સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા આ પાંચ ટીપ્સ છે ખુબ જ ઉપયોગી, એકવાર અજમાવો અને નજરે જુઓ પ્રભાવ
દરેક વ્યક્તિ તેમના જીવનમાં ખુશ, તણાવ મુક્ત અને સ્વસ્થ રહેવા માંગે છે, જો તમે તમારા જીવનમાં ખુશ રહેવા માંગો છો તો તમારે પહેલા તમારા મન ને સ્વસ્થ બનાવવું પડશે કારણ કે જો મન સ્વસ્થ હોય તો તમે ફક્ત ખુશ રહી શકો છો, અને જો તમારું શરીર ફિટ હશે તો તમારું મન સ્વસ્થ રહેશે. અહીં અમે તમને સ્વસ્થ રહેવાની કેટલીક રીતો આપી રહ્યા છીએ જે તમને સ્વસ્થ રાખશે.
તંદુરસ્ત રહેવું અને શરીર ને ફિટ રાખવું એ આ વ્યસ્ત જીવનમાં સરળ કાર્ય નથી. ઘરે બનાવેલા ખોરાક, સારી ઊંઘ અને ફિટ રહેવા માટે કસરત સિવાય બીજી ઘણી વસ્તુઓ છે, જે કરવામાં ઘણો સમય લે છે. જો કે, કેટલીક વસ્તુઓ છે જે તમે તમારી જાતને સંપૂર્ણ પણે સ્વસ્થ રાખવા માટે એક મિનિટ થી પણ ઓછા સમયમાં કરી શકો છો.
ટિપ્સ :
સવારે ઊઠીને પાણી પીવું
ડાયેટ એક્સપર્ટ ડૉ.રંજના સિંહ ના જણાવ્યા મુજબ સવારે ઊઠી ને ચા કે કોફી પહેલાં મોટા ગ્લાસમાં પાણી પીવો. આખી રાત જાગ્યા પછી શરીર સંપૂર્ણ પણે ડિહાઇડ્રેટેડ રહે છે. આ કિસ્સામાં સવારે ઊઠીને પાણી પીવાથી શરીર ને ઊર્જા મળે છે એટલું જ નહીં, મગજ અને કિડ ની માટે પણ ખૂબ સારું છે. સવારે શરીર એક ગ્લાસ પાણી સાથે એકદમ સક્રિય થઈ જાય છે.
પ્રોટીન યુક્ત નાસ્તો
ડૉ.રંજના સિંહના જણાવ્યા અનુસાર, ‘પ્રોટીન થી ભરેલો નાસ્તો ખાવાથી બ્લડ સુગર કંટ્રોલ રહે છે, શરીર ને એનર્જી મળે છે, જલદી ભૂખ લાગતી નથી અને મૂડ પણ સારો રહે છે.’ પ્રોટીન થી ભરપૂર નાસ્તો પણ વેઇટલોસ માટે સારો માનવામાં આવે છે.
દિવસ દરમિયાન એક ફળ ખાવું
આપણે આખા દિવસ દરમિયાન નાસ્તા તરીકે એક ફળ અથવા કોઈ પણ લીલી શાકભાજી ખાવી જોઈએ. જો તમારી પાસે સમય ઓછો હોય, તો તેને રાત્રે કાપી ને ફ્રિજમાં રાખો. દરરોજ ફળો ખાવાથી શરીર ને ફાઇબર, વિટામિન્સ, મિનરલ્સ મળે છે, જેના કારણે પાચન સારું રહે છે, ત્વચા સ્વસ્થ રહે છે, અને બ્લડ સુગર પણ યોગ્ય રહે છે.
સીડી ચડવી
૨૦૧૯ ના એક અભ્યાસ મુજબ દિવસમાં ત્રણ વખત વીસ સેકન્ડમાં સાઠ સીડી ઓળંગવા થી કાર્ડિયો ફિટનેસમાં પાંચ ટકા નો વધારો થાય છે. કાર્ડિયોરેસ્પિરેટરી ફિટનેસમાં થોડો સુધારો હૃદયરોગ નું જોખમ પણ ઘટાડે છે, અને શરીરને સંપૂર્ણ સ્વસ્થ રાખે છે. તેથી સીડી ચડવા માટે થોડો સમય કાઢવો જોઈએ.
ગ્રીન ટી પીવી
ડૉ. રંજના સિંહે સમજાવ્યું હતું કે ગ્રીન ટી આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે, અઠવાડિયામાં ઓછામાં ઓછી ત્રણ વખત ગ્રીન ટી પીવા થી હૃદયરોગ અને સ્ટ્રોક નું જોખમ લગભગ પચીસ ટકા ઓછું થાય છે. તેથી તમે રાત્રે સૂતા પહેલા અને સવારે ઊઠતા પહેલા ગ્રીન ટી નું સેવન કરી શકો છો.