દીકરા માટે ભાવુક થઈ મલાઈકા અરોરા, શેર કરી ઇમોશનલ નોટ.
બૉલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરાએ દીકરા અરહાન ખાન માટે ભાવુક પોસ્ટ લખી છે. એમને આ પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર લખી છે. મલાઈકા અરોરાએ દીકરા અરહાન ખાનને વિદાય આપતા એમનો અને દીકરાનો એક ફોટો શેર કર્યો છે જેમાં લખ્યું છે કે નવા સફર પર. આ પોસ્ટમાં મલાઈકા અરોરાએ દીકરાનું સપનું પૂરું કરવા માટે કહ્યું છે.
એમને લખ્યું છે કે અમે બન્ને એક નવી અને અજ્ઞાત યાત્રા પર જઈ રહ્યા છે જે ગભરાહટ, ભય, ઉત્તેજના, અંતર, નવા અનુભવોથી ભરેલી છે….મને બસ એટલી જ ખબર છે કે મને તારા પર ગર્વ છે મારા અરહાન. એમને આગળ લખ્યું છે કે આ તારી પાંખો ફેલાવવાનો સમય છે, ઉડો અને ઊંચી ઉડાન ભરો. પોતાના બધા સપનાને જીવો. પોસ્ટની સાથે શેર કરવામાં આવેલા ફોટામાં બન્ને માં દીકરો બારીની નજીક ઉભા રહીને બહારની તરફ તાકી રહ્યા છે. જો કે આ પોસ્ટમાં એ સ્પષ્ટ નથી કે મલાઈકા અરોરા, અરહાનની કઈ યાત્રા વિશે વાત કરી રહી છે. મલાઈકા અરોરાની આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર પરિવાર અને ફેન્સે પણ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.
મલાઈકા અરોરાની આ પોસ્ટથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે અરહાન મુંબઈની બહાર ક્યાંક જઈ રહ્યા છે એટલે જ એમને નવા સફરની વાત લખી છે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે એ હાયર સ્ટડીઝ માટે મુંબઈની બહાર જઈ રહ્યા છે. અરહાન ખાનની ઉંમર 18 વર્ષની છે. મલાઈકા અરોરાએ અરહાનનો પોતાના કૂતરાને ગળે લગાવતો એક ફોટો પણ શેર કર્યો છે. જેના કેપ્સન પર લખ્યું છે કે વિદાય સૌથી અઘરી છે..
આ વર્ષની શરૂઆતમાં મલાઈકા અરોરાએ ખુલાસો કર્યો હતો કે એમના દીકરાએ 12મુ ધોરણ પાસ કર્યા પછી ગેપ ઈયર પસંદ કર્યું હતું. એમને કહ્યું હતું કે હું સ્પષ્ટ હતું કર જો અરહાન ગેપ ઈયર પસંદ કરે છે તો એને પોતાના સમયનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરવો જોઈએ. મેં એને અલગ અલગ વસ્તુઓમાં સંલગ્ન થવાનું કહ્યું છે. મલાઈકાએ કહ્યું હતું કે દીકરા અરહાનને કઈ નવુ શીખવું છે અને પોતાનો સમય બરબાદ નથી કરવાનો. એનાથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે અરહાન ખાન જવે મુંબઈની બહાર અભ્યાસ માટે જઈ રહ્યા છે.
મલાઈકા અરોરા અને અરબાઝ ખાન ડિવોર્સ લઈ ચુક્યા છે. એમના લગ્ન વર્ષ 1998માં થયા હતા. વર્ષ 2017માં બન્નેએ ડિવોર્સ લઈ લીધા હતા. હાલમાં જ મલાઈકા અરોરા, અરહાન ખાન અને અરબાઝ ખાનને ફેમીલી લંચ દરમિયાન સાથે જોવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા હાલ અર્જુન કપૂર સાથ રિલેશનશિપમાં છે.