Site icon News Gujarat

કુંભના શાહી સ્નાન પર ટ્વીટ કરીને આ અભિનેતાને મોંઘુ પડ્યું, લોકોએ ગાળો ભાંડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી

ટીવી અભિનેતા કરણ વાહીને હરિદ્વારમાં ચાલી રહેલા કુંભ મેળા પર એક પોસ્ટ શેર કર્યા પછી નફરતનાં મેસેજ અને મોતની ધમકી મળી રહી છે. અભિનેતાએ પોતે આ વિશે માહિતી આપી છે. કરણે વાહીએ જણાવ્યું હતું કે તેઓ કોવિડ -19 રોગચાળા વચ્ચે કુંભ મેળામાં નગા સાધુઓ વિશે સોશિયલ મીડિયા પોસ્ટ કર્યા બાદ અપમાનજનક મેસેજો મેળવી રહ્યો છે અને જાનથી મારી નાખવાની ધમકીનો પણ સામનો કરી રહ્યો છે.

image source

તેણે યુઝર્સ તરફથી મળેલા મેસેજીસના સ્ક્રીનશોટ શેર કર્યા છે. ઘણા ઇન્સ્ટાગ્રામ યુઝર્સે તેમના પર ‘હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો’ આરોપ લગાવ્યો હતો. તેમણે લખ્યું, હતું કે શું નાગા બાબાઓ માટે વર્ક ફ્રોમ હોમનું કલ્ચર નથી? જેવી રીતે ગંગામાંથી પાણી લઇ ઘરે જઈને સ્નાન કરી લે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં ચાલી રહેલા મહાકુંભમાં કોરોના વિસ્ફોટ થયો છે. અહીં 102 યાત્રાળુઓ અને 20 સાધુઓ કોરોના ચેપ લાગ્યાં છે. મેળામાં ઘણા ધાર્મિક સંગઠનના વડાઓએ કોરોના ટેસ્ટ કરવાનો પણ ઇનકાર કર્યો હતો.

image source

નાગા બાબાઓ અને કુંભ મેળા અંગેની તેમની ટિપ્પણીને સોશિયલ મીડિયા પર લોકો પસંદ નહોતી કરી. લોકોએ તેના પર ‘હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો’ આરોપ લગાવ્યો હતો. ઘણા લોકોએ અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે કરણ વાહી આજે ટીવી ઇન્ડસ્ટ્રીના ટોપ સ્ટાર્સમાંના એક છે.

image source

તેની પાસે માત્ર અભિનયની જ કુશળતા છે એવું નથી, પરંતુ તે એક મહાન ક્રિકેટર અને ઉદ્યોગપતિ પણ રહી ચુક્યો છે. કરણ વાહી હંમેશા તેની એક્ટિંગને લઈને ચર્ચામાં રહે છે. તેમની એક્ટિંગને વેબ સિરીઝ હેન્ડ્રાન્ડમાં પણ પસંદ કરવામાં આવી હતી.

image source

ઉલ્લેખનીય છે કે હરિદ્વારના કુંભમેળામાં સામાજિક અંતરના તમામ નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. બોલિવૂડના નિર્માતા અને દિગ્દર્શક રામ ગોપાલ વર્માએ તેના પર નારાજગી વ્યક્ત કરતાં સખત પ્રતિક્રિયા આપી છે. કુંભ મેળાની તસવીર તેમના ટ્વિટર પર શેર કરતા રામ ગોપાલ વર્માએ લખ્યું કે, ‘તમે જે જોઇ રહ્યા છો તે કુંભ મેળો નહીં પણ કોરોના એટમ બોમ્બ છે … મને આશ્ચર્ય છે કે આ વાયરલ એક્સપ્લોજન માટે કોણ જવાબદાર રહેશે.’આ અગાઉ પણ તેમણે એક ટ્વિટમાં લખ્યું હતું – ‘બધાઇ હો ભારત, લોકડાઉનને હવે’ બ્રેક ધ ચેઇન ‘નામ આપવામાં આવ્યું છે … વાહ, અને દરેકને આ કાયદાકીય ચેતવણી સાથે આ નામકરણ સમારોહમાં બોલાવવામાં આવ્યા છે કે કુંભથી પાછા ફરનારાઓ મેળામાં માસ્ક પહેરવાની જરૂર નથી કારણ કે તેઓએ પહેલાથી ગંગામાં વાયરસ ધોઇને આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version