બોલીવુડની આ અભિનેત્રીઓ પાછળ પાગલ હતા આ પરણેલાં ડાયરેક્ટર્સ, અને એમને પોતાની કરવા કર્યું કંઇક એવું કે….
મિત્રો, બોલિવૂડ ફિલ્મજગતમા અવારનવાર બ્રેકઅપ અને રીલેશનશીપના સમાચાર સાંભળવા મળતા રહે છે ત્યારે આજે અમે તમને બોલિવૂડ ફિલ્મજગતના એવા પાંચ પરિણીત ફિલ્મ ડિરેક્ટર્સ વિશે માહિતી આપવા માટે જઈ રહ્યા છીએ કે, જેમનુ બોલિવૂડ ફિલ્મજગતની અભિનેત્રીઓ સાથે અફેર હતુ, તો ચાલો જાણીએ આ ડીરેક્ટર અને અભિનેત્રીઓની જુગલ જોડી વિશે.
રોહિત શેટ્ટી : રોહિત દ્વારા દિગ્દર્શિત ફિલ્મ બોલ બચ્ચન ફિલ્મમા પ્રાચી દેસાઈએ કામ કર્યુ હતુ એ વાત તો આપણે સૌ જાણીએ છીએ પરંતુ, આ ફિલ્મ દરમિયાન બંને વચ્ચેની નજદીકીઓ ખુબ જ વધી ચુકી હતી, તે વાત ભાગ્યે જ કોઈ જાણતુ હશે. મીડિયામા એવા સમાચાર ફરતા થયા હતા કે, તે બંને લિવ-ઇન રિલેશનશિપમા રહે છે. તમને જણાવી દઈએ કે, રોહિત પ્રાચી સાથે રિલેશનશિપમા આવ્યો તેના પહેલા વર્ષ ૨૦૦૫ મા જ તેણે માયા સાથે લગ્ન કર્યા હતા.
વિક્રમ ભટ્ટ : બોલિવૂડ ફિલ્મજગતના જાણીતા ફિલ્મ સર્જક વિક્રમ ભટ્ટ બોલિવૂડની ખુબસુરત અભિનેત્રી સુષ્મિતા સેનથી એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે બાળપણના પ્રેમથી સંબંધ તોડી નાખ્યો હતો. થોડા સમય પછી સુષ્મિતા અને વિક્રમના બ્રેકઅપના ન્યુઝ સાંભળવા મળ્યા હતા. સુષ્મિતા બાદ વિક્રમ ભટ્ટનુ નામ પણ અમીષા પટેલ સાથે જોડાઈ હતુ. અમીષાએ વિક્રમ માટે તેના પરિવાર સાથે પણ લડાઈ કરી હતી પરંતુ, થોડા દિવસ પછી બંને અલગ થઈ ગયા હતા.
આદિત્ય ચોપરા : બોલીવૂડ ફિલ્મજગતના દિગ્દર્શક આદિત્ય ચોપરાના પહેલા લગ્ન વર્ષ ૨૦૦૧મા પાયલ ખન્ના સાથે થયા હતા પરંતુ, વર્ષ ૨૦૦૯મા આદિત્ય ચોપરા અને રાની મુખર્જી વચ્ચે નજદીકીનો વધારો થયો હતો. ત્યારબાદ આદિત્યએ તેની પત્નીને છૂટાછેડા પણ આપી લીધા હતા. આદિત્યએ વર્ષ ૨૦૧૪મા રાની મુખર્જી સાથે લગ્ન કર્યા હતા.
અનુરાગ કશ્યપ : બોલિવૂડ ફિલ્મજગતના જાણીતા ફિલ્મ સર્જક અને દિગ્દર્શક અનુરાગ કશ્યપ અને કિરણની નજદીકી ફિલ્મ ‘દેવ ડી’ દરમિયાન હતી. તે સમયે અનુરાગ કશ્યપના લગ્ન થયા હતા. જોકે, વર્ષ ૨૦૦૯મા કિરણથી વધતા નાજ્દીકીઓના કારણે આરતીએ અનુરાગને અલગ કરવાનો નિર્ણય લીધો હતો. વર્ષ ૨૦૧૧મા કલ્કી અને અનુરાગના લગ્ન થયા હતા પરંતુ, વર્ષ ૨૦૧૫મા અનુરાગના લગ્ન તૂટી ગયા હતા. ફિલ્મ “ગેન્ગસ ઓફ વસાપુર’ દરમિયાન અનુરાગનું નામ હુમા કુરેશી સાથે પણ સંકળાયેલું હતું.
મહેશ ભટ્ટ : બોલીવૂડ ફિલ્મજગતના પહેલા લગ્ન કિરણ ભટ્ટ સાથે થયા હતા. મહેશ અને કિરણ ભટ્ટની પુત્રી પૂજા ભટ્ટ છે. તમને એ વાત જણાવી દઈએ કે, મહેશ ભટ્ટ બોલિવૂડ અભિનેત્રી પરવીન બોબીના પ્રેમમા હતો. મહેશ ભટ્ટ પરવીન બોબી સાથે પણ લીવ-ઇન રિલેશનશિપમાં હતો.
થોડા વર્ષો પછી તેમનુ બ્રેકઅપ થયુ. ત્યારબાદ મહેશ ભટ્ટનું હૃદય બોલિવૂડ અભિનેત્રી સોની રાજદાન પર આવી ગયુ હતુ, તે જ રીતે તે પણ બની ગઈ. મહેશ ભટ્ટે પોતાનો ધર્મ બદલીને તેની સાથે લગ્ન કર્યા. કિરણે તેને છૂટાછેડા આપ્યા ના હતા. મહેશ ભટ્ટ મુસ્લિમ બન્યા અને બીજા લગ્ન કર્યા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત