આજકાલ કમરમાં દર્દ હોવું ખાસ વાત બની ગયું છે. જો તમને આ મુશ્કેલી વધારે થાય તો તમારું બેસવું, સૂવું અને આરામ કરવાનું પણ મુશ્કેલ બને છે. આજની ભાગદોડ વાળી લાઇફમાં 9-10 કલાક કામ કરવું અને ખાન પાનનું ધ્યાન રાખી લેવાથી શરીરમાં અનેક તકલીફો હોય તો તે દૂર થાય છે. અનેક વાર ખોટી પોઝિશનમાં બેસવાથી પણ કમર દર્દની સમસ્યા રહે છે.
અનેકવાર શરીરમાં કેલ્શિયમની ખામી દેવા કારણે પણ કમર દર્દની સમસ્યા આવી શકે છે. 25-45 વર્ષની ઉંમપના લોકોમાં આ સમસ્યા સૌથી વધારે જોવા મળે છે. એવામાં ઘરેલૂ નુસખા અપનાવીને દિનચર્ચામાં થોડો ફેરફાર કરીને તમે કમરદર્દથી રાહત મેળવી શકો છો.
જો તમે કમરદર્દની સમસ્યાથી પરેશાન છો તો તેને દૂર કરવા માટે આ સરળ ઉપાય છે. તેને રોજ સરસિયાના તેમાં 2-3 કળી લસણની નાંખો અને સાથે તેને ગરમ કરો. આ તેલને ઠંડુ કરીને તેનાથી કમરની માલિશ કરો. દર્દમાં રાહત મળશે. આ સિવાય બેક પેનમાં આરામ માટે તમે મીઠાના પાણીના પમ કોગળા કરી શકો છો. આ માટે થોડું પાણી લો અને તેને ગરમ કરો. તેમાં થોડું મીઠું મિક્સ કરી લો. આ પછી તેમાં રૂમાલ પલાળી લો અને પેટના ભાગે સૂઈ જાવ. તેનાથી શેક લો.પીઠ દર્દમાં તમને રાહત મળશે.
કમર દર્દની સમસ્યામાં આરામ માટે તમે મીઠાનો ઉપયોગ કરી શકો છો. એક કઢાઈ લો અને તેમાં 2-3 ચમચી મીઠું નાંથો અને તેને ગરમ કરો. આ પછી ગરમ મીઠાને સુતરાઉ કપડામાં લપેટીને એક પોટલી તૈયાર કરી લો. તેની મદદથી કમરનો શેક કરો તમને આરામ મળી જશે.
એકદમ અકડીને એટલે કે ટટ્ટાર બેસવું કે વળીને બેસવુ પણ તમારા કમરદર્દનું કારણ હોઈ શકે છે. તે તમારા કમર દર્દનું કારણ બની શકે છે. આમ કરવાથી બચો. ખુરશી પર બેઠા છો તો ધ્યાન રાખો કે તમારી કમર સીધી હોય. ન કે ઝૂકેલી હોય.
અનેક વાર કોઈ જૂની ઘટનાના કારણે પણ કમરની નીચેના ભાગમાં દર્દ થવા લાગે છે. સવારના સમયે દર્દ અસહનીય હોય છે. કમરમાં લાગેલી કોઈ જૂનો ઘા પણ તેનું કારણ બની શકે છે. એવામાં તેને ઈગ્નોર ન કરો અને ડોક્ટરની સલાહ લો.
લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસો નહીં. વચ્ચે વચ્ચે બ્રેક લઈને કામ કરો. તમારા શરીરને થોડો આરામ આપો. આ સિવાય તમારા ખાન પાનમાં પોષક તત્વોથી ભરપૂર ચીજો સામેલ કરો.
કસરતની આદત પણ તમારી કમરના દર્દને દૂર કરવામાં મદદ કરી શકે છે. સતત કમ્પ્યુટર પર કામ કરતા રહેવાથી હેલ્થ પર ખરાબ અસર પડે છે. એવામાં વ્યાયામને રૂટિનમાં સામેલ કરો.