કઈ કઈ રાશિના જાતકોનો કષ્ટ સહન કરવાનો સમય 11 ઓક્ટોબરથી થશે પૂર્ણ
જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે પરંતુ હકીકત એવી છે કે શનિદેવ ન્યાયના દેવતા છે તે દરેક વ્યક્તિને એવું ફળ આપે છે જેમાં તેણે કર્મ કર્યા હોય. જે વ્યક્તિ જેવા કર્મ કરે છે તેવા ફળ તેમને શનિની મહાદશા દરમ્યાન ભોગવવા પડે છે. શનિ ગ્રહની સ્થિતિ વિશે વાત કરીએ તો શનિદેવ ગત 23 મેથી મકર રાશિમાં વક્રી છે. એટલે કે હાલ શનિદેવ અવડી ચાલ ચાલી રહ્યા છે જેના કારણે કેટલીક રાશિના જાતકોને પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે આવા જાતકો માટે એક રાહતના સમાચાર છે કે આવતા મહિને 11 ઓક્ટોબરથી શનિદેવ માર્ગી થઈ જશે.
11 ઓક્ટોબર 2021 ના રોજ સવારે 8:00 થી શનિ માર્ગી થશે જેના કારણે બારમાંથી કેટલીક રાશિઓને અઢળક લાભ થવાના છે. શનિ માર્ગી થવાથી જાતકોની પીડા પણ દુર થશે, જોકે કેટલીક રાશિઓ એવી પણ છે કે જેમને થોડી સમસ્યાનો સામનો આ સમય દરમ્યાન કરવો પડશે.
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ શનિનું વક્રી થવું અને વક્રી થયા બાદ માર્ગી થવું ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. શનિદેવ અન્ય ગ્રહોની સરખામણીમાં ખૂબ જ ધીમી ગતિથી આગળ વધે છે. તે અઢી વર્ષમાં એકવાર પોતાનું સ્થાન બદલે છે એટલે કે તે એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે. જ્યારે પણ શનિ ગ્રહનું રાશિ પરિવર્તન થાય છે ત્યારે ભારે ઉથલપાથલ સર્જાતી હોય છે.
વર્ષ 2020 થી શનીદેવ મકર રાશિમાં બિરાજમાન છે અને ગત 23 મે 2021 ના રોજ તેઓ આ જ રાશિમાં વક્રી થયા હતા. જ્યારે હવે 11 ઓક્ટોબરથી શનિ ફરીથી માર્ગી થવા જઈ રહ્યો છે. ત્યારે તમને જણાવી દઈએ કે શનિના માર્ગી થવાથી કઈ કઈ રાશિના જાતકોને લાભ થવાનો છે અને કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે.
શનિ માર્ગી થશે તેનાથી મેષ, મિથુન રાશિ ને લાભ થવાનો છે. શનિ માર્ગી થવાથી સૌથી વધુ લાભ ધન રાશિના જાતકોને થશે તેમની સાડાસાતીની પીડા દૂર થશે અને તેમનો સારો સમય હવેથી શરૂ થઈ જશે. આ સિવાય તુલા, મકર, કુંભ, કન્યા રાશિના જાતકોને પણ શનિના માર્ગી થવાથી લાભ થશે. શનિના માર્ગી થવાથી મકર અને કુંભ રાશિના જાતકોને જે સમસ્યાઓ અત્યાર સુધી નળી રહી હતી તે ઓછી થવા લાગશે. એ સિવાય શનિના વક્રી થવાથી મિથુન અને તુલા રાશિના જાતકો પણ પરેશાન હતા જે હવે રાહત નો શ્વાસ લઇ શકશે. આ સાથે જ મેષ, કન્યા, મકર અને કુંભ રાશિના લોકોનો સારો સમય 11 ઓક્ટોબરથી શરૂ થશે.
આ રાશિના જાતકોએ સાવચેત રહેવાની છે જરૂર
11 ઓકટોબરે શનિના માર્ગી થયા પછી મીન રાશિના જાતકોએ સૌથી વધુ ધ્યાન રાખવું પડશે. કારણ કે મીન રાશિના જાતકોની સાડાસાતીનો પ્રથમ તબક્કો આ સાથે જ શરૂ થવાનો છે. શનિદેવ માર્ગી થવાની સાથે જ વૃશ્ચિક અને કર્ક રાશિના જાતકોની ઢૈયા શરૂ થવાની છે. આ સ્થિતિના કારણે આ ત્રણ રાશિના લોકોએ સાવધાની રાખવી પડશે.