Site icon News Gujarat

મહિલા બાળકને લઈ પ્રેમી સાથે ભાગી અને પછી રેલવે ટ્રેક પરથી મળી લાશ, શરીરના આ પાર્ટમાં મળ્યા ચપ્પુના નિશાન

અવારનવાર પ્રેમી પંખીડાઓના ભાગી જવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. જ્યારે બે પ્રેમ કરનારાઓને સ્થિતિ એવી બને કે પરિવાર તેમને સ્વીકારવા તૈયાર ન હોય ત્યારે તોએ આવું પગલું ભરતા હોય છે. ક્યારેક બે અલગ ધર્મ હોવાને કારણે સમાજ તેમને સ્વીકારતો નથી તો વળી ક્યારેક તેમની જાતિઓ નડે છે. પરંતુ હાલમાં જે કિસ્સો સામે આવ્યો છે તે ખુબ જ ચોંકાવનારો છે. મળતી માહિતી મુજબ આ કિસ્સો ગોપાલગંજથી સામે આવ્યો છે.

image source

અહીં એક મહિલા તેની માત્ર 7 માહિનાની દીકરીને સાથે લાઈને તેના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. નવાઈની વાત એ છે કે હવે મા અને દીકરીની હત્યા કરીને તેમનું પાર્થિવ શરીર રેલવે ટ્રેક પાસેથી મળી આવ્યુ હતું. આ વિશે વિગતે વાત બિહારના ગોપાલગંજમાં એક પરિણીત મહિલા તેની 7 મહિનાની બાળકી સાથે તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી જે તેના માટે જીવલેણ સાબિત થયુ હતું. મહિલા અને તેની નવજાત બાળકીની નિર્દયતાથી હત્યા કર્યા બાદ મૃતદેહ રેલ્વે ટ્રેકની બાજુમાં ફેંકી દેવામાં આવ્યો હતો અને પાંચ દિવસ બાદ લાશ મળી હતી.

image source

આ ઘટના બાદ ઘરમાં અફરાતફરી મચી ગઇ છે. લોકો હોવી તેનું આ રીતે પ્રેમી સાથે ફરાર થવુ અને પછી તેની નિર્દય હત્યા વિશે તમામ પ્રકારની વાતો કરી રહ્યા છે. જાણવા મળ્યું છે કે 22 વર્ષીય રેખા દેવી પ્રેમમાં એટલી પાગલ હતી કે તે તેની 7 મહિનાની બાળકી સાથે ભાગી ગઈ હતી. જેને બહાહા રેલ્વે સ્ટેશન નજીક નિર્દયતાથી હત્યા કરીને ફેંકી દેવામાં આવી હતી. માતા-પુત્રીની ડેડબોડી જીઆરપી દ્વારા બહાર લાવી ગોપાલગંજ પોલીસને સોંપવામાં આવી હતી.

image source

આ પછી 24 જૂને ત્રણ લોકો સામે એફઆઈઆર નોંધાઈ હોવાની વાત પણ સામે આવી છે. મૃતક 22 વર્ષીય મહિલાનું નામ રેખા દેવી છે. તે યાદપોરના ચતુરબાગાનો રહેવાસી સંદીપ કુમારની પત્ની હતી. આ અંગે મૃતકના પતિ સંદીપ કુમારના જણાવ્યા અનુસાર તેની પત્ની અને તેમની 7 મહિનાની બાળકી 22 જૂને ઘરમાંથી ગુમ થઈ ગયા હતા. બધે શોધખોળ કર્યા બાદ પરિવારે 24 જૂને બગહાના રહેવાસી સંજયકુમાર, મિત્તુ કુમાર અને મનીષા કુમારી વિરુદ્ધ અપહરણ બદલ યદોપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી.

image source

આ સાથે એક ચોંકાવનારી વાત સામે આવી છે કે મૃતકના ખાનગી ભાગ પર છરીના નિશાન છે. હવે પરિવાર તરફથી એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સંજયકુમાર અને મીઠુ કુમારે તેમની બાઇક પર તેની પત્નીનું અપહરણ કર્યું હતું અને સાથે લઈ ગયા હતા. આ પછી રવિવારે તેમને જાણ કરવામાં આવી હતી કે તેની પત્ની અને પુત્રીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી અને લાશને બાગહા રેલ્વે સ્ટેશન નજીક ફેંકી દેવામાં આવી હતી.

image source

મૃતકના શરીર ઉપર છરીના નિશાન હતા. મૃતકના પ્રાઈવેટ પાર્ટ ઉપર પણ છરી વડે ગંભીર હુમલો કર્યાના નિશાન મળી આવ્યા હતા. તેના 7 મહિનાના બાળકીની પણ પાણીમાં પગથી કચડી હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મહિલા તેના આશિક સાથે 22 જૂને ફરાર થઈ હતી મૃતકના પિતા વિનોદકુમાર સાહના કહેવા મુજબ તેણે 3 વર્ષ પહેલા સંદીપ કુમાર સાથે તેની પુત્રીના લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ તેની પુત્રી 8 જૂને તેના પ્રેમી સંજય કુમાર સાથે ભાગી ગઈ હતી.

images source

ત્યારબાદ તેની શોધખોળ કર્યા બાદ પ્રેમી પાસેથી તેને સમજાવીને પછી સાસરિયાના ઘરે ફરી લઈ આવવામાં આવી હતી. અહીં તેના પતિને તેના મોબાઇલ ફોન પર નજર રાખવા સૂચના આપવામાં આવી હતી. આ પછી પણ તે 22 જૂને ફરી આશિક સાથે તેના પતિની જાણ બહાર 15 દિવસમાં જ ફરાર થઈ ગઈ હતી અને જેની હોવી હત્યા કરેલું મૃત શરીર મળી આવ્યું છે. દુઃખની વાત એ છે કે આ બાળકીની પણ નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ બાળકીનું નામ પાયલ કુમારી રાખવામાં આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version