આ છે બોલિવૂડના રહસ્યમયી મોત, જ્યારે સ્ટાર્સના મોત બાદ તેમના પાર્ટનર પર લાગ્યા આરોપ

ફિલ્મ એમએસ ધોનીમાં છોટુ ભૈયાની ભૂમિકા નિભાવનારા સંદીપ નાગરે થોડા દિવસ પહેલા આત્મહત્યા કરી લીધી હતી. તેમણે મૃત્યુ પહેલાં તેની પત્ની કંચન શર્મા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જોકે, બોલિવૂડમાં આ પહેલીવાર નથી જ્યારે તેની પત્ની અથવા પતિ કોઈ અભિનેતાના મોત બાદ શંકાના દાયરામાં આવ્યા હોય. બોલિવૂડમાં આવી ઘણી કહાનીઓ છે જ્યારે કોઈના મૃત્યુ પછી તેના સાથી પર શંકાની સોય અટકી ગઈ હોય અને દરેક વ્યક્તિ કેસમાં નવા વળાંકથી આશ્ચર્યચકિત થઈ ગયા હોય. ચાલો જાણીએ ફિલ્મ ઉદ્યોગના આવા કેટલાક કિસ્સાઓ વિશે.

સુશાંત સિંહ રાજપૂત-રિયા ચક્રવર્તી

image source

સુશાંત સિંહ રાજપૂત 2020માં મુંબઇ સ્થિત તેમના નિવાસસ્થાન પર શંકાસ્પદ હાલતમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ પછી તેના પરિવારે ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે તેણે આત્મહત્યા માટે ઉફસાવ્યો હતો. સુશાંતના મૃત્યુ પછી રિયા સંપૂર્ણપણે શંકાના દાયરામાં હતી. આ કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ રિયાને પણ એક મહિનાની જેલ સહન કરવી પડી હતી. હાલ તે જામીન પર બહાર છે.

પરવીન બાબી-મહેશ ભટ્ટ

image source

જ્યારે મહેશ ભટ્ટ તેના જીવનમાં આવ્યા ત્યારે પરવીન બાબી લોકોના દિલો પર રાજ કરતી હતી. જ્યારે તે બંને રિલેશનમાં આવ્યા ત્યારે પરવીનનું તાજેતરમાં જ કબીર બેદી સાથે બ્રેકઅપ થયુ હતુ, જ્યારે મહેશ ભટ્ટના લગ્ન થઈ ગયા હતાં. બંને વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું હતું, તે દરમિયાન પરવીન ડિપ્રેશનમાં હોવાની વાત સામે આવી હતી. ઘણી સારવાર બાદ પણ તેની સ્થિતિમાં કોઈ સુધારો ન થયો. તેનાથી પરેશાન મહેશ તેને છોડીને પત્ની પાસે પાછો ચાલ્યો ગયો. આ પછી 20 જાન્યુઆરી 2005ના રોજ પરવીનનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું. અંતે, તે એટલી એકલી થઈ ગઈ હતી કે તેના મૃત્યુ પછી ત્રણ દિવસ તેની લાશ સડતી રહી હતી.

જિયા ખાન-સૂરજ પંચોલી

image source

જિયા ખાન આપઘાત કેસ અત્યાર સુધીનો સૌથી વણઉકેલાયેલ કેસ છે. આ અભિનેત્રીએ કથિત રીતે 2013માં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. જિયાની માતા રાબિયાએ બોયફ્રેન્ડ સૂરજ પંચોલી પર પુત્રીને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી સૂરજની ધરપકડ કરવામાં આવી હતી. જેલમાં લગભગ એક મહિના ગાળ્યા બાદ સૂરજ જામીન પર છૂટી ગયો હતો.

રેખા-મુકેશ અગ્રવાલ

image source

રેખા તેની પર્સનલ લાઇફથી લઈને લગ્ન જીવન સુધીના વિવાદોમાં ઘેરાયેલી હતી. રેખાએ મુકેશ અગ્રવાલ સાથે 4 માર્ચ, 1990 ના રોજ એક મંદિરમાં લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નજીવન લાંબુ ચાલ્યુ નહીં. અગ્રવાલના પરિવારે પણ રેખાને સ્વીકારવાની ના પાડી હતી. તેમના લગ્નના 7 મહિના પછી 2 ઓક્ટોબરના રોજ મુકેશે તેના ફાર્મહાઉસના બેડરૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. તેણે રેખાના દુપટ્ટાથી લટકીને પોતાનો જીવ આપી દીધો હતો. તપાસ બાદ ખબર પડી કે મુકેશ રેખા સાથે લગ્ન કર્યા બાદ ડિપ્રેશનમાં જીવતો હતો. બંને વચ્ચે કોઈ મેળ નહોતો. મુકેશના અચાનક અવસાન પછી, રેખા સામે શંકાની સોય તો હતી પરંતુ તે તેના પર ક્યારેય ખુલીને બોલી નથી.

દિવ્ય ભારતી-સાજિદ નડિયાદવાલા

divya bharti
image source

બોલીવુડમાં હજી પણ આ ખૂબ જ સુંદર અભિનેત્રી દિવ્યા ભારતીના મોત પર લોકો અફસોસ વ્યક્ત કરે છે. દિવ્ય ભારતી,ફક્ત 19 વર્ષની ઉંમરે આ જગત છોડીને જતી રહેલી દિવ્યા ભારતી વિશે કહેવામાં આવે છે કે તે પાંચમા માળેથી પડી જવાને કારણે મૃત્યુ પામી હતી, પરંતુ વાસ્તવિક કારણોને લઈને હજુ પણ શંકા છે. દિવ્યા અને સાજિદ નડિયાદવાલાએ મૃત્યુના 11 મહિના પહેલા લગ્ન કર્યાં હતાં, જેના કારણે સાજીદને તેની મોત માટે જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો. જોકે, હજી સુધી તે જાણી શકાયું નથી કે દિવ્યાનું મોત આત્મહત્યા હતી કે હત્યા?

પ્રત્યુષા બેનરજી-રાહુલ રાજ

image source

‘બાલિકા વધુ’ ફેમ પ્રત્યુષા બેનર્જીએ કારકીર્દિના તે દિવસોમાં મૃત્યુને ભેટી હતી જ્યારે તે ઘર ઘરમાં સ્ટાર બની ગઈ હતી. પ્રત્યુષાના અવસાન બાદ તેના પ્રેમી રાહુલ રાજ સિંહ પર લોકો શંકા કરી રહ્યા હતા. મૃત્યુ બાદ રાહુલ પ્રત્યુષાના મૃતદેહને હોસ્પિટલમાં મૂકી ભાગી ગયો હતો. બંને લિવ ઇનમાં રહેતા હતા પરંતુ પ્રત્યુષાને શંકા હતી કે રાહુલને બીજી મહિલા સાથે સંબંધ છે. માનવામાં આવે છે કે પ્રત્યુષાએ આ કારણે આત્મહત્યા કરી હતી. પ્રત્યુષાના મૃત્યુ પછી રાહુલે અભિનેત્રી સલોની શર્મા સાથે લગ્ન કર્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!