જો તમે પણ રોજ સવારે ઉઠતાં કરો છો આ કામ તો ઘરમાં નહીં રહે ધનની ખામી,અસરકારક છે ઉપાય

મિત્રો જે વ્યક્તિઓની કુંડલીમાં નવ ગ્રહો સાથે સંબંધિત કોઈને કોઈ દોષ હોય છે. આવી વ્યક્તિઓએ દેવી- દેવતાઓની કૃપા પણ મળી શકતી છે નહી. દેવી- દેવતાઓનું કૃપા નહી પ્રાપ્ત કરી શકવાના કારણે આવી વ્યક્તિઓને કાર્યોમાં અસફળતા મળે છે. આવી વ્યક્તિઓને ભાગ્ય પણ સાથ આપતું નથી, આ સાથે જ આવી વ્યક્તિઓના ઘરમાં અને પરિવારમાં મોટાભાગે અશાંતિ જળવાઈ રહે છે.

જન્મ કુંડલીના દોષ અને દુર્ભાગ્યને દુર કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે મોટાભાગના ઉપાયો પૂજા- પાઠ અને સ્નાન કર્યા પછી જ કરવાનું સૂચન જ્યોતિષ શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. પરંતુ કેટલાક એવા પણ શુભ કાર્યોનો ઉલ્લેખ જ્યોતિષ શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે જેને આપે સ્નાન કર્યા વિના ઉઠીને તરત જ કરવાના જણાવવામાં આવ્યા છે. આવા ઉપાયોને આપે સ્નાન કર્યા વિના પણ કરી શકો છો.

image source

આજે અમે આપને આ લેખમાં આવા જ એક નાનકડા ઉપાય વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેને આપે સવારે ઉઠીને સ્નાન કર્યા વિના કરશો તો આપની પર હિંદુ ધર્મના તમામ દેવી- દેવતાઓની કૃપા પ્રાપ્ત કરી શકો છો. આપ જયારે સવારના સમયે ઉઠો છો ત્યારે આપે સૌથી પહેલા પોતાના બંને હાથની હથેળીઓ જોવી જોઈએ. આમ કરવાથી એવું માનવામાં આવે છે કે, સવારના સમયે ઉઠતાની સાથે જ જો આપ આમ કરો છો તો એનાથી આપને આપના દુર્ભાગ્યથી મુક્તિ મળી જાય છે.

image source

જ્યોતિષીઓ અને વિદ્વાનોના જણાવ્યા મુજબ આપણા હાથના અગ્રભાગમાં ધનની દેવી લક્ષ્મી વાસ કરે છે, જયારે હાથના મધ્ય ભાગમાં વિદ્યાની દેવી સરસ્વતી વાસ કરે છે અને હાથના મૂળ ભાગમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે તેવું માનવામાં આવે છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે, સવારના સમયે ઉઠતાની સાથે જ આપે પોતાની બંને હથેળીઓને ભેગી કરીને તેને જોઈને અહિયાં આપવામાં આવેલ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી આપનું દુર્ભાગ્ય દુર થઈ જાય છે અને આપનું સુઈ ગયેલ ભાગ્ય જાગૃત થઈ જાય છે. આ મંત્ર આવી રીતે છે.:

image source

કરાગ્રે વસતે લક્ષ્મી: કરમધ્યે સરસ્વતી|

કરમુલે તુ ગોવિંદ: પ્રભાતે કરદર્શનમ||

ઉપરોક્ત મંત્રનો નિયમિત રીતે જાપ કરવાથી આપના અને આપના પરિવારના સભ્યો પર હંમેશા તમામ દેવી- દેવતાઓની કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત થતી રહે છે.