જો શાહરુખ ખાન BJPમાં સામેલ થઈ જાય તો ડ્રગ્સ ખાંડનો પાવડર બની જશે: છગન ભુજબ
મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળે શનિવારે ભાજપ પર બેવડા ધોરણો અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો છે કે જો બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન ભગવા પાર્ટીમાં જોડાય તો “ડ્રગ્સ સુગર પાવડર બની જશે”.
છગન ભુજબળ મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ બસ્ટ કેસનો ઉલ્લેખ કરી રહ્યા હતા જેમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન આરોપી છે. આર્યન ખાનની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેની જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં આર્થર રોડ જેલમાં બંધ છે.
નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતાએ આરોપ લગાવ્યો કે ગુજરાતના મુંદ્રા બંદર પર 3,000 કિલો હેરોઈન જપ્ત કરવાના કેસની તપાસ કરવાને બદલે NCB શાહરૂખ ખાનનો પીછો કરી રહી છે. રાજ્યના બીડ જિલ્લામાં એક જાહેર કાર્યક્રમને સંબોધતા ભુજબળે કટાક્ષ કર્યો કે, “જો શાહરૂખ ખાન ભાજપમાં જોડાશે તો ડ્રગ્સ ખાંડના પાવડરમાં ફેરવાઈ જશે.”
આર્યન ખાન મધ્ય મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. તે જ સમયે, એનડીપીએસ કોર્ટે તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ અને ફેશન મોડલ મુનમુન ધામેચાની જામીન અરજી ફગાવી દીધી હતી. ત્રણેયને જામીન આપવાનો ઇનકાર કરતી વખતે, વિશેષ અદાલતે કહ્યું હતું કે આર્યન ખાનની વ્હોટ્સએપ ચેટ પ્રથમ નજરે દર્શાવે છે કે તે નિયમિત ધોરણે ગેરકાયદેસર ડ્રગ પ્રવૃત્તિઓમાં સામેલ હતો અને તે ડ્રગ પેડલર્સ સાથે સંપર્કમાં હતો.
કોર્ટે એ પણ કહ્યું કે આર્યન ખાન જાણતો હતો કે તેનો મિત્ર અને સહ-આરોપી અરબાઝ મર્ચન્ટ ડ્રગ્સની પાસે ડ્રગ્સ છે. આર્યન ખાન, મર્ચન્ટ અને ધામેચાએ જામીન માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે અને તેમની અરજી પર 26 ઓક્ટોબરે સુનાવણી થશે.
જ્યારે એક તરફ એનસીબી સોમવારે ક્રૂઝ ડ્રગ્સ કેસમાં બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેની ત્રીજી વખત પૂછપરછ કરશે, તો બીજી તરફ તાજેતરના અહેવાલો સૂચવે છે કે અનન્યા આર્ય ખાનને ઓળખે છે. બે દિવસ સુધી સાડા છ કલાકની પૂછપરછ દરમિયાન, જ્યાં અનન્યાએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેણે ક્યારેય ડ્રગ્સ લીધું નથી, ત્યાં આર્યન ખાન સાથે તેની ડ્રગ ચેટ્સ કંઈક બીજું જ ઈશારો કરી રહી છે. એટલું જ નહીં, એવું કહેવાય છે કે આર્યનને ડ્રગ્સ સપ્લાય કરનાર આ વ્યક્તિ કોઈ સેલિબ્રિટી (હાઉસ-હેલ્પ)નો નોકર છે.
શનિવારે સામે આવેલા અનેક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે NCB એ 24 વર્ષના હાઉસ હેલ્પની પૂછપરછ કરી છે. આ વ્યક્તિ બોલિવૂડની પ્રખ્યાત હસ્તીના ઘરમાં કામ કરે છે. કહેવાય છે કે આ તે વ્યક્તિ છે જે કથિત રીતે અનન્યાના કહેવા પર આર્યનને ડ્રગ્સ પહોંચાડતો હતો. આ વ્યક્તિને NCB એ મુંબઈના મલાડ વિસ્તારમાંથી કસ્ટડીમાં લીધો હતો. એવું કહેવામાં આવે છે કે જ્યારે સોમવારે અનન્યાની ફરી પૂછપરછ કરવામાં આવશે, ત્યારે અભિનેત્રી પાસેથી આ વિશે પણ પ્રશ્નો પૂછવામાં આવશે.