજિત કરે છે.
ખાણીપીણી :
શિયાળાનો ખોરાક ઉનાળા કરતા ગરમ અને વધુ ઊર્જાથી ભરેલો હોય છે. જ્યારે તમે તમારા શરીરને ગરમ રાખવા માટે વધુ ખાઓ છો, ત્યારે તે તમારા શરીરના તાપમાનને સંતુલિત કરે છે, જે શરીરને આરામદાયક સ્થિતિમા પહોંચાડે છે અને તેના કારણે આપણને ઊંઘ આવે છે.
ખોટી જીવનશૈલી :
શિયાળામા મોટાભાગના લોકો શારીરિક પ્રવૃત્તિઓ કરવાનું ટાળે છે. શિયાળામા જેમ-જેમ ઠંડી વધે છે તેમ-તેમ શરીર સ્થિર અને શીથીલ થાય છે. આને કારણે શરીરમા ચરબી અને કાર્બ્સ ઉત્પન્ન થાય છે, જે શરીરમા ઊંઘ વધારવાનુ કામ કરે છે.
આવી રીતે સવારે ઉઠી શકો છો વહેલા :
રાત્રે સૂવાના પહેલા અને સવારે પાણી પીવો, જેનાથી શરીરને જાગૃત કરવામાં સરળ બને છે. સક્રિય રહેવા માટે કસરત કરો. જે શરીરને યોગ્ય દિનચર્યા સ્થાપિત કરવામાં મદદ કરશે. સતત થોડા દિવસો સુધી એક જ સમયે સૂઈને અને જાગીને શરીરની ઘડિયાળ સેટ કરવાનો પ્રયાસ કરો. પથારીમાંથી બહાર આવ્યા પછી થોડા જ સમયમાં સ્નાન કરો, તે તમારા શરીરનું તાપમાન બદલશે અને તમને સક્રિય મહેસુસ કરાવશે. આ ઉપરાંત આળસથી બચવા માટે સ્વસ્થ અને હળવો ખોરાક લો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત