શાહરુખના લાલની ઘરે જવાની ઈચ્છા રહેશે અધૂરી, હજુ બે દિવસ માટે બેલ લટકી, કંગનાએ કર્યો કટાક્ષ
બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત અન્ય આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી થઈ નથી. હવે 13 ઓક્ટોબરે સેશન્સ કોર્ટમાં સુનાવણી થશે. NCB બુધવારે તેનો જવાબ દાખલ કરશે. આવી સ્થિતિમાં આજે અને કાલે આર્યને વધુ 2 રાત જેલમાં વિતાવવી પડશે.
મુંબઈની સેશન્સ કોર્ટમાં આજે આર્યનના વકીલ સતીશ માનશિંદેએ જામીન અરજીની સુનાવણી માંગી હતી, પરંતુ તેના જવાબમાં NCB એ કહ્યું કે તપાસ ચાલી રહી છે. 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જવાબ દાખલ કરવા માટે એક સપ્તાહનો સમય જરૂરી છે. જો એક સપ્તાહનો સમય ઉપલબ્ધ ન હોય તો ઓછામાં ઓછા બે-ત્રણ દિવસ આપવા જોઈએ. આ પછી કોર્ટે કહ્યું કે જામીન અરજી પર બુધવારે સુનાવણી થશે.આર્યનના વકીલ સતીશ માનશિંદેએ 9 ઓક્ટોબરના રોજ શનિવારે જામીન અરજી દાખલ કરી હતી. સલમાનના હિટ એન્ડ રન કેસમાં સલમાનનો કેસ લડનારા સીનિયર વકીલ અમિત દેસાઈએ કોર્ટમાં આર્યન તરફથી દલીલો કરી હતી. નોંધનીય છે કે ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનનો દીકરો 2 ઓક્ટોબરથી આઠ ઓક્ટોબરની બપોર સુધી NCB લૉકઅપમાં હતો અને ત્યાર બાદથી તે આર્થર રોડ જેલમાં છે. 8 ઓક્ટોબરે કોર્ટે આર્યનની જામીન અરજી ફગાવી દીધી હતી.
આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા સહિત અન્ય આરોપીઓની 3 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. ક્રુઝ શિપમાંથી કથિત રીતે પ્રતિબંધિત માદક દ્રવ્યો જપ્ત કરવામાં આવ્યા હતા. તેની સામે NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તે હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
અદાલતમાં આર્યનના વકીલ દેસાઈએ કહ્યું હતું કે આ કેસમાં આર્યન એક માત્ર એવી વ્યક્તિ છે, જેની પાસેથી કોઈ રિકવરી થઈ નથી. દેસાઈની આ દલીલ બાદ NCBએ કોર્ટમાં જવાબ દાખલ કરવા માટે સમય માગ્યો છે. NCBના વકીલ ચિમેલકરે કહ્યું હતું, સામાન્ય રીતે NCBને જવાબ દાખલ કરવામાં એક અઠવાડિયાનો સમય લાગે છે. દેસાઈ જે તથ્યોની વાત કરે છે, તે સાચા નથી. અમે તપાસના ડોક્યુમેન્ટ્સ રેકોર્ડમાં મૂકીશું. મને ઓછામાં ઓછા 2-3 દિવસનો સમય આપો. તેમણે વધુમાં દલીલ કરતા કહ્યું કે શુક્રવારે જે જામીન અરજી દાખલ થયા બાદ NCB પાસે જવાબ આપવા માટે 2 દિવસનો સમય હતો. આ દરમિયાન મીડિયા રિપોર્ટ્સમાં જોઈ શકાય છે કે તે સતત ધરપકડ કરે છે. NCBના બીજા વકીલ સેતનાએ આ મુદ્દે વાત કરતા કહ્યું હતું કે આ કેસમાં કોઈ એજન્સી નથી. અમને જામીન અરજી ગઈ કાલે જ મળી હતી. આથી અમે 2 દિવસનો સમય માગ્યો છે. તે યોગ્ય છે. સામન્ય રીતે અમે 7 દિવસનો સમય માગતા હોઈએ છીએ.
મહત્વનું છે કે NCBએ ક્રૂઝ પર 2 ઓક્ટોબરે દરોડા પાડીને આર્યન ખાન સહિત 8 લોકોની અટકાયત કરી હતી. કલાકોની પૂછપરછ બાદ ત્રીજી ઓક્ટોબરે આર્યન ખાનની ધરપકડ કરી હતી અને હોલીડે કોર્ટે એક દિવસના રિમાન્ડ આપ્યા હતા. ચોથી ઓક્ટોબરે કોર્ટે આર્યન સહિત 8 આરોપીના રિમાન્ડ 7 ઓક્ટોબર સુધી વધારી આપ્યા હતા. 7 ઓક્ટોબરના રોજ આઠેય આરોપીઓને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડી પર મોકલવામાં આવ્યા હતા. 8 ઓક્ટોબરે આર્યનની જામીન અરજી પર ચીફ મેટ્રોપૉલિટન મેજિસ્ટ્રેટ આર એમ નેર્લિકરે જામીન અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે જામીન માત્ર સેશન્સ કોર્ટ આપી શકે છે. CBએ ગોરેગાંવથી બીજા વિદેશ નાગરિકની ધરપરડ કરી હતી. તપાસ એજન્સીને તેની પાસેથી મોટા પ્રમાણમાં કોકેન મળી આવ્યું હતું. આ નાગરિક નાઇજીરિયાનો છે. તેનું નામ ઓકારો ઔઝામા છે. અત્યાર સુધી આ કેસમાં 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ મામલે દીવાન લૉ ફર્મના વકીલ ચંગેઝ ખાનના મતે, આર્યન પર બિન જામીનપાત્ર કલમો હેઠળ કેસ કરવામાં આવ્યો છે, કારણ કે કેસ NDPS (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટેન્સિસ એક્ટ) સ્પેશ્યિલ એક્ટનો છે અને આ બિન જામીનપાત્ર છે. આ કેસમાં ભલે ડ્રગ્સની કમર્શિયલ ક્વૉન્ટિટી ના મળી હોય, પરંતુ જામીન રદ્દ થઈ શકે છે, જે રીતે રિયા ચક્રવર્તીના કેસમાં થયું હતું. આમ તો જામીન એક જ દિવસમાં મળી જાય છે, પરંતુ જ્યારે જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવે છે તો કોર્ટ તપાસ એજન્સી પાસે રિપોર્ટ માગી શકે છે. તપાસ એજન્સી કોર્ટને રિપોર્ટ આપવા બંધાયેલી છે અને તે માટે NCB સમય માગી શકે છે. જોકે, NCB વધુ દિવસ સુધી આ રિપોર્ટ ટાળી શકે નહીં. જ્યાં સુધી NCB કોર્ટમાં આ રિપોર્ટ ફાઇલ કરતી નથી, ત્યાં સુધી આરોપીને જામીન મળી શકે તેમ નથી. ઉલ્લેખનીય છે કે આર્યન ખાન પર NDPSની કલમ 8 (c), 20 (b), 27, 28, 29 તથા 35 હેઠળ કેસ કરવામાં આવ્યો છે.
આર્યન ખાનની જામીન માટેની છેલ્લી વિનંતી એક મેજિસ્ટ્રેટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી જે ડ્રગ વિરોધી એજન્સી સાથે સંમત થયા હતા કે તેમની કોર્ટને નિર્ણય લેવાનો અધિકારક્ષેત્ર નથી. અત્યાર સુધી એનસીબીએ દલીલ કરી હતી કે આર્યન ખાનની રજૂઆત તેની તપાસને નુકસાન પહોંચાડી શકે છે કારણ કે તે પુરાવા સાથે છેડછાડ કરી શકે છે અને સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી શકે છે. એજન્સીએ દાવો કર્યો છે કે આ કેસમાં ધરપકડ કરાયેલા અન્ય લોકો સાથે આર્યન ખાનની પૂછપરછ કરવાની જરૂર છે. આર્યન ખાનના વકીલ સતીશ માનશીંદેએ કોર્ટમાં ભાર મૂક્યો હતો કે તેના પર કાવતરું સૂચવવા માટે કોઈ દવાઓ કે કોઈ સામગ્રી મળી નથી અને તે અન્ય આરોપીઓ સાથે જોડાઈ શકે નહીં.
ત્યારે આ મામલે સુનીલ શેટ્ટી, શત્રુધ્ન સિંહા, સલમાન ખાન અને અન્ય બોલિવૂડ સેલેબ્સ સીધી રીતે કે આડકતરી રીતે શાહરુખનો સપોર્ટ કરી રહ્યા છે ત્યારે કંગના રાણાવતે તેના પુત્ર આર્યન ખાનની ધરપકડ થયા બાદ માફી ન માંગવા બદલ શાહરૂખ ખાન પર પરોક્ષ રીતે કટાક્ષ કર્યો હતો. તેણીએ જેકી ચેન દ્વારા એક ટિપ્પણી શેર કરી હતી જેણે તેના પુત્રને ડ્રગ બસ્ટમાં ધરપકડ કર્યા પછી તેની સુરક્ષા કરવાનો ઇનકાર કર્યો હતો.
અભિનેતા કંગના રાણાવતે તેના પુત્ર આર્યન ખાનના ડ્રગ કેસના સંદર્ભમાં શાહરૂખ ખાન પર પરોક્ષ રીતે કટાક્ષ કર્યો હતો. તેણીએ ઇન્સ્ટાગ્રામ પર નજીવી બાબતોનો એક ભાગ પોસ્ટ કર્યો હતો, જેકી ચાનએ ડ્રગના કેસમાં તેના પુત્રની ધરપકડ બાદ માફી માગી હતી અને ‘તેને બચાવવાનો’ ઇનકાર કર્યો હતો.
તેણીએ એક ફોટોમાં જેકી ચાન અને તેના પુત્રનો કોલાજ શેર કર્યો હતો, અને તેના પુત્રને પોલીસ દ્વારા બીજામાં લઈ જવામાં આવ્યો હતો. તેણીએ લખ્યું, “જેકી ચાન 2014 માં જ્યારે તેના પુત્રને ડ્રગ્સ કેસમાં પકડવામાં આવ્યો ત્યારે સત્તાવાર રીતે માફી માંગી હતી! તેણે કહ્યું કે ‘મને પુત્રના કૃત્યથી શરમ આવે છે, આ મારી નિષ્ફળતા છે અને હું તેને બચાવવા માટે હસ્તક્ષેપ કરીશ નહીં’ અને આ પછી તેના પુત્રને 6 મહિનાની જેલ થઈ અને માફી પણ માંગી. તેણીએ #JustSaying હેશટેગ સાથે ઉમેર્યું.અગાઉ, હૃતિક રોશને આર્યન પ્રત્યે એકતા દર્શાવતા એક નોંધ પોસ્ટ કર્યા પછી, તેણીએ લખ્યું હતું કે, “હવે બધા માફિયા પપ્પુ આર્યન ખાનના બચાવમાં આવી રહ્યા છે … અમે ભૂલો કરીએ છીએ પરંતુ આપણે તેમનો મહિમા ન કરવો જોઇએ … મને વિશ્વાસ છે કે આ તેમને પરિપ્રેક્ષ્ય આપશે અને તે પણ તેને તેની ક્રિયાઓના પરિણામોનો અહેસાસ કરાવો … આશા છે કે, તે તેને વિકસિત કરી શકે છે અને તેને વધુ સારી અને મોટી બનાવી શકે છે. જ્યારે તેઓ નબળા હોય ત્યારે તેમના વિશે ગપસપ ન કરવી તે સારું છે, પરંતુ તેમને એવું લાગે છે કે તેઓએ કોઈ ખોટું કર્યું નથી તે ગુનાહિત છે.